આજનો ઇતિહાસ 24 ફેબ્રુઆરી : સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ કેમ ઉજવાય છે? દુનિયાના પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે થયું હતુ?

Today History 24 February : આજે 24 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ ઉજવાય છે. આજના દિવસે અમદાવાદના કાલુપુરમાં દુનિયાના પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 24, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 24 ફેબ્રુઆરી : સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ કેમ ઉજવાય છે? દુનિયાના પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે થયું હતુ?
સેન્ટ્રલ એક્સાઇઝનો લોગો અને કાલુપુર સ્વામીનારાયણ મંદિર (Photo - Social Media)

Today History 24 February : આજે તારીખ 24 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે,જે દેશમાં 24 ફેબ્રુઆરી, 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે. વર્ષ 1822માં આજના દિવસે અમદાવાદના કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, જે સ્વામીનારાયણ સંપ્રદાયનું દુનિયાનું પ્રથમ મંદિર છે. વર્ષ 2008માં મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો હતો.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિની વાત કરીયે તો આજે તમિલનાડુના સ્વર્ગીય મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષના લોકપ્રિય નેતા જયલલિતાનો વર્ષ 1948માં તેમજ પ્રખ્યાત અરબ પ્રવાસ અને વિદ્વાન- લેખક ઇબન બતૂતાનો વર્ષ 1304માં જન્મ થયો હતો. આજે હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી, ફિલ્મ કલાકાર લલિતા પવાર અને હૈદારબાદના અંતિમ નિઝામ ઉસ્માન અલીનું અવસાન થયુ હતું. જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

24 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1739 – કરનાલના યુદ્ધમાં તુર્કના નાદિરશાહે મુઘલ સમ્રાટ આલમની ભારતીય સેનાને હરાવી.
  • 1821 – મેક્સિકો એ સ્પેન પાસેથી આઝાદી મેળવી.
  • 1822 – અમદાવાદમાં દુનિયાના પ્રથમ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું.
  • 1882 – આજના દિવસે ચેપી રોગ ટીબીની ઓળખ કરવામાં આવી હતી.
  • 1894 – નિકારાગુઆ એ હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પા પર કબજો કર્યો.
  • 1895 – ક્યુબામાં આઝાદીની લડાઈ શરૂ થઈ.
  • 1976 – આર્જેન્ટિનામાં સેનાના પ્રમુખો દ્વારા બળજબરીથી સત્તા પર કબજો, રાષ્ટ્રપતિ શ્રીમતી પેરેનની ધરપકડ કરવામાં આવી અને સંસદ ભંગ કરવામાં આવી.
  • 2001 – પાકિસ્તાન ભારત સાથે પરમાણુ નિવારણની માટે મંત્રણા કરવા માટે તૈયાર.
  • 2003 – ચીનના જિજિયાંગ પ્રાંતમાં ભયંકર ભૂકંપને કારણે 257 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 2004 – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મિખાઇલ કાસ્યાનોવને તેમના પદ પરથી હટાવ્યા.
  • 2006 – ફિલિપાઇન્સમાં સત્તાપલટના પ્રયાસ બાદ કટોકટી લાગુ કરવામાં આવી.
  • 2008 – મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો.
  • 2013 – રાઉલ કાસ્ટ્રો બીજા કાર્યકાળ માટે ક્યુબાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

આ પણ વાંચો | 23 ફેબ્રુઆરીનો ઇતિહાસ : કર્મચારી ભવિષ્ય નિધિ કાયદો બન્યો, ક્રાંતિકારી સરદાર અજીત સિંહનો જન્મદિન

24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day)

ભારતમાં દર વર્ષે 24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અર્થતંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના યોગદાનને સન્માનવાનો છે. આ ઉપરાંત સંસ્થાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મહેનતને સન્માનિત કરવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વર્ષ 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો |  22 ફેબ્રુઆરીનો ઇતિહાસ : કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ

24 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મૌઉમા દાસ (1984) – ભારતની ટેબલ ટેનિસ ખેલાડી.
  • બાબર (1483) – પ્રથમ મુઘલ શાસક.
  • શારદા મુખર્જી (1919) – ભારતના રાજકારણી હતા.
  • તલત મેહમૂદ (1924) – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક અને અભિનેતા.
  • જોય મુખર્જી (1939) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા નિર્દેશક.
  • જયલલિતા (1948) – તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષના લોકપ્રિય નેતા હતા.
  • ઇબન બતૂતા (1304) – પ્રખ્યાત આરબ પ્રવાસી, વિદ્વાન અને લેખક.

આ પણ વાંચો | 21 ફેબ્રુઆરીનો ઇતિહાસ : વિશ્વ માતૃભાષા દિવસ, સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સરદૂલ સિકંદર (2021) – પંજાબી ભાષાના લોક અને પોપ સંગીત સાથે સંકળાયેલા પ્રખ્યાત ગાયક અને અભિનેતા હતા.
  • શ્રીદેવી (2018) – બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી.
  • લલિતા પવાર (1998) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત કલાકાર.
  • રુક્મિણી દેવી અરુંડેલ (1986) – ભરતનાટ્યમના પ્રખ્યાત ડાન્સર હતા.
  • ઓસ્માન અલી (1967) – હૈદરાબાદના છેલ્લા નિઝામ
  • અનંત પાઈ (2011)- ભારતીય શિક્ષણશાસ્ત્રી, અમર ચિત્રકથાના સ્થાપક હતા.

આ પણ વાંચો | 20 ફેબ્રુઆરીનો ઇતિહાસ : અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ