Raj Panchak: શરું થયું છે રાજ પંચક, આ કામો કરવાથી દૂર થઈ શકે છે આર્થિક મુશ્કેલીઓ

panchak january 2023 : સોમવારે પંચક પ્રારંભ થયું એટલે તેને રાજ પંચક કહેવામાં આવે છે. વર્ષ 2023નું પહેલું 23 જાન્યુઆરી 2023 સોમવારથી શરુ થયું છે. આ રાજ પંચક છે. કેટલાક કાર્યો માટે આ પંચક ખુબ જ શુભ માનવામાં આવે છે.

panchak january 2023 : સોમવારે પંચક પ્રારંભ થયું એટલે તેને રાજ પંચક કહેવામાં આવે છે. વર્ષ 2023નું પહેલું 23 જાન્યુઆરી 2023 સોમવારથી શરુ થયું છે. આ રાજ પંચક છે. કેટલાક કાર્યો માટે આ પંચક ખુબ જ શુભ માનવામાં આવે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Panchak raj

પંચક રાજ પ્રતિકાત્મક તસવીર

Panchak kaal: પંચક કાળને ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ માનવામાં આવતો નથી. આ દરમિયાન અનેક કાર્યો કરવામાં મનાઇ હોય છે. ધર્મગ્રંથોમાં અગ્નિ પંચક, ચોર પંચક, રાજ પંચક વગેર પાંચ પ્રકારના પંચક જણાવવામાં આવ્યા છે. સોમવારે પંચક પ્રારંભ થયું એટલે તેને રાજ પંચક કહેવામાં આવે છે. વર્ષ 2023નું પહેલું 23 જાન્યુઆરી 2023 સોમવારથી શરુ થયું છે. આ રાજ પંચક છે. કેટલાક કાર્યો માટે આ પંચક ખુબ જ શુભ માનવામાં આવે છે.

Advertisment

પંચક એટલે શું?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર નક્ષત્રના ત્રીજા તબક્કા અને ઉત્તરાભાદ્રપદ, પૂર્વાભાદ્રપદ, રેવતી અને શતભિષા નક્ષત્રના ચાર તબક્કામાંથી પસાર થાય છે ત્યારે પંચક કાળ શરૂ થાય છે. વાસ્તવમાં જ્યોતિષમાં પંચક કાળ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પરંતુ રાજ પંચકને શુભ માનવામાં આવે છે. ગઈકાલે, 23 જાન્યુઆરી, સોમવારના રોજ બપોરે 1.52 કલાકે શરૂ થયેલો રાજપંચક 27 જાન્યુઆરી, શુક્રવારના રોજ સાંજે 6.37 કલાકે સમાપ્ત થશે.

રાજ પંચકમાં આવા કામ કરવું શુભ છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજા પંચકમાં ધન અને ઐશ્વર્ય સંબંધિત કામ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં રાજપંચકમાં આ કામ કરવાથી સફળતા મળે છે. મિલકતની ખરીદી અને વેચાણ ઉપરાંત રાજ પંચક વહીવટી અને રાજકીય કાર્ય માટે પણ સારું છે. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

પંચકમાં આ કામો કરવાથી બચો

પંચકમાં ઘર ન બનાવવું જોઈએ એટલે કે ઘરની છત અને દરવાજાની ફ્રેમ સ્થાપિત ન કરવી જોઈએ.
પંચકમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી. તેને યમની દિશા માનવામાં આવે છે. પંથકમાં દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી અકસ્માત અને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
પંચકમાં લાકડા, લાકડાની વસ્તુઓ, બળતણ વગેરે ઘરમાં ન લાવવું જોઈએ.
જો પંચકમાં પરિવારના કોઈપણ સભ્યનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર વિશેષ વિધિથી કરવા જોઈએ.

Advertisment
ધર્મ ભક્તિ