Adani Coal Imports Case: ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, અદાણી ગ્રૂપ સામે કોલસાની આયાતના કેસની તપાસ ફરી શરૂ કરવા ડીઆરઆઈની અરજી

Adani Group Coal Imports Case By DRI : ડીઆરઆઈએ અદાણી ગ્રૂપ દ્વારા ઊંચા ભાવ કોલસાની આયાત કરવાના કેસની તપાસ ફરી શરૂ કરવા મંજૂરી માંગી છે. અદાણી ગ્રૂપ વિરુદ્ધ આ કેસની ચાર વર્ષમાં પાંચ વખત સુનાવણી થઈ છે

Written by Ajay Saroya
November 18, 2023 07:57 IST
Adani Coal Imports Case: ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, અદાણી ગ્રૂપ સામે કોલસાની આયાતના કેસની તપાસ ફરી શરૂ કરવા ડીઆરઆઈની અરજી
અદાણી ગ્રૂપ એ ગૌતમ અદાણીની માલિકીનું ઉદ્યોગ સમૂહ છે. (Express Photo)

Adani Coal Imports Case By DRI : ગૌતમ અદાણી સામે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ કોલસાની આયાતના કથિત ઓવરવેલ્યુએશન એટલે કે વધારે મૂલ્ય દર્શાવવા બદલ અદાણી ગ્રૂપની તપાસ ફરી શરૂ કરવા મંજૂરી માંગી છે. તપાસ એજન્સીએ સિંગાપોરમાં કેસને લગતા કેટલાક પુરાવા એકઠાં કરવાની મંજૂરી મેળવવા માટે રોજેટરી લેટર ઈશ્યૂ કરવા મુંબઇ કોર્ટમાં અરજી કરી છે. રોગેટરી લેટર એ વિદેશી એન્ટિટી સાથે સંકળાયેલી તપાસ દરમિયાન ન્યાયિક સહાય મેળવવાની ઔપચારિક વિનંતી છે.

આ સોગંદનામું 10 ઑક્ટોબરના રોજ દાખલ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તે જ દિવસે સુપ્રીમ કોર્ટે હૈદરાબાદના એક ઝવેરી દ્વારા ડ્યુટી-ફ્રી સોનાની કથિત દાણચોરી સંબંધિત અન્ય કેસ સાથે આ બાબતને જોડી દીધી હતી.

adani group gautam adani
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

તેણે નવેમ્બર 2019માં હતું કે ડીઆરઆઈએ અદાણી જૂથની તરફેણમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ કેસની ચાર વર્ષમાં પાંચ વખત સુનાવણી થઈ છે અને હજુ અંતિમ દલીલોના તબક્કા સુધી પહોંચી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ડીઆરઆઈ 2016થી સિંગાપોરના સત્તાવાળાઓ પાસેથી અદાણીના ટ્રાન્ઝેક્શન સંબંધિત દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ડીઆરઆઈને શંકા છે કે ઇન્ડોનેશિયન સપ્લાયર્સ પાસેથી આયાત કરાયેલા જૂથના કોલસાના શિપમેન્ટને પહેલા તેના સિંગાપોર યુનિટ, અદાણી ગ્લોબલ પીટીઈને અને પછી તેની ભારતીય શાખાઓને કાગળ પર ઉંચા ભાવે બીલ આપવામાં આવ્યા હતા.

ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઈઝીસ અને તેની પેટાકંપનીઓએ દસ્તાવેજો જાહેર થતા અટકાવવા માટે ભારત અને સિંગાપોરમાં વારંવાર કાયદાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે. ઑક્ટોબર 9 ના રોજ કાનૂની ફાઇલિંગમાં, ડીઆરઆઈએ સુપ્રીમ કોર્ટને નીચલી અદાલતના અગાઉના આદેશને રદ કરવા જણાવ્યું હતું જેણે અદાણી ગ્રૂપની કંપનીને સિંગાપોરથી પુરાવા એકત્રિત કરતા સત્તાવાળાઓને રોકવાની મંજૂરી આપી હતી.

જો કે અદાણી જૂથે તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા નથી. અદાણી ગ્રૂપનું કહેવું છે કે ભારતીય સત્તાવાળાઓએ બંદરો પરથી કોલસો રિલિઝ પહેલા તેના કોલસાના શિપમેન્ટનું મૂલ્યાંકન કર્યું હતું.

રિપોર્ટ અનુસાર, ડીઆરઆઈ એ 2014માં અદાણીની આયાતની તપાસ શરૂ કરી હતી, જે 40 કંપનીઓની વ્યાપક તપાસનો ભાગ હતો. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડોનેશિયન કોલસાની આયાત કરતી કંપનીઓ સિંગાપોર અને અન્ય સ્થળોએ વચેટિયાઓ દ્વારા મોકલવામાં આવેલા શિપમેન્ટ બિલ બતાવીને ડિલિવરી માટે ઓવર-ઇન્વોઇસિંગ કરતી હતી.

આ પણ વાંચો | વેઇટિંગ ટિકિટની ઝંઝટનો અંત આવ્યો! હવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળશે, દોડશે 3000 નવી ટ્રેનો, જાણો શું છે પ્લાન

ભારતીય સત્તાવાળાઓએ અદાણી ગ્રુપની કંપનીઓ સાથે સંબંધિત 1,300 શિપમેન્ટની સમીક્ષા કરી છે. કોર્ટમાં કરેલી રજૂઆતમાં તેણે આરોપ લગાવ્યો છે કે કોલસાની આયાત કિંમત ઈન્ડોનેશિયાથી નિકાસ કિંમત કરતા ઘણી વધારે છે. જેથી દેશમાં વીજળીના ઊંચા ભાવ વસૂલી શકાય. ડીઆરઆઈએ દાવો કર્યો હતો કે આ રકમ અબજો રૂપિયાની હોઈ શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સિંગાપોરના અધિકારીઓ પાસેથી તપાસકર્તાઓ જે પુરાવા માંગી રહ્યા છે તેમાં 20 બેંકો સાથે અદાણીના વ્યવહારોના દસ્તાવેજોનો સમાવેશ થાય છે, જે આ કેસમાં નાણાકીય ગરેરીતિ સાબિત કરવામાં મદદ કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ