અક્ષય તૃતીયા પર ઘરે ના લાવો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે નારાજ, આર્થિક તંગી સહન કરવી પડશે

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ ઘરે લાવવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે

Written by Ashish Goyal
April 18, 2025 17:47 IST
અક્ષય તૃતીયા પર ઘરે ના લાવો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે નારાજ, આર્થિક તંગી સહન કરવી પડશે
Akshaya Tritiya 2025: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે.

Akshaya Tritiya 2025: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ સુદ ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 એપ્રિલ 2025ના રોજ તેની ઉજવણી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી તેનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે.

આ દિવસે લોકો ખાસ કરીને સોના-ચાંદીની ખરીદી કરે છે, નવા વ્યવસાયની શરૂઆત કરે છે, પૂજા કરે છે અને ઘરે દાન કરે છે. પરંતુ આ દિવસે જેટલી શુભ વસ્તુઓ ખરીદવી જરૂરી છે તેટલી જ કેટલીક વસ્તુઓથી બચવું પણ એટલું જ જરૂરી છે. અક્ષય તૃતીયાના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ ઘરે લાવવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેમજ તેનાથી તમારા ઘરની સુખ-શાંતિ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે અક્ષય તૃતીયા પર કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ?

તીક્ષણ અને ધારદાર વસ્તુઓ

અક્ષય તૃતીયાના દિવસે છરી, કાતર, કુહાડી, છરી જેવી તીક્ષણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી ઘરમાં તણાવ, ઝઘડા અને વિખવાદ થાય છે. આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થાય છે અને મન અશાંત રહે છે. તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવે છે.

આ પણ વાંચો – અખાત્રીજ ક્યારે છે 29 કે 30 એપ્રિલ? જાણો પૂજા અને ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

કાળા રંગની વસ્તુઓ

અખાત્રીજનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે, જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ દિવસે કાળા કપડા, કાળા શૂઝ, બેગ, ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે.

સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો

અક્ષય તૃતીયા પર વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલી વસ્તુઓ ન લેવી જોઈએ. તેના બદલે ચાંદી, તાંબુ, પિત્તળ અથવા કાંસાના વાસણો ખરીદો. આ ધાતુઓ શુભતા, સ્વાસ્થ્ય અને સંપત્તિનું પ્રતીક છે.

કાંટાળા છોડ

આ દિવસે કેક્ટસ, બબૂલ જેવા કાંટાળા છોડને ઘરમાં ન લાવવા જોઈએ. આ છોડ વાસ્તુ દોષ ઉત્પન કરે છે અને ઘરમાં રુકાવટ લાવે છે. તેના બદલે તુલસી, મની પ્લાન્ટ, આમળા જેવા શુભ છોડ ખરીદી શકો છો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ