Garuda Purana: ગરુડ પુરાણ મુજબ મહિલાએ જીવનમાં ભૂલથી પણ આ 4 કામ કરવા નહીં, પતિ અને પોતાની જિંદગી બની જશે નરક

Garuda Purana For Women : ગરુડ પુરાણ અનુસાર મહિલાઓએ ભૂલથી પણ આ 4 કાર્યો જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ. આમ કરવાથી તેનું અને પતિનું જીવન નરક બની જશે. સમાજમાં માન-સમ્માન પણ ગુમાવી બેસશો.

Written by Ajay Saroya
December 21, 2023 21:58 IST
Garuda Purana: ગરુડ પુરાણ મુજબ મહિલાએ જીવનમાં ભૂલથી પણ આ 4 કામ કરવા નહીં, પતિ અને પોતાની જિંદગી બની જશે નરક
ગરુણ પુરાણમાં મૃત્યુના તમામ રહસ્યો, પુનર્જન્મ અને માનવ આત્માઓ, નરક અને ભયાનક સજાઓ વિશે માહિતી આપવામાં આવી છે. (Express Photo)

Garuda Purana For Womens: હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં 18 પુરાણોનું વર્ણન છે. જેમાં ગરુડ પુરાણનું નામ પણ સામેલ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ, પુનર્જન્મ અને માનવ આત્માઓ, નરક અને ભયંકર સજાઓના તમામ રહસ્યો વિશે માહિતી છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે જ તેનો પાઠ કરવામાં આવે છે. ઘરનો પૂજારી કે બ્રાહ્મણ દ્વારા તેનું વાંચન કરવામાં આવે છે.

ગરુડ પુરાણ એ પણ સમજાવે છે કે કેવી રીતે જીવનને સંપૂર્ણ રીતે જીવવું અને સાચા માર્ગને અનુસરવું. સાથે જ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે એવા કયા કર્મો છે જે મનુષ્ય એ ન કરવા જોઈએ. સાથે જ અહીં અમે તમને એવા કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ. આવું કરવાથી તમારા અને તમારા પતિના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. ચાલો જાણીએ આ કાર્યો શું છે…

પતિથી દૂર રહેવું

ગરુડ પુરાણ અનુસાર, સ્ત્રીએ તેના પતિથી અલગ ન રહેવું જોઈએ. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે અંતર વધી શકે છે. ઉપરાંત, અલગ થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી, સ્ત્રીએ લાંબા સમય સુધી તેના પતિથી દૂર ન રહેવું જોઈએ.

કોઇનું અપમાન કરવું નહીં

સ્ત્રીએ તેના માતા-પિતા અથવા સાસરિયાના ઘરે કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, વ્યક્તિએ બધા લોકો સાથે સારી રીતે વાતચીત કરવી જોઈએ. ઘરના દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ. કારણ કે જો તે આવું નહીં કરે તો તેની અને તેના પતિની ઈમેજ ખરાબ થઈ શકે છે.

પારકાના ઘરમાં લાંબો સમય ન રહેવું જોઈએ

ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીએ લાંબા સમય સુધી બીજાના ઘરે ન રહેવું જોઈએ. કારણ કે જે સ્ત્રીઓ અન્ય લોકોના ઘરે જાય છે અને રહે છે તેઓ પોતાના ઘરમાં માન ગુમાવે છે. તેમજ તેના પતિ અને સાસરિયાઓ વચ્ચેના સંબંધો બગડે છે. તેથી લગ્ન પછી મહિલાઓએ સાસરિયાં સાથે રહેવું જોઈએ.

આ પણ વાંચો | 2024માં આ રાશિના જાતકોએ સાવધાન રહેવું, શનિદેવ જીવનમાં ઉથલપાથલ સર્જશે, તબિયત પણ બગડશે

નિર્જન સ્થળોએ જવાનું ટાળવું જોઈએ

મહિલાઓએ અજાણ્યા સ્થળો અને નિર્જન સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, કોઈ અજાણી વ્યક્તિ સાથે નિર્જન સ્થળે ન જવું જોઈએ. તેમજ જ્યારે તે ગર્ભવતી હોય, ત્યારે તેણે બિલકુલ ન જવું જોઈએ. આમ કરવાથી તેણી અને બાળક બંનેને નુકસાન થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ