કાળા દોરાનો ઉપાય : માન્યતા અનુસાર, લોકો ખરાબ નજર અથવા શનિ દોષથી બચવા માટે હાથ અથવા પગમાં કાળો દોરો બાંધે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાળો દોરો પહેરવા વિશે ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ દોરાને તમે ગરદન, હાથ, કમર, પગ કે કાંડા પર બાંધી શકો છો. લાલ કિતાબ અને જ્યોતિષમાં કાળા દોરાના ઉપાય અને મહત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ કેટલાક લોકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ, આવો જાણીએ કાળો દોરો પહેરવાના ફાયદા અને સાવચેતીઓ-
કાળો દોરો પહેરવાના ફાયદા
શનિ ગ્રહ પણ કાળા રંગ સાથે સંબંધિત છે. શનિ કાળા રંગનો કારક છે, કાળો દોરો પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ બળવાન બને છે. આ સાથે જ કાળા દોરામાં વ્યક્તિને ખરાબ નજરથી બચાવવાની અપાર શક્તિ હોય છે. તે તેને કાળી તાકાતોથી રક્ષણ આપે છે. કાળો દોરો પહેરવાથી શનિદોષ પણ દૂર થાય છે.
કોણે કાળો દોરો ન પહેરવો જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે રાશિના લોકોએ કાળો દોરો બાંધવાનું ટાળવું જોઈએ. પ્રથમ રાશિ વૃશ્ચિક છે અને બીજું રાશિ મેષ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. એવું માનવામાં આવે છે કે, મંગળ કાળા રંગને નફરત કરે છે. તેથી વૃશ્ચિક રાશિના લોકોએ કાળો દોરો બિલકુલ ન પહેરવો જોઈએ. આ રાશિના લોકો પર તેની પ્રતિકૂળ અને નકારાત્મક અસરો થઈ શકે છે.
બીજી તરફ મેષ રાશિનો સ્વામી મંગળ પણ છે. આ કારણથી મેષ રાશિ માટે કાળો દોરો પહેરવો અશુભ હોઈ શકે છે. જો આ બંને રાશિના લોકો કાળો દોરો પહેરે છે તો તેમને ખરાબ પરિણામનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ અનુસાર આ લોકોને ધન, સન્માન અને સ્વાસ્થ્યનું નુકસાન થઈ શકે છે. સાથે જ પરિવારનું વાતાવરણ પણ બગડી શકે છે.
કાળો દોરો પહેરવાના નિયમો
મંગળ અને શનિવાર કાળો દોરો પહેરવા માટે સૌથી શુભ દિવસ છે. આ દિવસે જમણા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રના નિયમો અનુસાર વ્યક્તિએ કાળા દોરાની સાથે અન્ય કોઈ દોરો ન બાંધવો જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો – આ 4 રાશિના લોકો માટે વાદળી પોખરાજ પહેરવું ખૂબ જ શુભ, ક્યારે અને કેવી રીતે પહેરવું?
કાળો દોરો પહેરતી વખતે સાવચેતી રાખવી
કાળો દોરો અભિમંત્ર કર્યા પછી જ પહેરવો જોઈએ. શનિવાર અને મંગળવારે કાળો દોરો બાંધવો શુભ છે.
કાળો દોરો પહેરતા પહેલા, તમે કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લઈ શકો છો અને દોરો બાંધતી વખતે રુદ્ર ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો.
મંત્રઃ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ॥