છેલ્લી ઘડીએ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું? ટેક્સ સેવિંગ અને વળતર માટે અહીં કરો રોકાણ

Tax Saving Investment Options List : ટેક્સ સેવિંગ એ ટેક્સ પ્લાનિંગનો એક હિસ્સો છે. નાણાંકીય વર્ષના છેલ્લા મહિનામાં કર બચતની સાથે ઉંચું રિટર્ન મળે તેવા ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પની અહીંયા એક સંપૂર્ણ યાદી આપી છે.

Written by Ajay Saroya
March 01, 2024 18:37 IST
છેલ્લી ઘડીએ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું? ટેક્સ સેવિંગ અને વળતર માટે અહીં કરો રોકાણ
Tax Planning : ટેક્સ સેવિંગ એ ટેક્સ પ્લાનિંગનો એક હિસ્સો છે. (Photo - Freepik)

Tax Saving Investment Options List : ટેક્સ પ્લાનિંગ એ નાણાંકીય આયોજનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે ટેક્સ પ્લાનિંગ કરવા અને પછી પસંદ કરેલા વિકલ્પોમાં નાણાંનું રોકાણ કરવા માટે હવે બહુ ઓછા દિવસ છે. જો તમે તમારા રોકાણ પર કર મુક્તિ મેળવવા માંગો છો, તો કોઈ પણ સંજોગોમાં તમારે 31 માર્ચ, 2024 ના રોજ અથવા તે પહેલાં રોકાણ કરવું પડશે. આને આપણે છેલ્લી ઘડીનું ટેક્સ પ્લાનિંગ કહી શકીએ. આ અગત્યનું કામ કરવામાં તમારા માટે મોડું થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે ઉતાવળમાં ક્યાંય પણ પૈસાનું રોકાણ કરવું જોઈએ, કારણ કે એવી સ્કીમમાં જ રોકાણ કરવું જોઇએ જેમાં ટેક્સ છૂટ મળે છે.

ટેક્સ પ્લાનિંગ હેઠળ લેવાયેલા રોકાણના નિર્ણયો હંમેશા તમારી મૂડીની સંભવિત વૃદ્ધિ અને સરેરાશ વળતરને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ. જો તમે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની સંપૂર્ણ રોકાણ મર્યાદાનો ઉપયોગ કરવા માંગો છો, તો આ એક મોટી રકમ છે. કેટલીક અન્ય જોગવાઈઓ હેઠળ, તમે કર મુક્તિ માટે આનાથી વધુ રકમનું રોકાણ પણ કરી શકો છો. સ્વાભાવિક છે કે આટલા પૈસા રોકાણ કરવાનો નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો જોઈએ. અહીં અમે તમને આવા જ કેટલાક વિકલ્પો (Tax Saving Investments) વિશે જણાવીશું, જેમાં ટેક્સ પ્લાનિંગના દૃષ્ટિકોણથી રોકાણ એક સમજદાર નિર્ણય સાબિત થઈ શકે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSS એ ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે, જેના દ્વારા ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે. આંકડા દર્શાવે છે કે જો તમે ઓછામાં ઓછા 5 વર્ષ માટે આમાં રોકાણ કરો છો, તો તમે ટેક્સ બચાવવા સાથે વધુ સારું વળતર મેળવી શકો છો. જો કે કર બચતના સંદર્ભમાં ELSSનો લોક-ઇન સમયગાળો ફક્ત 3 વર્ષનો છે, પરંતુ જો તમે ઇક્વિટી દ્વારા વધુ સારું વળતર મેળવવા માંગતા હો, તો તમારે તમારા રોકાણને વધુ સમય આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને એનએસસી

ઘણા રોકાણકારો ELSSમાં રોકાણ કરવાનું પસંદ કરતા નથી કારણ કે ઇક્વિટીમાં નાણાંનું રોકાણ કરવામાં થોડું જોખમ રહેલું છે. અથવા તમે તમારા રોકાણનો એક ભાગ ELSS માં રોકાણ કરવા અને પછી બાકીની રકમ નિશ્ચિત આવકના વિકલ્પોમાં રોકાણ કરવા માગી શકો છો. આવા રોકાણકારો માટે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) ખૂબ સલામત અને વધુ સારા વિકલ્પો સાબિત થઈ શકે છે. તેમ છતાં તેમાં વળતર ELSS કરતા ઘણું ઓછું છે, તે મૂડી અને વળતરની સુરક્ષાની દ્રષ્ટિએ રોકાણનો વધુ સારો વિકલ્પ છે. પોર્ટફોલિયોને સ્થિરતા આપવા માટે, તેનો એક ભાગ NSC અને PPFમાં રાખવો એ વધુ સારી વ્યૂહરચના બની શકે છે.

Tax Saving Tips, Tax Saving Investment Options, Income Tax Act, Section 80C deduction
Tax Saving : કરદાતા આવકવેરા કાયદાની કલમ 80સી વડે કર બચત કરી શકે છે. (Photo – Freepik)

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS – ટિયર I) કર બચતના વિકલ્પોમાંથી એક છે. સૌથી મહત્વની બાબત એ છે કે જો આ વર્ષે તમે કર બચત રોકાણની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની મહત્તમ મર્યાદા પૂર્ણ કરી લીધી હોય તો પણ તમે NPSમાં વધારાના રૂ. 50 હજારનું રોકાણ કરીને વધારાનું ટેક્સ સેવિંગ કરી શકો છો. મતલબ કે આનો ઉપયોગ કરીને તમારું ટેક્સ સેવિંગ રોકાણ રૂ. 1.5 લાખને બદલે રૂ. 2 લાખ થઈ શકે છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)

સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) એ પણ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટેક્સ બચાવવાનો એક સારો વિકલ્પ છે. હાલમાં તેમાં 8.2 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જે નિશ્ચિત વળતર સાથેની મોટાભાગની કર બચત યોજનાઓ કરતાં વધું છે. મૂડી અને વળતર પર સરકારની ગેરંટી હોવાને કારણે, તે સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ પણ છે. જો કે આમાં મળતું વ્યાજ કરપાત્ર છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોને નાણાકીય વર્ષ દરમિયાન 50 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ મળે છે. આ યોજનામાં મહત્તમ રોકાણ મર્યાદા 30 લાખ રૂપિયા છે. આ યોજનામાં વૃદ્ધ પતિ-પત્ની મળીને કુલ 60 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

saving tips | post office small saving scheme | small saving tips | small saving scheme | fixed deposit rates
Saving Tips : બચત કરવું જરૂરી છે. (Photo – Freepik)

સંતુલિત પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો

રોકાણ કરવાનો નિર્ણય કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌ પ્રથમ, જો તમે તમારા પોર્ટફોલિયોમાં PPF, NSC, અને SCSS જેવા ફિક્સ્ડ રિટર્ન રોકાણોનો સમાવેશ કરો છો, તો ફુગાવા માટે એડજસ્ટ કર્યા પછી વળતરનો સરેરાશ દર ઘણો ઓછો હશે, જે નિવૃત્તિ પછી તમારી આવકને અસર કરી શકે છે. જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું નથી.

આ પણ વાંચો | શેર બજારમાં પ્રી ઇલેક્શન રેલી, સ્ટોકમાં 3 મહિનામાં 146 ટકા સુધી ઉછાળો, યાદી જુઓ પછી રોકાણ કરો

તેથી, તમારે ELSS જેવી યોજના પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે, એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈપણ ઈક્વિટી લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટમાં થોડું જોખમ હોય છે, તેથી રોકાણ કરવાનું નક્કી કરતા પહેલા, તમારે તમારી રિસ્ક પ્રોફાઇલને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે તમારી રિસ્ક પ્રોફાઇલ મુજબ નિશ્ચિત વળતર અને બજાર આધારિત બંને વિકલ્પોને સમાવેશ કરીને સંતુલિત પોર્ટફોલિયો બનાવવાનો પ્રયાસ કરો તો તે વધુ સારું રહેશે. જો જરૂરી પડે તો તમારે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવી જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ