Today History 2 December: આજે 2 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભોપાલ ગેસ દુર્ઘટનાને 39 વર્ષ થયા છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાજંલી આપવા હેતુ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવાય છે. વર્ષ 1984માં 2 ડિસેમ્બરની રાત્રે ભોપાલની યુનિયન કાર્બાઈડના કેમિકલ પ્લાન્ટમાંથી અન્ય રસાયણો સાથે મિથાઈલ આઈસોસાયનેટ (MIC) તરીકે ઓળખાતો ઝેરી ગેસ લીકેજ થયો. આ ઝેરી ગેસ લીકેજ થવાથી દુર્ઘટનામાં હજારો લોકોના મોત થયા હતા. ભોપાલ ગેસ કાંડને સમગ્ર દુનિયાના ઈતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણની આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આજે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથા નાબૂદી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
2 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2006 – ફિલિપાઈન્સમાં જ્વાળામુખીના કાટમાળને કારણે 208 લોકોના મોત અને 261 લોકો ઘાયલ થયા.
- 2005 – પાકિસ્તાન સરકારે ધાર્મિક દ્વેષ ફેલાવતા અને આતંકવાદને પ્રેરિત કરતી મદરેસાઓ દ્વારા શિક્ષણ અને સાહિત્યના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો ઘડ્યો.
- 2003 – હેગ સ્થિત યુનાઈટેડ નેશન્સ વોર ક્રાઈમ્સ કોર્ટે ભૂતપૂર્વ બોસ્નિયન સર્બ લશ્કરી કમાન્ડર મોમીર નિકોલિકને 1995 ના Srbenica હત્યાકાંડ માટે દોષી ઠેરવ્યો અને તેને 27 વર્ષની જેલની સજા ફટકારી.
- 2002 – પેસિફિક મહાસાગરમાં બોરા-બોરા ટાપુમાં સળગતા પેસેન્જર જહાજ ‘વિડસ્ટાર’માંથી 219 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા.
- 1999 – ભારતમાં વીમા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના રોકાણને મંજૂરી આપવામાં આવી.
- 1995 – બેરિંગ્સ બેંક કૌભાંડના પ્રખ્યાત વ્યક્તિ નિક લીસનને સિંગાપોરની કોર્ટે સાડા છ વર્ષની જેલની સજા ફટકારી હતી.
- 1989 – વિશ્વનાથ પ્રતાપ સિંહ દેશના સાતમા વડાપ્રધાન બન્યા.
- 1982 – સ્પેનની પ્રથમ સંસદમાં સમાજવાદી બહુમતી અને ફેલિપ ગોન્ઝાલેઝ વડા પ્રધાન તરીકે ચૂંટાયા.
- 1976 – ફિડેલ કાસ્ટ્રો ક્યુબાના રાષ્ટ્રપતિ બન્યા.
- 1971 – સંયુક્ત આરબ અમીરાતે બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરી.
- 1942 – પોંડિચેરીમાં શ્રી અરબિંદો આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી શ્રી અરબિંદો આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર તરીકે જાણીતી થઈ.
- 1911 – જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરી ભારતની મુલાકાત લેનાર બ્રિટનના પ્રથમ રાજા અને રાણી બન્યા. બોમ્બે (હવે મુંબઈ) તેમના આગમનની યાદમાં ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
- 1848 – ફ્રાન્સના જોસેફ પ્રથમ ઑસ્ટ્રિયાના સમ્રાટ બન્યા.
- 1804 – નેપોલિયન બોનાપાર્ટને ફ્રાન્સના સમ્રાટ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો.
- આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથા નાબૂદી દિવસ
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ/ભોપાલ ગેસ કાંડ (National Pollution Control Day/Bhopal Gas Tragedy)
ભારતમાં દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોપાલ ગેસ કાંડના મૃતકોના શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટના વર્ષ 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાત્રે શહેરમાં આવેલી યુનિયન કાર્બાઈડના કેમિકલ પ્લાન્ટમાંથી અન્ય રસાયણો સાથે મિથાઈલ આઈસોસાયનેટ (MIC) તરીકે ઓળખાતા ઝેરી રસાયણના લીકેજને કારણે થઈ હતી. અહેવાલો અનુસાર કંપનીમાંથી ઝેરી ગેસના લીકેજને કારણે 5,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે પાછળથી મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લગભગ 3,787 લોકો મૃત્યુ પામ્યા હતા. શરૂઆતના 72 કલાકમાં આશરે 8,000-10,000 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાછળથી ગેસ દુર્ઘટના સંબંધિત રોગોને કારણે લગભગ 25,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ભોપાલ ગેસ કાંડને સમગ્ર દુનિયાના ઈતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણની આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો | 30 નવેમ્બરનો ઇતિહાસ : સેન્ટ એન્ડ્રુ ડે કોની યાદમાં ઉજવાય છે? ભારતમાં ઢીંગલીનું સંગ્રહાલય ક્યા ખુલ્યુ હતું?
આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથા નાબૂદી દિવસ (International Day for the Abolition of Slavery)
આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથા નાબૂદી દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાંથી ગુલામી પ્રથાનો અંત લાવવાનો છે. દુનિયાના મોટાભાગના દેશોમાં પ્રાચીન સમયથી ગુલામી પ્રથા પ્રચલિત છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ માનવ તસ્કરી અને વેશ્યાવૃત્તિને રોકવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો અને ત્યારબાદ આ દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો | 29 નવેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, દુનિયાના કેટલા દેશોમાં ચિત્તા જોવા મળે છે?
2 ડિસેમ્બરની જન્મજયંતિ
- ફૈઝલ અલી ડાર (1988) – માર્શલ આર્ટ પ્રશિક્ષક.
- શિવ અય્યાદુરાઈ (1963) – પ્રખ્યાત ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક.
- જગત પ્રકાશ નડ્ડા (1960) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- ઓમ પ્રકાશ રાવત (1953) – ભારતના 22મા મુખ્ય ચૂંટણી કમિશનર.
- અચલા નગર (1939) – ફિલ્મ પટકથા લેખક
- મનોહર જોશી (1937) – ભારતના રાજકારણી, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ
- બી. નાગી રેડ્ડી (1912) – દક્ષિણ ભારતીય સિનેમાના નિર્માતા-નિર્દેશક
- પીતામ્બર દત્ત બડથ્વાલ (1901) – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર અને વિદ્વાન આચાર્ય રામચંદ્ર શુક્લના સહયોગી.
- બાબા રાઘવદાસ (1886) – ઉત્તર પ્રદેશના જાહેર સેવક અને સંત હતા.
- એન.જી. ચંદાવરકર (1855) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.
આ પણ વાંચો | 28 નવેમ્બરનો ઇતિહાસ : બ્રહ્માંડના ક્યા ગ્રહનો રંગ લાલ છે? રેડ પ્લાનેટ ડે કેમ ઉજવાય છે?
2 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- દેવેન વર્મા (2014) – હિન્દી સિનેમાના હાસ્ય કલાકાર.
- પ્રીતિ ગાંગુલી (2012) – હિન્દી સિનેમાના કલાકાર.
- મેરી ચેન્ના રેડ્ડી (1996) – પ્રાંતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી અને P.C.C. 30 વર્ષથી કાર્યકારી સમિતિના સભ્ય.
- ક્લિમેન્ટ વોરોશીલોવ (1969) – સોવિયત સંઘના પ્રમુખ હતા.
- ગુરુદાસ બેનર્જી (1918) – ભારતના શિક્ષણશાસ્ત્રી.
આ પણ વાંચો | 27 નવેમ્બરનો ઇતિહાસ : ગુરુનાનક જંયતિ; નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના કેમ કરવામાં આવી? મધુશાલાાના લેખક કોણ છે?