ISRO Chandrayaan 3 Launch News: ચંદ્રયાન-3 માટે ઇસરોના વૈજ્ઞાનિકોની દિવસ-રાત 1752 કલાકની મહેનત, ભારતના મિશન મુનને સાકાર કરનાર સાયન્ટિસ્ટ વિશે જાણો

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: ચંદ્રયાન-3ને સફળ બનાવવા ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમ છેલ્લા 73 દિવસથી રાત-દિવસ મહેનત કરી રહી હતી. ભારતના મિશન મુનમાં યોગદાન આપનાર ઇસરોની સાયન્ટિસ્ટ ટીમ પર એક નજર

Written by Ajay Saroya
Updated : July 26, 2023 13:27 IST
ISRO Chandrayaan 3 Launch News: ચંદ્રયાન-3 માટે ઇસરોના વૈજ્ઞાનિકોની દિવસ-રાત  1752 કલાકની મહેનત, ભારતના મિશન મુનને સાકાર કરનાર સાયન્ટિસ્ટ વિશે જાણો
ISRO Chandrayaan 3 scientist team : ચંદ્રયાન-3ના લોન્ચિંગ પ્રસંગે ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથ અને વૈજ્ઞાનિક ટીમ (photo: ISRO)

ISRO Chandrayaan 3 scientist team : ઇસરો દ્વારા ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત અવકાશ સંશોધન કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ સ્પેશ સેન્ટર વિભાગના સચિવ અને ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3એ પોતાનો પ્રવાસ શરૂ કરી દીધો છે.

તેમણે કહ્યું કે LVM3 M4 વ્હિકલને ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દીધું છે. આગામી દિવસોમાં તે ચંદ્રની સપાટી પર પહોંચે તે માટે આપ સૌને શુભકામનાઓ.

ISROના અધ્યક્ષ સોમનાથે ચંદ્રયાન-3 ને સફળ બનાવવા માટે કાર્યરત ટીમનો પરિચય પણ કરાવ્યો હતો. આ મિશનના ડિરેક્ટર મોહન કુમાર, પ્રોજેક્ટ ડિરેક્ટર વીરમુથુવેલ, એસોસિયેટ પ્રોજેક્ટ ડિરેક્ટર કલ્પના જેવા ઘણા વૈજ્ઞાનિકો આ ચંદ્રયાન-3 મિશન મુન માટે મહેતન કરી રહ્યા હતા.

મિશન ડાયરેક્ટર મોહન કુમારે કહ્યું કે છેલ્લા 73 દિવસથી વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3 પર દિવસ-રાત કામ કરી રહ્યા હતા. દરેક મિનિટની વિગતો તપાસવામાં આવી રહી હતી. આવું જણાવતા તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. ચંદ્રયાન-3 ને સફળ બનાવવા માટે રાત-દિવસ મહેનત કરનારી ટીમ પર એક નજર કરીએ…

Chanrayaan 3 mission moon launch photos | isro Chandrayaan 3 scientist team | ISRO | Chandrayaan 3 | ISRO chief S Somanath
ISRO Chandrayaan 3 scientist team : ચંદ્રયાન-3ના લોન્ચિંગ પ્રસંગે ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથ અને વૈજ્ઞાનિક ટીમ (photo: ISRO)

ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથ

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ આ સમગ્ર ચંદ્રયાન-3 મિશન મુન પ્રોજેક્ટના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. 14 જાન્યુઆરી 2022ના રોજ ઈસરોના અધ્યક્ષ બનવાની સાથે તેઓ ચંદ્રયાન-3 પાછળ મહેનત કરી રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, આદિત્ય એલ-1 (સૂર્ય મિશન) અને ગગનયાન જેવા મિશન પર પણ કામ ચાલી રહ્યું છે.

પી વીરમુથુવેલ

પી વીરમુથુવેલ ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેઓ ચંદ્રયાન-2 મિશન સાથે પણ નજીકથી જોડાયેલા હતા. વીરમુથુવેલ એ વ્યક્તિ છે, જેઓ ISRO માટે નાસા સાથે વાટાઘાટોની જવાબદારી સંભાળે છે.

Chandrayaan 3 | isro | Chandrayaan 3 isro
ઇસરોનું ચંદ્રયાન 3.

(Source:

@isro.in/instagram)

મોહન કુમાર

મોહન કુમાર ચંદ્રયાન-3ના મિશન ડિરેક્ટર હતા અને આ મિશન મુનની દરેક વિગતો પર નજર રાખતા હતા. ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ પર તેઓ ભાવુક દેખાતા હતા.

કલ્પના

ઇસરોના વૈજ્ઞાનિક કલ્પના ચંદ્રયાન-3ના એસોસિએટ પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેઓ નાની નાની બાબતો પર નજર રાખી રહ્યા હતા.

એસ. ઉન્નીકૃષ્ણન નૈયર

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ ઉન્નીક્રિષ્નન નાયર અને તેમની ટીમ ચંદ્રયાન-3 મિશનને સપોર્ટ આપી રહી હતા અને વૈજ્ઞાનિકો સાથે કામગીરી કરતા હતા.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-3 જો 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? ઈસરોએ જણાવી મોટી વાત

એ. રાજરાજન

એ. રાજરાજન લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ (LAB)ના ચેરમેન છે. આ સાથે સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર પણ છે. તેઓ પણ આ પ્રોજેક્ટને સપોર્ટ કરી રહ્યા હતા.

એમ.શંકરન

યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એમ શંકરન કોમ્યુનિકેશનથી લઇને નેવિગેશનન જેવી બાબતો માટે ચંદ્રયાન-3ની ટીમે મદદ કરતા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ