Adhik maas 2023 : અધિક માસમાં તુલસીના ચમત્કારી ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે

Tulsi tips in Adhik maas: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસ દરમિયાન તુલસી સંબંધિત અમુક ચમત્કારી ઉપાયો કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે

Written by Ajay Saroya
July 20, 2023 21:20 IST
Adhik maas 2023 : અધિક માસમાં તુલસીના ચમત્કારી ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે
Tusli: હિંદુ શાસ્ત્રમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે.

Tulsi jyotish tips in Adhik shravan maas: અધિક માસ તુલસી પૂજા: અધિક માસ શરૂ થઇ ગયો છે. આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી આ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે સાથે શિવશંકરની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ઉપરાંત અધિક માસમાં તુલસીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલી- સમસ્યાઓ દૂર થાય છે તેમજ સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસ દરમિયાન તુલસી સંબંધિત કેટલા ચમત્કારી ઉપાયો કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીયે પુરુષોત્તમ માસમાં તુલસીના ચમત્કારી ઉપાયો વિશે

તુલસીના અંગે પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે…

या दृष्टा निखिलाघसंघशमनी स्पृष्टा वपुष्पावनी।रोगाणामभिवन्दिता निरसनी सिक्तान्तकत्रासिनी।।प्रत्यासत्तिविधायिनी भगवतः कृष्णस्य संरोपिता।न्यस्ता तच्चरणे विमुक्तिफलदा तस्यै तुलस्यै नमः ।।

અર્થઃ 'જેના દર્શન કરવાથી બધા જ પાપો નષ્ટ થઇ જાય છે, સ્પર્શ કરવાથી શરીર શુદ્ધ થાય છે, પ્રણામ કરવાથી રોગો મટે છે, જળનું સિંચન કરવાથી યમરાજને ડરાવી શકાય છે, વાવેતર કરવાથી ભગવાન કૃષ્ણની સમીપ લઇ જાય અને ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય છે, એવી તુલસીદેવીને નમસ્કાર છે.'

આ શ્લોકનો અર્થ એ છે કે તુલસીના દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેનો સ્પર્શ કરવાથી શરીર શુદ્ધ થાય છે અને દરરોજ પ્રણામ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ જળ અર્પણ કરવાથી યમરાજનો ભય દૂર થાય છે. આ સાથે, તે તમને દોષારોપણમાં ભગવાન કૃષ્ણની નજીક લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં મોક્ષ-દાયી ફળ આપે છે.

આ પણ વાંચોઃ શ્રાવણમાં આ 4 વૃક્ષ વાવવાથી શિવશંકરના મળશે આશીર્વાદ, ઘરમાં સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનો થશે વરસાદ

અધિક માસમાં તુલસી સંબંધિત ચમત્કારી ઉપાયો

  • અધિક માસમાં દરરોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ ચઢાવવું. પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે પાણી ચઢાવવું નહીં.
  • દરરોજ તુલસીને જળ ચઢાવતી વખતે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્રનો જાપ કરો.
  • અધિક માસ દરમિયાન દરરોજ નહાવાના પાણીમાં તુલસીના પાન નાખીને સ્નાન કરો. આમ કરવાથી વિષ્ણુજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
  • તુલસીના છોડની સામે દરરોજ સાંજે નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવશે.
  • અધિક માસમાં ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
  • તુલસીની પૂજા કર્યા પછી તુલસીના છોડની પ્રદક્ષિણા કરો. આનાથી શુભ ફળ મળે છે.
  • અધિક માસ દરમિયાન તુલસીના છોડને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ