આજનો ઇતિહાસ 25 ઓક્ટોબર : ભારતમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઇ હતી; વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ કેમ ઉજવાય છે?

Today History 25 October : આજે 25 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1951માં આજની તારીખે ભારતમાં પહેલીવાર સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. આજે આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ, વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : October 25, 2023 22:51 IST
આજનો ઇતિહાસ 25 ઓક્ટોબર : ભારતમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઇ હતી; વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ કેમ ઉજવાય છે?
આઝાદી બાદ ભારતમાં 25 ઓક્ટોબર, 1951માં પહેલીવાર સામાન્ય ચૂંટણીની શરૂઆત થઇ હતી. (Photo - Canva)

Today history 25 October : આજે 25 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ, વર્લ્ડ ઓપેરા ડે અને વિશ્વ પાસ્તા દિવસ છે. વર્ષ 1951માં આજની તારીખે ભારતમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીની શરૂઆત થઇ હતી, જે 21મી ફેબ્રુઆરી 1952 સુધી ચાલી હતી. બ્રિટિશરોએ વર્ષ 1924માં સુભાષ ચંદ્ર બોઝની ધરપકડ કરી અને તેમને 2 વર્ષ માટે જેલમાં મોકલી દીધા હતા. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઇ ઓઝા, સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોની જન્મતિથિ છે. તો સ્વાધ્યાય પરિવારના સ્થાપક અને સમાજ સુધારક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટી અને પ્રખ્યાત કવિ સાહિર લુધિયાનવીની આજે પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

25 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1415 – ઈંગ્લેન્ડે ઉત્તરી ફ્રાન્સમાં એજિનકોર્ટનું યુદ્ધ જીત્યું.
  • 1812 – યુદ્ધ દરમિયાન અમેરિકન ફ્રિગેટ યુનાઇટેડ સ્ટેટ્સે બ્રિટિશ જહાજ મેસેડોનિયા પર કબજો કર્યો.
  • 1917 – બોલ્શેવિક્સ (સામ્યવાદીઓ) વ્લાદિમીર ઇલિચ લેનિને રશિયામાં સત્તા કબજે કરી.
  • 1924 – ભારતમાં બ્રિટિશ અધિકારીઓએ સુભાષ ચંદ્ર બોઝની ધરપકડ કરી અને તેમને 2 વર્ષ માટે જેલમાં મોકલી દીધા.
  • 1951 – ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીની શરૂઆત થઈ. ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 25મી ઓક્ટોબર 1951ના રોજ શરૂ થઈ અને 21મી ફેબ્રુઆરી 1952 સુધી ચાલી.
  • 1962 – અમેરિકન લેખક જ્હોન સ્ટેનબેકને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 1964 – આવડી ફેક્ટરીમાં પ્રથમ સ્વદેશી ટેન્ક ‘વિજયંત’નું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું.
  • 1971 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તાઈવાનને ચીનમાં સમાવવા માટે મતદાન થયું.
  • 1995 – તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવે સંયુક્ત રાષ્ટ્રના 50મી વર્ષગાંઠના સત્રને સંબોધિત કર્યું.
  • 2000 – સ્પેસક્રાફ્ટ ડિસ્કવરી (યુએસએ) 13 દિવસના મિશન પછી સુરક્ષિત રીતે પરત ફર્યું.
  • 2005 – ઇરાકમાં નવા બંધારણને લોકમતમાં બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી.
  • 2007 – તુર્કીના યુદ્ધ વિમાનોએ ઉત્તરી ઈરાકના પર્વતીય કુર્દિસ્તાન વિસ્તારમાં ભારે બોમ્બમારો કર્યો. મધ્ય ઇન્ડોનેશિયામાં સુલાવેસી ટાપુ પર માઉન્ટ સોપુટન જ્વાળામુખી ફાટી નીકળે છે.
  • 2008 – સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નર બહાદુર ભંડારીને છ મહિનાની જેલની સજા કરવામાં આવી.
  • 2009 – બગદાદમાં બોમ્બ વિસ્ફોટોમાં 155 લોકો મૃત્યુ પામ્યા અને 721 ઘાયલ થયા.
  • 2012 – ક્યુબા અને હૈતીમાં ચક્રવાત સેન્ડીને કારણે 65 લોકો માર્યા ગયા અને 8 કરોડ ડોલરનું નુકસાન થયું.
  • 2013 – નાઈજીરિયામાં સેનાએ આતંકી સંગઠન બોકો હરામના 74 આતંકીઓને ઠાર કર્યા.

આ પણ વાંચો | 24 ઓક્ટોબરનો ઇતિહાસ : આજે વિશ્વ પોલિયો દિવસ, શું પોલિયો ચેપી રોગ છે? સંયુ્ક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કેમ કરાઇ હતી?

25 ઓક્ટોબરની જન્મજયંતિ

  • ગુરજીત કૌર (1995) – ભારતીય હોકી ખેલાડી.
  • અદલા પ્રભાકર રેડ્ડી (1948) – આંધ્ર પ્રદેશ રાજ્યના રાજકારણી.
  • રિશાંગ કીશિંગ (1920) – મણિપુરના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્યમંત્રી હતા.
  • બરકતુલ્લા ખાન (1920) – રાજસ્થાનના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્યમંત્રી હતા.
  • લોર્ડ મેકોલે (1800) – પ્રખ્યાત અંગ્રેજી કવિ, નિબંધકાર, ઇતિહાસકાર અને રાજકારણી હતા.
  • મુકુંદી લાલ શ્રીવાસ્તવ (1896) – ભારતના પ્રખ્યાત સાહિત્યકાર અને લેખક.
  • કોતારો તનાકા (1890) – જાપાની ન્યાયશાસ્ત્રી, કાયદા અને રાજકારણના પ્રોફેસર.
  • મૃદુલા ગર્ગ (1938) – પ્રખ્યાત લેખિકા.
  • શારદા (ગાયિકા) (1937) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત પ્લેબેક સિંગર હતી.
  • ક્લાઉસ હસેલમેન (1931) – અગ્રણી જર્મન સમુદ્રશાસ્ત્રી અને જળવાયું મોડેલર હતા.
  • એમ.એન. વેંકટચેલૈયા (19290 – ભારતના ભૂતપૂર્વ 25મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • મદુરાઈ મણિ ઐયર (1912) – કર્ણાટક સંગીતના ગાયક હતા.
  • ઘનશ્યામભાઈ ઓઝા (1911) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • પાબ્લો પિકાસો (1881) – સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર હતા.

આ પણ વાંચો | 23 ઓક્ટોબરનો ઇતિહાસ : રાણી ચેન્નમ્મા કોણ છે? કર્ણાટકના ઝાંસીના રાણી કોને કહેવાય છે?

25 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • દિલીપભાઈ રમણભાઈ પરીખ (2019) – ગુજરાતના ભૂતપૂર્વ 13મા મુખ્યમંત્રી હતા.
  • સંત જ્ઞાનેશ્વર (1296) – ધાર્મિક સંત
  • નિર્મલ વર્મા (2005) – લેખક
  • સાહિર લુધિયાનવી (1980) – ભારતીય ગીતકાર અને કવિ
  • વિલિયમસન એ. સંગમા (1990) – ભારતના મેઘાલય રાજ્યના ભૂતપૂર્વ પ્રથમ મુખ્યમંત્રી.
  • જસપાલ ભટ્ટી (2012) – પ્રખ્યાત હાસ્ય કલાકાર
  • પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (2003) – સ્વાધ્યાય પરિવારના સ્થાપક, પ્રખ્યાત ભારતીય ફિલસૂફ અને સમાજ સુધારક.
  • શિવેન્દ્ર સિંહ સિંધુ (2018) – મણિપુર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ હતા.

આ પણ વાંચો | 22 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈસરોએ ચંદ્રયાન-1 લોન્ચ કર્યુ હતું, રાષ્ટ્રીય અખરોટ દિવસ કેમ ઉજવાય છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ