Shani chal : શનિ દેવ લોખંડના પાયા પર શરુ કર્યું ચાલવાનું, ત્રણ રાશિઓની પલટી શકે છે કિસ્મત

Shani gochar in kumbh : ન્યાયના દેવતા શનિ દેવે કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે 0 ડિગ્રીથી 30 ડિગ્રી સુધી ચાલશે. સાથે જ શનિ દેવ આ અવસ્થામાં રાશિ અનુસાર પાયા પણ બદલે છે.

Written by Ankit Patel
Updated : February 04, 2023 13:47 IST
Shani chal : શનિ દેવ લોખંડના પાયા પર શરુ કર્યું ચાલવાનું, ત્રણ રાશિઓની પલટી શકે છે કિસ્મત
શનિ દેવની લોખંડના પાયા પર ચાલ

Shani Dev Transit In Kumbh: વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે તેની ચાલની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. ન્યાયના દેવતા શનિ દેવે કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. હવે તે 0 ડિગ્રીથી 30 ડિગ્રી સુધી ચાલશે. સાથે જ શનિ દેવ આ અવસ્થામાં રાશિ અનુસાર પાયા પણ બદલે છે. અહીં ત્રણ રાશિઓમાં શનિદેવ લોખંડના પાયા પર ચાલે છે. જેનાથી આ રાશિઓને ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે.

વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)

તમારી રાશિથી શનિદેવનું ગોચર લોખંડના પાયા પર થયું છે. આ સાથે શનિ અહીં રાજયોગકર્તા છે. સાથે જ તેઓ શશ નામનો રાજયોગ પણ બનાવી રહ્યા છે. તેથી, આ સમયે તમે કોઈપણ મિલકત અને વાહન ખરીદી શકો છો. ઉપરાંત, પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે અથવા તમને જમીન-મિલકતના લેવડ-દેવડમાં ફાયદો થઈ શકે છે. તેમજ આ સમયે નોકરીની નવી તકો મળી શકે છે. પરંતુ કેતુ દ્વારા શનિની દૃષ્ટિ છે. તેથી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઉપરાંત, તમારી નર્વસ સિસ્ટમને પણ નુકસાન થઈ શકે છે. એટલે કે તમારે 30મી ઓક્ટોબર સુધી સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ આ દરમિયાન કેતુના બીજ મંત્રનો જાપ કરો. મંગળવારે વ્રત રાખો. જરૂરિયાતમંદ અને ગરીબોને ધાબળાનું દાન પણ કરો.

કર્ક રાશિ (Cancer Zodiac)

શનિદેવનું ગોચર તમારી રાશિથી લોખંડના પાયા પર થયું છે. એટલા માટે આ સમયે તમને મહેનત દ્વારા વસ્તુઓ મળશે. તેની સાથે પિતા સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. બીજી તરફ, કર્ક રાશિવાળા લોકોને જૂના રોકાણથી પૈસા મળશે. તેમજ જેઓ અપરિણીત છે તેમને સંબંધ માટે પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે જેઓ નોકરી કરે છે તેઓને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. પરંતુ 17 જાન્યુઆરીથી તમારા પર ધૈયા શરૂ થઈ ગઈ છે અને શનિ તમારા જન્મ પત્રિકામાં કેતુની બાજુમાં છે. એટલા માટે જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ઓપરેશન અને અકસ્માત પણ થઈ શકે છે. એટલા માટે તમે લોકો પણ કેતુના બીજ મંત્રનો જાપ કરો.

મીન રાશિ (Pisces Zodiac)

શનિદેવ તમારી રાશિથી લોખંડના પાયા પર ગોચર કરી રહ્યા છે. તેથી, આ સમયે તમે અટકેલા પૈસા પાછા મેળવી શકો છો. તેમજ નોકરી બદલવાની તમારી યોજના બની શકે છે. તમે વિદેશ જઈને સેટલ થઈ શકો છો. પરંતુ આ સમયે તમારે પરિવારના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત, તમને ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

સાથે જ 17 જાન્યુઆરીથી તમારી ઉપર શનિની સાડાસાતી પણ શરૂ થઈ ગઈ છે. એટલા માટે તમારે ટ્રાન્ઝેક્શન કરતી વખતે થોડી સાવચેતી રાખવી જોઈએ. જ્યારે આ વર્ષે 30 ઓક્ટોબર પછી તમારો સુવર્ણ સમય શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ