/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rain-in-north-India.jpg)
ઉત્તર ભારતમાં ભારે વરસાદને ભારે વિનાશ સર્જ્યો છે (Express photo by Kamleshwar Singh)
North India Heavy Rain : ઉત્તર ભારતમાં ભારે વરસાદને ભારે વિનાશ સર્જ્યો છે. વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી હતી અને ભારતના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિને પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમાં ઉમેરવામાં આવ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્ર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ટીમો અસરગ્રસ્તો માટે કામ કરી રહી છે.
દિલ્હીની યમુના સહિત ઉત્તર ભારતની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે. આ વિસ્તારના શહેરો અને નગરોમાં, ઘણા રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો ઘૂંટણ સુધીના પાણીમાં ડૂબી ગયા છે. રવિવારે રેકોર્ડ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશ ચોમાસાના પ્રકોપનો ભોગ બન્યું છે, જેમાં પૂર અને ભૂસ્ખલનને કારણે કેટલાક મહત્વપૂર્ણ હાઇવે અને રહેણાંક વિસ્તારોમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત અને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
PM @narendramodi spoke to senior Ministers and officials, and took stock of the situation in the wake of excessive rainfall in parts of India. Local administrations, NDRF and SDRF teams are working to ensure the well-being of those affected.
— PMO India (@PMOIndia) July 10, 2023
હિમાચલ પ્રદેશ: મંડીમાં પૂર, વરસાદ વચ્ચે બિયાસ નદીમાં ઘોડાપૂર
સોમવારે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂસ્ખલનના કારણે વધુ ચાર લોકોના મોત થયા છે. સોમવારે સવારે શિમલા-કાલકા હાઇવે બંધ રહ્યો હતો, કારણ કે સતત વરસાદ પડી રહ્યો છે.ધુનાગમાં વાદળ ફાટવાને કારણે મંડીમાં પૂર આવ્યું હતું. પોલીસ દ્વારા જેની સત્યતાની પુષ્ટિ કરવામાં આવી છે તેવા એક વીડિયોમાં કાટમાળ, ઝાડની ડાળીઓ અને કાદવ-કીચડથી રસ્તાઓ પર પાણી ફરી વળતા જોવા મળી રહ્યા છે.
મંડીના એસએસપી સૌમ્યા સંબસિવનને ટાંકીને એએનઆઈએ કહ્યું હતું કે અમે આજે 80 લોકોને બચાવ્યા છે. નદીનું જળસ્તર વધી રહ્યું હોવાથી સ્થિતિ ખરાબ છે. અમારી ટીમ એલર્ટ પર છે અને અમે બિયાસ નદીની બાજુના વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા છીએ. સોમવારે ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) રાજ્યમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ ચેતવણી જારી કરી હતી.
#WATCH | Mandi, Himachal Pradesh | Cloud burst in Thunag causes flash floods.
(Visuals - viral video confirmed by Police) pic.twitter.com/Og9Wm5Rjd2— ANI (@ANI) July 10, 2023
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 16 કે 17 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પર્યટક શહેર મનાલીમાં ફસાયેલા વીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ 200થી વધુ અન્ય લોકો પહાડી રાજ્યના વિવિધ ભાગોમાં અટવાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ શિમલા-કાલકા રૂટ પર રેલવે કામગીરી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓને સોમવાર અને મંગળવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 9 લોકોના મોત, ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા
યમુનાનું સ્તર વધતાં કેજરીવાલે દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી
રાષ્ટ્રીય રાજધાનીમાં સપ્તાહના અંતમાં સામાન્ય રીતે આખા જુલાઈની તુલનામાં વધુ વરસાદ જોવા મળ્યો છે. બે દિવસના ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને યમુના નદીના ચાલી રહેલા મુદ્દા અને વધતા જળસ્તર અંગે ચર્ચા કરી હતી. તેમણે બેઠકમાં જણાવ્યું હતું કે એકવાર નદી 206 મીટરના આંકને વટાવી જશે પછી યમુનાની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ થશે.
#WATCH | Delhi | River Yamuna has crossed warning level. At 1 pm, water level of the river recorded at 204.63 m. At 1 pm, 1,90,837 cusecs of water released from Hathinikund barrage into Yamuna pic.twitter.com/644xxOHYjv
— ANI (@ANI) July 10, 2023
કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે અકસ્માતોને રોકવા માટે દિલ્હીના રસ્તાઓ પરના ખાડાઓને પત્થરોથી ભરવામાં આવશે. અને એનડીએમસીને રહેવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતી પાણી ભરાવાની સમસ્યાઓના નિરાકરણ માટે કહેવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં ગંગા ખતરાના નિશાનની નજીક
ઉત્તરાખંડમાં રવિવારે ધોધમાર વરસાદને કારણે છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આઇએમડીએ પર્વતીય રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે આગામી બે દિવસમાં વધુ ભારે વરસાદની આગાહી વચ્ચે ગંગા સહિત તમામ મોટી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે.
ઉત્તરાખંડ પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીને યાત્રીઓને પહાડોથી બચવા માટે કહ્યું છે કારણ કે હવામાનની સ્થિતિને કારણે અનેક રસ્તાઓ અવરોધિત અથવા જોખમમાં છે. કુમાઉં વિસ્તારમાં સતત વરસાદ પડ્યા બાદ સોમવારે સવારે તનકપુર-પિથોરાગઢ રૂટની આસપાસના કેટલાક સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ) 9 ને અવરોધિત કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એનએચ 9 ઓલ વેધર રોડને સાફ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા એનએચ 9 ઓલ વેધર રોડ પર રસ્તો સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે.
ભૂસ્ખલનના કારણે ગંગોત્રી હાઇવે પણ બે જગ્યાએ બંધ થયો છે, જેના કારણે કાંવડ યાત્રાના કેટલાક યાત્રાળુઓ અટવાઈ ગયા છે. બંદરકોટ ખાતે ભારે કાટમાળ પડવાને કારણે આજે રસ્તો ખુલવાની સંભાવના નથી.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, ડુંગરાળ માર્ગો પર ભૂસ્ખલનનું જોખમ બની શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી આ સમય દરમિયાન પર્વતોની મુસાફરી કરવાનું ટાળો. બિનજરૂરી મુસાફરી ન કરો, સલામત સ્થળે રહો. કોઈપણ સહાય માટે અમને 112 પર જાણ કરો. અમે તમારી પાસે મદદ માટે આવીશું.
ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે 34ના મોત
છેલ્લા 34 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સમગ્ર યુપીમાં 34 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. સોમવારે એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હોવાથી વીજળી પડવાથી, ડૂબી જવાથી અને અન્ય કારણોસર આ મૃત્યુ થયા હતા. રાજ્ય રાહત કમિશનર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વીજળી પડવાથી 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં, 12 લોકો ડૂબી ગયા હતા અને પાંચ લોકોનાં મોત વરસાદને કારણે થયાં હતાં.
#WATCH | Himachal Pradesh: Mandi's Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas river following incessant heavy rainfall. pic.twitter.com/sk7wjpbnah
— ANI (@ANI) July 10, 2023
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ મૃતકોના પરિવારજનોને અનુમતિપાત્ર રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરે. તેમણે ઇજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાની સૂચના પણ આપી છે.
જાનહાનિ અત્યંત દુ:ખદ છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલી જાનહાનિથી તેઓ દુ:ખી છે અને તમામ પક્ષના કાર્યકરોને રાહત પગલાંમાં મદદ કરવા વિનંતી કરી હતી. તેમણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થવાની આશા વ્યક્ત કરી હતી.
દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રને મુશળધાર વરસાદથી પ્રભાવિત રાજ્યો માટે પીએમ કેર્સ ફંડમાંથી વધારાની રાહત ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ સોમવારે (10 જુલાઈ) પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયાથી ભારેથી અતિ ભારે વરસાદની વરસાદની આગાહી કરી છે. આઇએમડી દ્વારા તાજેતરની આગાહી મુજબ પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ચંદીગઢમાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં 302.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે શહેર માટે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. ચંદીગઢ વેધશાળાની સ્થાપના 2009માં કરવામાં આવી હતી અને તે પહેલાંના આંકડા ચંદીગઢ એરફોર્સ વેધશાળામાંથી લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એરફોર્સ વેધશાળામાં પણ મહત્તમ વરસાદ 286.0 મીમી સુધી પહોંચ્યો છે. જોકે આ વખતે 302.0 મીમી વરસાદ પડ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us