મહાશિવરાત્રી ઉપાય : મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરો આ કામ, ભોળાનાથ થશે કોપાયમાન

Mahashivratri 2024, મહાશવરાત્રી ઉપાય : ભગવાન ભોળાનાથને રિઝવવા માટે ભક્તો પૂજા અર્ચના કરે છે. જોકે, સાચી રીતે કરેલી પૂજા અર્ચના કરવાથી ભગવાન પ્રશન્ન થાય છે અને આશિર્વાદ મળે છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે શું ધ્યાન રાખવું એ અહીં જણાવવામાં આવ્યું છે.

Written by Ankit Patel
Updated : March 08, 2024 12:25 IST
મહાશિવરાત્રી ઉપાય : મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરો આ કામ, ભોળાનાથ થશે કોપાયમાન
મહાશિવરાત્રી 2024 ઉપાય - photo credit - freepik

Mahashivratri 2024, મહાશિવરાત્રી ઉપાય : ભગવાન શિવને સમર્પિત તહેવાર એટલે મહાશિવરાત્રી. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે 8 માર્ચ 2024ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાશે. આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. હિન્દુ ધર્મમાં આ દિવસનું અલગ મહત્વ છે. આ દિવસે ભક્તો વ્રત રાખે છે અને ભાળાનાથની પૂજા અર્ચના કરે છે. જોકે, શાસ્ત્રોમાં શિવપૂજા કરતી વખત શું ધાન રાખવું એ અંગે જણાવવામાં આવ્યું છે.

કાળા કપડાં પહેરવાનું ટાળો

મહાશિવરાત્રી ઉપાય અંગે વાત કરીએ તો મહાશિવરાત્રીના દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં પૂજા સમયે કાળા કપડા પહેરવાની મનાઈ છે. તેથી આ દિવસે કાળા રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.

પ્રસાદ ગ્રહણ ન કરવો

શાસ્ત્રો અનુસાર ભક્તોએ શિવલિંગને ચઢાવવામાં આવેલા પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ નહીં, કારણ કે તે દુર્ભાગ્ય લાવે છે. તે જ સમયે, જીવનમાં ગરીબી પ્રવર્તે છે.

Mahashivratri 2024, Mahashivratri Significance, Mahashivratri Vrat 2024,
Mahashivratri 2024, મહાશિવરાત્રી 2024, તારીખ સમય પૂજા વિધિ

આ ફૂલો અર્પણ કરશો નહીં

મહાશિવરાત્રી ઉપાય અંગે વાત કરીએ તો કેતકી અને ચંપાના ફૂલ ભગવાન શિવ અને શિવલિંગને ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ કારણ કે કહેવાય છે કે આ ફૂલોને ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો. તેથી આ ફૂલ ચઢાવવાથી ભગવાન શિવને ક્રોધ આવે છે.

તૂટેલા ચોખા ન ચઢાવો

ભૂલથી પણ ભોલેનાથની પૂજામાં તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. કારણ કે ચોખાને માટે અક્ષત કહેવાય છે અને અક્ષત એટલે અખંડ ચોખા, તે પૂર્ણતાનું પ્રતિક છે. તેથી પૂજામાં અખંડ અને તૂટેલાને ન ચઢાવવો જોઈએ.

આ પણ વાંચોઃ- મહાશિવરાત્રી : ધનમાં વૃદ્ધિ અને સુખ માટે કરો આ મહાઉપાય, ભોલેનાથની રહેશે અસીમ કૃપા

આ રીતે બેલપત્ર અર્પણ કરો

મહાશિવરાત્રી ઉપાય અંગે વાત કરીએ તો શિવલિંગ પર બેલપત્ર ચઢાવતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે. આવી સ્થિતિમાં શિવરાત્રિ પર શિવને ત્રણ પાન સાથે બેલપત્ર અર્પણ કરો અને અર્પણ કરતી વખતે દાંડી તમારી તરફ હોવી જોઈએ. ઉપરાંત, તૂટેલા અથવા વિકૃત પાંદડા અર્પણ કરવા જોઈએ નહીં.

આ પણ વાંચોઃ- મહાશિવરાત્રી 2024 : ભગવાન શિવની આ રીતે કરો પૂજા, જાણો વિધિ, સામગ્રી અને શિવ આહ્વાન મંત્ર

રોલીનો ઉપયોગ કરશો નહીં

આ દિવસે ભગવાન શિવની પૂજામાં રોલીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ભોલેનાથની પૂજામાં રોલીને વર્જિત માનવામાં આવે છે. રોલીની જગ્યાએ તમે ચંદનનો ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો

મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે. ઉપરાંત આ દિવસે દારૂ ન પીવો જોઈએ.

મહાશિવરાત્રીના દિવસે ભક્તો દ્વારા થતી કેટલીક ભૂલોને ટાળવાથી ભોળાનાથ ભક્તો પર તરત પ્રસન્ન થાય છે. અને ધાર્યું ફળ આપતા હોય છે.

ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતી સાચી હવાની અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સાચી કે સત્ય સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ