14 જૂનથી બદલાશે આ 3 રાશિઓનું ભાગ્ય, વ્યાપારના દાતા રાશિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, સંપત્તિ વધશે

Budh Transit In Mithun : બુધ નું મિથુન રાશિમાં ગોચર થવાથી ત્રણ રાશિને ફાયદો થઈ શકે છે, જેમાં કુંભ રાશિ, તુલા રાશિ, કન્યા રાશી નો સમાવેશ થાય છે. આ 3 રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે

Written by Kiran Mehta
June 08, 2024 22:00 IST
14 જૂનથી બદલાશે આ 3 રાશિઓનું ભાગ્ય, વ્યાપારના દાતા રાશિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, સંપત્તિ વધશે
બુધ ગોચર

Budh Transit In Mithun | મિથુન રાશિમાં બુધ સંક્રમણ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ અંતરે પોતાની રાશિ બદલીને પોતાની રાશિ અને ઉચ્ચ રાશિમાં સંક્રમણ કરે છે, જેના શુભ પરિણામો સીધા માનવ જીવન અને દેશ અને દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે, 14 જૂને બુધ ગ્રહ એક વર્ષ પછી પોતાની રાશિ મિથુન રાશિમાં સંક્રમણ કરવા જઈ રહયા છે, જેના કારણે 3 રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે. સાથે જ આ રાશિના જાતકોની સંપત્તિમાં પણ ઘણો વધારો થશે છે. તો આવો જાણીએ આ કઈ રાશિ છે.

કુંભ રાશિ

બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી પાંચમા ભાવમાં થવાનું છે. તેથી, આ સમય દરમિયાન તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમ જ, જે યુગલો સંતાન ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્તિનું આશીર્વાદ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને પારિવારિક બાબતોમાં પણ થોડી ખુશી મળી શકે છે. વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષામાં મોટી સફળતા મળવાની તકો પણ છે. આ ઉપરાંત, જો તમારો પ્રેમ સંબંધ હોય તો તે લગ્નમાં પરિણમી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં જવાનો છે. તેથી, આ સમયમાં ભાગ્ય તમારો સાથ આપી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે અને તમે આવકના વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો. આ સમય દરમિયાન, તમે કામ અથવા વ્યવસાયિક હેતુઓ માટે પણ મુસાફરી કરી શકો છો, જે શુભ સાબિત થશે. તેમજ જે વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો – Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશી પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, ધન અને સુખ- સંપત્તિની પ્રાપ્તિ થશે

કન્યા રાશિ

બુધનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી દસમા ભાવમાં જવાનો છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે. તો, નોકરી કરતા લોકો પણ કાર્યસ્થળ પર મોટું પદ મેળવી શકે છે. આવનાર સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તેમજ આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓ સારો નફો કરી શકે છે. ત્યાં બિઝનેસનો વિસ્તાર થઈ શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધો મજબૂત રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ