મંગળ અને સૂર્ય દેવ કરવા જઈ રહ્યા છે ગોચર, આ રાશિઓનું ખુલી જશે ભાગ્ય, દરેક કાર્યમાં મળશે સફળતા

Surya And Mangal Rashi Parivartan: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. સૂર્ય અને મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. મંગળ ગ્રહ 13 માર્ચે અને સૂર્ય દેવ 15 માર્ચે મીન રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિઓમાં […]

Written by Ankit Patel
March 11, 2023 12:41 IST
મંગળ અને સૂર્ય દેવ કરવા જઈ રહ્યા છે ગોચર, આ રાશિઓનું ખુલી જશે ભાગ્ય, દરેક કાર્યમાં મળશે સફળતા
મંગળ અને સૂર્યનું રાશિ પરિવર્તન

Surya And Mangal Rashi Parivartan: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. સૂર્ય અને મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. મંગળ ગ્રહ 13 માર્ચે અને સૂર્ય દેવ 15 માર્ચે મીન રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિઓમાં જોવા મળી શકે છે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમને આ સમયે ધનલાભ અને પ્રસિદ્ધીના યોગ બની રહ્યા છે. તો ચાલો જાણીએ કે આ નસિબદાર રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ (Taurus Zodiac)

આ રાશિના જાતકો માટે મંગળ અને સૂર્ય દેવના ગોચર શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના 11માં ભાવમાં તો મંગળ ગ્રહ લગ્ન ભાવમાં રાશિ પરિવર્તન કરશે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ તમારા આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના બની રહેશે. પારિવારિક જીવનમાં સુધારો થશે. સાથે જ વૈવાહિક જીવન સુખમય રહેશે. આ સમયે તમારી આવકમાં નવા – નવા માધ્યમ બની શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો ધનલાભ થઈ શકે છે.

મિથુન રાશિ (Mithun Zodiac)

મંગળ અને સૂર્ય ભગવાનનો રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય ભગવાન તમારી કુંડળીના દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. એટલા માટે આ સમયે તમને કાર્ય-વ્યવસાયમાં સફળતા મળી શકે છે. તેમજ વ્યાપારીઓને આ સમયે સારો નફો મળી શકે છે. બીજી તરફ આ રાશિના જે લોકો સરકારી સંસ્થા સાથે જોડાયેલા છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે. વ્યવસાયિક રીતે આ સમયગાળો તમારા માટે ખૂબ જ સારો રહેશે.

વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)

સૂર્ય અને મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી સાતમા ભાવમાં અને સૂર્ય ભગવાન પાંચમા ભાવમાં રહેશે. તેથી, આ સમયે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમજ જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે.

સાથે જ ભાગીદારીના કામમાં સારી સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન તમારો પગાર વધશે. આ સમયગાળો તમારા માટે ફળદાયી સાબિત થશે. પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળી શકે છે. બીજી તરફ, જે લોકો અપરિણીત છે તેઓ તેમના સંબંધો વિશે વાત કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ