Guruwar Na Upay: ગુરૂવાર કરો આ સિદ્ધ ઉપાય, ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ, ભગવાન વિષ્ણ સાથે માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ

Guruwar Na Upay In Gujarati: ગુરુવારે અમુક સિદ્ધ ઉપાય કરવાથી ગુરુ દોષમાંથી મુક્તિ મળે છે. જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો ગુરૂવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરો.

Guruwar Na Upay In Gujarati: ગુરુવારે અમુક સિદ્ધ ઉપાય કરવાથી ગુરુ દોષમાંથી મુક્તિ મળે છે. જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો ગુરૂવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Lord Vishnu Pooja | Guruwar Na Upay

Guruwar Na Upay: ગુરુવારે ભગવાન વિષ્ણજી ઉપરાંત કેળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. (Photo: @lordvishnuwithlakshmi)

Guruwar Na Upay In Gujarati: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયામાં દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ અને ભગવાન સાથે સંબંધિત છે. જેમ કે શનિવારનો સંબંધ ભગવાન શનિ સાથે છે. આ દિવસે શનિ સંબંધિત ઉપાય અને પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં આપણે ગુરુવાર દિવસ વાત કરવાના છીએ, જેનો ગુરુ ગ્રહ અને વિષ્ણુ ભગવાન સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે શ્રી હરિની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. લોકોના બગડેલા ખરાબ બની જાય છે. સાથે જ અહીં અમે તમને એવા જ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમને ગુરુ ગ્રહ સાથે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળશે. આવો જાણીએ ગુરુવારના ઉપાય

Advertisment

માન - સન્માન મેળવવા માટે

માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવવા માટે ગુરુવારે તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો અને અગ્નિ ભગવાનને હાથ જોડીને નમન કરો. આમ કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સાથે જ વાસ્તુ દોષોથી પણ છુટકારો મળશે.

કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે

ગુરુવારે સ્નાન કરતી વખતે એક ચપટી હળદર પાણીમાં ભેળવી સ્નાન કરવાથી ધન વૃદ્ધિનો યોગ બને છે. તેમજ કરિયર અને બિઝનેસમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે.

સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે

ગુરૂવારે જ્યારે ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેમજ કેળાના ઝાડની પૂજા કરો. સાથે જ કેળાના ઝાડને પાણી અને પીળા ફૂલ પણ ચઢાવો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાથે જ કુંવારા લોકોના લગ્ન થવાની યોગ બને છે.

Advertisment

ગુરુના દોષ માંથી મુક્તિ

જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરો. સાથે જ કેસર અને ચંદનનું કપાળ પર તિલક લગાવો આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સાથે જ ગુરૂ દોષ માંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો | જન્મદિવસ પર કેક કટિંગ કરવી કે નહીં? પ્રેમાનંદજી મહારાજ પાસેથી જાણો

ગુરુવારે આવું ન કરો

ગુરુવારે માથાના વાળ કપાવવા નહીં અને દાઢી કરવી જોઇએ નહીં. તેમજ નખ ન કાપવા જોઈએ કે ન તો કપડા ધોવા જોઈએ. બીજી તરફ જો તમે આમ કરશો તો તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે.

ગુજરાતી ન્યૂઝ astrology ધર્મ ભક્તિ