Ganesh Chaturthi 2024 Shubh Muhurat, Date, Time: આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે છે? જાણો મૂર્તિ સ્થાપનની તારીખ, શુભ મુહૂર્ત અને માહત્મ્ય

Ganesh Chaturthi 2024 Shubh Muhurat : ગણેશ ચતુર્થી 2024 ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો ભક્તો ગણેશજીને પોતાના ઘરે લાવી પૂજા, અર્ચના કરવા આતૂર હશે, ત્યારે જોઈએ ગણેશ સ્થાપના શુભ મુહૂર્ત, તારીખ અને મહત્ત્વ.

Written by Kiran Mehta
August 28, 2024 19:24 IST
Ganesh Chaturthi 2024 Shubh Muhurat, Date, Time: આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે છે? જાણો મૂર્તિ સ્થાપનની તારીખ, શુભ મુહૂર્ત અને માહત્મ્ય
ગણેશ ચતુર્થી 2024 શુભ મુહૂર્ત

Ganesh Chaturthi 2024 Shubh Muhurat, Date, Time : ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત, તારીખ, અને માહત્મ્ય : હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. વૈદિક કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણપતિ બાપ્પા એટલે કે, ભગવાન ગણેશને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.

તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. તમને જણાવી દઈએ કે, આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ તારીખ અને શુભ મુહૂર્ત સમય.

ગણેશ ચતુર્થી 2024 તારીખ (Ganesh Chaturthi 2024 Date)

વૈદિક કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:02 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તારીખ 07 સપ્ટેમ્બરે સાંજે 05:38 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિને આધાર માનીને, ગણેશ ચતુર્થીનો તહેવાર 07 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત 2024 (Ganesh Chaturthi Shubh Muhurat 2024)

વૈદિક કેલેન્ડર અનુસાર, 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય સવારે 11:02 થી બપોરે 1:33 સુધીનો રહેશે. આ દરમિયાન તમે ગણેશની મૂર્તિની સ્થાપના કરી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે, તમારે ભગવાન ગણેશની એવી માટીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ કે, જેની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ, તેમાં પવિત્ર જનોઈ દોરો હોવો જોઈએ અને સાથે ઉંદર પણ હોવો જોઈએ. મૂર્તિમાં ભગવાન ગણેશ બેઠેલા મુદ્રામાં હોવા જોઈએ. તેમજ ભગવાન ગણેશની મૂર્તિ ઘરના ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ.

આ પણ વાંચો – September 2024 Vrat Tyohar List: સપ્ટેમ્બર માં ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ થી લઇ શ્રાદ્ધ પિતૃ પક્ષ, જુઓ વ્રત તહેવારની યાદી

ગણેશ ચતુર્થીનું મહત્ત્વ

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને કાર્ય સિદ્ધ થાય છે. તેમજ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન તમામ બાધાઓ દૂર કરે છે. સાથે જ તમને જણાવી દઈએ કે, ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને 21 દુર્વા અર્પણ કરવી જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દુર્વા અર્પણ કરતી વખતે, ‘શ્રી ગણેશાય નમઃ દુર્વાંકુરં સમર્પયામિ’ મંત્રનો જાપ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ