વસંત પંચમી પર બની રહ્યો છે રવિ અને સર્વાર્થ સિદ્ધ યોગનો સંયોગ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ

Vasant Panchami 2025 Puja Vidhi Shubh Muhurat : વસંત પંચમીને બસંત પંચમી અને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે 2 ખાસ યોગ પણ બની રહ્યા છે

Written by Ashish Goyal
February 01, 2025 21:55 IST
વસંત પંચમી પર બની રહ્યો છે રવિ અને સર્વાર્થ સિદ્ધ યોગનો સંયોગ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે

Vasant Panchami 2025 Puja Vidhi Date Shubh Muhurat : હિંદુ ધર્મમાં વસંત પંચમી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ આ દિવસે જ્ઞાન, વિદ્યા અને સંગીતની દેવી માતા સરસ્વતીને પ્રગટ કર્યા હતા. આ કારણે વસંત પંચમીને માતા સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

વસંત પંચમીને બસંત પંચમી અને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે 2 ખાસ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ પણ વધુ વધી ગયું છે. આવો જાણીએ વસંત પંચમીની તિથિ અને પૂજાનો શુભ સમય.

વસંત પંચમી 2025 તારીખ

વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે આ તારીખ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 9:15 વાગ્યે શરૂ થશે. તેનું સમાપન 3 ફેબ્રુઆરીએ સવારે 06:53 વાગ્યે થશે. આથી 2 ફેબ્રુઆરી 2025ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. કારણ કે 3 ફેબ્રુઆરીએ સૂર્યોદય થતા જ પંચમી તિથિ સમાપ્ત થઈ રહી છે, જેના કારણે મહા સુદ પાંચમ તિથિનો ક્ષય માનવામાં આવે છે.

વસંત પંચમી પૂજા મુહૂર્ત

પંચાગ અનુસાર 2 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7.08 થી બપોરે 12.34 વાગ્યા સુધી પૂજા કરી શકો છે. આ દિવસે પૂજા માટે લગભગ 5 કલાક અને 26 મિનિટનો સમય મળશે.

આ પણ વાંચો – વસંત પંચમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે? જાણો પૌરાણિક કથા

બની રહ્યા છે આ શુભ યોગ

આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ યોગમાં પૂજા કરવાથી તમને બમણું ફળ મળે છે.

વસંત પંચમી પૂજાનું મહત્વ

આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિના આશીર્વાદ મળે છે. આ દિવસે દેવી સરસ્વતીની વિધિવત પૂજા કરવાની સાથે પીળા રંગનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે, કારણ કે માતાને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે. વસંત પંચમી પર શિક્ષણ અને સંગીત સાથે જોડાયેલા લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે. તેઓ જ્ઞાનની દેવી પાસેથી બુદ્ધિ અને વિદ્યાની કામના કરે છે. સાથે જ શાળા અને કોલેજોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને આ દિવસે સરસ્વતી પૂજામાં ભાગ લે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ