ભાઈ બીજ 2022 : તારીખ, મુહૂર્ત, પૂજા વિધિ અને માહત્મ્ય, બહેન ભાઈને જમાડી તીલક લગાવી કરશે આરતી

Bhai Bij 2022 : આ વખતે બેસતા વર્ષના દિવસે જ ભાઈ બીજ અથવા ભાઈ દૂજ (bhai dooj) છે. તારીખ 26 ઓક્ટોબરે ભાઈ બીજ મનાવવામાં આવશે. તો જોઈએ પૂજા વિધિ (Puja Vidhi), મુહૂર્ત (Muhurat) અને મહત્ત્વ (importance).

Bhai Bij 2022 : આ વખતે બેસતા વર્ષના દિવસે જ ભાઈ બીજ અથવા ભાઈ દૂજ (bhai dooj) છે. તારીખ 26 ઓક્ટોબરે ભાઈ બીજ મનાવવામાં આવશે. તો જોઈએ પૂજા વિધિ (Puja Vidhi), મુહૂર્ત (Muhurat) અને મહત્ત્વ (importance).

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

ભાઈ બીજ - મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ

Bhai Dooj 2022 : ભાઈ બીજ (Bhai Bij) આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબર 2022 ના રોજ ઉજવવામાં આવશે. ભાઈ બીજને ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તિથિએ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક માનવામાં આવે છે.

Advertisment

ભાઈ બીજ 2022 મુહૂર્ત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દ્વિતિયા 26 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 2:42 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 27 ઓક્ટોબરે બપોરે 12:45 વાગ્યા સુધી ચાલશે. બીજી તરફ, પૂજા મુહૂર્ત 26 ઓક્ટોબરે બપોરે 1.18 વાગ્યાથી શરૂ થશે અને 3.33 વાગ્યા સુધી ચાલશે.

ભાઈ બીજ 2022 પૂજા વિધિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે યમુનામાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે. તિલક કરતા પહેલા ચોખાના મિશ્રણનો ચોરસ બનાવો. તિલક કર્યા પછી ભાઈને ફૂલ, ચણા, પાન અને સોપારી ચઢાવો અને તેમની આરતી કરો. આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે અને બહેન દ્વારા ભાઈને ભોજન કરાવવામાં આવે છે.

ભાઈ બીજ દંતકથા

દંતકથા અનુસાર, યમરાજ અને યમુના ભાઈ અને બહેન છે. યમુનાને ઘણી વાર બોલાવ્યા પછી યમરાજ એક વખત પોતાની બહેનના ઘરે ગયા. તેનાથી પ્રસન્ન થઈને યમુનાએ તિલક લગાવીને પોતાના ભાઈની પૂજા કરી અને સુખ-સમૃદ્ધિની કામના કરી અને પછી તેને ભોજન કરાવ્યું. આનાથી પ્રસન્ન થઈને યમરાજે યમુનાને વરદાન માંગવા કહ્યું તો યમુનાએ કહ્યું કે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવજો. ત્યારે જ ભાઈ દૂજના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક કથા અનુસાર જે બહેન આ દિવસે તિલક લગાવીને પોતાના ભાઈની પૂજા કરે છે તેને યમરાજનો ભય નથી રહેતો.

Advertisment

આ પણ વાંચો - સૂર્યગ્રહણ: ગુજરાતમાં ક્યારે દેખાશે સૂર્યગ્રહણ, આજે અંબાજી મંદિર દર્શન માટે બંધ, બેસતા વર્ષની આરતી સવારે 6.30 કલાકે

તો, અન્ય એક દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણ કારતક મહિનાની બીજી તારીખે નરકાસુરનો વધ કરીને દ્વારકા પાછા ફર્યા હતા. આ આનંદમાં તેમની બહેન સુભદ્રાએ તેમના ભાઈ ભગવાન કૃષ્ણની તિલક વડે પૂજા કરી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. તેમના આગમનની ખુશીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દિવસથી ભાઈ દૂજના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.