મોબાઇલ બેટરી સાથે જોડાયેલી 5 ખોટી માન્યતાઓ, જાણો શું છે હકીકત

Technology News : સ્માર્ટફોનની બેટરી સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તેમાં સૌથી પ્રખ્યાત છે કે બેટરી વધારે ચાર્જ કરવાથી નુકસાન પહોચી શકે છે. આવી જ 5 માન્યતાઓ અને તેની હકીકત શું છે તેના વિશે અહીં જાણીએ

Written by Ashish Goyal
Updated : June 24, 2025 20:09 IST
મોબાઇલ બેટરી સાથે જોડાયેલી 5 ખોટી માન્યતાઓ, જાણો શું છે હકીકત
મોબાઇલ બેટરી સાથે કેટલીક ખોટી માન્યતાઓ જોડાયેલી છે (Image Source: Microsoft Designer/AI)

Technology News : સ્માર્ટફોન આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની રહ્યો છે. તમે તમારા ડિવાઇસની બેટરી સારી રીતે ચાલે તે માટે પ્રયત્ન કરો છો. ઇન્ટરનેટ પર બેટરી બચત ટીપ્સની કોઈ કમી નથી. બેટરી બચાવવાને લઇને કેટલીક માન્યતાઓ પણ છે. જોકે તેમાંથી ઘણી તદ્દન જૂની છે અને આધુનિક ડિવાઇસો પર લાગુ પડતી નથી. બેકગ્રાઉન્ડ એપ્લિકેશન્સથી લઈને તમારા ફોનને રાતોરાત ચાર્જ કરવા સુધી. અહીં અમે બેટરીની કેટલીક સૌથી સામાન્ય માન્યતાઓની હકીકત જણાવી રહ્યા છીએ.

બેકગ્રાઉન્ડ એપ્લિકેશન સાફ કરવાથી બેટરી બચે છે

બેટરીને લગતી સૌથી સામાન્ય માન્યતા એ છે કે તમે તમારા ફોન પર જેટલી વધુ એપ્લિકેશન્સ ખોલશો તેટલી જ તે વધુ બેટરીનો વપરાશ કરશે. એક દાયકાથી વધુ જૂના ફોન માટે આ વાત સાચી હોઈ શકે છે. પરંતુ એન્ડ્રોઇડ અને આઇઓએસના આધુનિક વર્ઝન એપ્લિકેશન્સ જ્યારે બેકગ્રાઉન્ડમાં હોય ત્યારે આપમેળે જ તેને અટકાવી દે છે.

આ બાબતની હકીકત એ છે કે જો તમે તમારી ખુલેલી એપ્લિકેશનોને વારંવાર સાફ કરો છો તો તમારો ફોન વધુ બેટરીનો વપરાશ કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે તમે ખોલશો તો તે મેમરીમાંથી તે એપ્સને દૂર કરવી પડશે અને સ્ટોરેજમાંથી ફરીથી લોંચ કરવી પડશે. જો તમે વિચારતા હોવ તો તમારે તમારી એપ્લિકેશનો ત્યારે જ બંધ કરવી જોઈએ, જ્યારે તે પ્રતિસાદ ન આપતી હોય અથવા જો તમે થોડા સમય માટે તેનો ઉપયોગ કરવાના ન હોવ તો.

બેટરી વધારે ચાર્જ કરવાથી નુકસાન પહોચી શકે છે

બેટરી-બચતની અન્ય એક સામાન્ય માન્યતા છે જે તમારે દૂર કરવી જોઈએ તે એ છે કે તમારા ફોનને વધુ પડતો ચાર્જ કરવાથી બેટરી પર ખરાબ અસર પડી શકે છે. જોકે કેટલીક બેટરી સાથે જોડાયેલી માન્યતાઓથી વિપરીત છે, આમાં કેટલાક કાયદેસર સ્ત્રોત છે.

લિથિયમ-આયન બેટરીના દિવસોમાં ડિવાઇસને લાંબા સમય સુધી ચાર્જ પર રાખવામાં આવે ત્યારે તે વધુ પડતી ગરમ થઈ જતી હતી જેનાથી બેટરીની લાઇફ ઓછી થઇ જતી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં લોન્ચ કરવામાં આવેલા મોટાભાગના આધુનિક સ્માર્ટફોનમાં વધુ પડતા ચાર્જિંગથી થતા નુકસાનને રોકવા માટે બિલ્ટ-ઇન મિકેનિઝમ હોય છે.

જેમ જેમ તમારો ફોન તેની સંપૂર્ણ બેટરી ક્ષમતાની નજીક આવી જાય છે, તેમ તેમ તે ટ્રીકલ ચાર્જિંગ તરફ વળે છે, જે એક એવી પદ્ધતિ છે જે બેટરીને ધીમી ગતિએ ચાર્જ કરે છે. આ જ કારણ છે કે તમે ઘણીવાર જોશો કે જ્યારે ફોન 100 ટકા સુધી પહોંચવાનો હોય ત્યારે ફોન ખૂબ જ ધીમેથી ચાર્જ થાય છે.

થર્ડ પાર્ટી ચાર્જરનો ઉપયોગ કરવાથી બેટરીને નુકસાન થાય છે

આપણામાંના મોટા ભાગના લોકો બોક્સમાં આવતા ચાર્જરથી આપણા ફોનને ચાર્જ કરે છે, કારણ કે સ્માર્ટફોન ઉત્પાદકો દાવો કરે છે કે થર્ડ પાર્ટી અથવા અનઓફિશિયલ પાવર બ્રિકથી ફોન ચાર્જિંગ કરવાથી બેટરીને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો – ટાટાની આ નવી ઇલેક્ટ્રીક કારને મળી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, રેન્જ 600 કિમીથી વધારે, જાણો કિંમત અને ફિચર્સ

કેટલાક સ્માર્ટફોન માલિકાના ચાર્જિંગ ધોરણો સાથે આવે છે, એપલ આઇફોન 15, ગૂગલ પિક્સલ 9, સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સહિત ઘણા એવા ફોન છે જે USB Power Delivery PPS જેવા માનકોને સપોર્ટ કરે છે. આનો અર્થ એ છે કે તમારે જલ્દીથી જલદી ચાર્જ કરવા માટે તમારે સત્તાવાર ચાર્જર ખરીદવાની જરૂર નથી. ફક્ત એ સુનિશ્ચિત કરો કે થર્ડ પાર્ટી ચાર્જર ખરીદતી વખતે તમે પ્રતિષ્ઠિત બ્રાન્ડને વળગી રહો.

વાઇ-ફાઇ અને બ્લુટુથ સક્રિય રાખવાથી બેટરી ઓછી થઇ જાય

બીજી એક માન્યતા એ છે કે જે વર્ષોથી ચાલી રહી છે તે એ છે કે તમારા ફોનના વાઇ-ફાઇ અને બ્લૂટૂથ સક્ષમ રાખવાથી તમારા સ્માર્ટફોનની બેટરી ઓછી થઇ જાય છે. એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં આ વાત સાચી હતી, પરંતુ એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ટેકનોલોજી અને ઓપ્ટિમાઇઝેશનમાં પ્રગતિ સાથે હવે એવું રહ્યું નથી.

આ ફિકવન્સીને નિષ્ક્રિય કરવાથી તમને થોડી મિનિટોનો સ્ક્રીન ટાઇમ મેળવવામાં મદદ મળી શકે છે, પરંતુ તફાવત તદ્દન નજીવો છે. જો તમારી પાસે ચાર્જર હોય અથવા દિવસના અંતે તમે તમારો ફોન ચાર્જ કરી શકો તો અમે તમને આ સેવાઓ ચાલુ રાખવાની સલાહ આપીએ છીએ.

ચાર્જિંગ પહેલાં તમારે બેટરીને શૂન્ય પર લઇ જવી જાઇએ

બેટરીની આ માન્યતા તદ્દન ખોટી છે. હકીકતમાં જ્યારે પણ શક્ય હોય ત્યારે તમારે તમારા ફોનને શૂન્ય ટકા પર લઇ જવાથી બચવું જોઈએ, કારણ કે તેને ફરીથી ચાર્જ કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડશે. જોકે આ મિથકનો કંઈક આધાર છે. નિકલ-કેડમિયમ જેવી જૂની બેટરી તકનીકો ઘણી વખત પોતાની સંપૂર્ણ ક્ષમતાને ‘ભૂલી’ જાય છે, જો તેને શૂન્ય ટકા સુધી ન લઇ જવામાં આવે તો, પરંતુ આ લિથિયમ-આયનને લાગુ પડતી નથી. જો તમારી પાસે એવો ફોન છે જે 2010ના દાયકામાં લોન્ચ થયો હતો, તો તેમાં મોટાભાગે લિથિયમ-આયન બેટરી હોવાની શક્યતા છે.

જો તમે તમારા સ્માર્ટફોનની બેટરીનો મહત્તમ લાભ લેવા માંગતા હોવ તો નિષ્ણાતો સલાહ આપે છે કે તમે તેને 20 ટકાથી નીચે જવા દેવાનું ટાળો. જોકે ટૂંકા ગાળામાં તેની અસર તદ્દન અસ્પષ્ટ છે, કારણ કે મોટાભાગના આધુનિક ફોન્સ વર્ષોના ભારે ઉપયોગ પછી પણ તેમની મૂળ ક્ષમતાના ઓછામાં ઓછા 80 ટકા હિસ્સો જાળવી રાખે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ