Vastu Tips: બાળક માટે સ્કૂલ બેગ આ કલરની ક્યારે ન ખરીદવી, અભ્યાસમાં મન નહીં લાગે, જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Vastu Tips For Child School Bag Colour: બાળકો માટે સ્કૂલ બેગના રંગની કાળજીપૂર્વક પસંદગી કરવી જોઇએ. અમુક રંગની સ્કૂલ બેગ હશે તો બાળકનું અભ્યાસમાં મન ઓછું લાગે છે. જાણો વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાળકના સ્કૂલ બેંગનો રંગ કેવો હોવો જોઇએ.

Written by Ajay Saroya
April 18, 2025 14:39 IST
Vastu Tips: બાળક માટે સ્કૂલ બેગ આ કલરની ક્યારે ન ખરીદવી, અભ્યાસમાં મન નહીં લાગે, જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
chool Bag Colour Vastu Tips: બાળક માટે સ્કૂલ બેગનો રંગ કાળજીપૂર્વક પસંદ કરવો જોઇએ. (Photo: Freepik)

Vastu Tips For Child School Bag Colour: શાળા કોલેજમાં ઉનાળાનું વેકેશન પડી ગયું છે. હવે શાળા કોલેજ ખુલશે ત્યારે નોટબુક ચોપડી સાથે નવા સ્કૂલ બેગ પણ ખરીદવામાં આવશે. હાલ બજારમાં વિવિધ કલરમાં અને ડિઝાઇનર બેગ ઉપલબ્ધ છે અને બાળકો પણ તેમની પસંદગીની બેગ ખરીદે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્કૂલ બેગનો રંગ તમારા બાળકના અભ્યાસ અને મૂડને પણ અસર કરી શકે છે. જી હા, વાસ્તુ મુજબ બાળકોની સ્કૂલ બેગ ખરીદતી વખતે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમની બેગ આરામદાયક હોવી જોઈએ અને તેમાં જગ્યા હોવી જોઈએ, તેમજ સ્કૂલ બેગના રંગનું પણ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાળકોની સ્કૂલ બેગ કયા રંગની હોવા જોઈએ અને કયા કલર વાળી ખરીદવાનું ટાળવું જોઈએ.

સ્કૂલ બેગ માટે લીલા અને પીળા રંગ સૌથી શુભ

વાસ્તુ શાસ્ત્ર મુજબ બાળકોની સ્કૂલ બેગ માટે લીલા અને પીળા રંગને શુભ માનવામાં આવે છે. લીલો રંગ ભગવાન ગણેશ સાથે સંકળાયેલો છે, જે બુદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. તો પીળો રંગ ગુરુ ગ્રહનું પ્રતીક છે, જે શિક્ષણ, સમજણ અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. એવું માનવામાં આવે છે કે આ રંગની સ્કૂલ બેગમાં પુસ્તકો રાખવાથી બાળકની એકાગ્રતા અને શીખવાની ક્ષમતામાં સુધારો થઈ શકે છે.

લાલ, સફેદ અને નારંગી રંગ પણ ફાયદાકારક

જો તમને લીલો કે પીળો રંગ પસંદ નથી તો તમે લાલ, સફેદ અથવા નારંગી રંગની બેગ પણ પસંદ કરી શકો છો. લાલ અને સફેદ રંગ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, જ્યારે નારંગી રંગ બાળકમાં સક્રિયતા અને આત્મવિશ્વાસ વધારવા માટે માનવામાં આવે છે. આવી રંગીન બેગ બાળકને માનસિક રીતે તંદુરસ્ત અને પ્રેરિત રાખવામાં મદદ કરે છે.

આવા કલરની સ્કૂલ બેગ ખરીદવાનું ટાળો

વાદળી અને કાળા રંગની બેગ બજારમાં સૌથી વધુ ઉપલબ્ધ છે, પરંતુ રંગોના જ્યોતિષશાસ્ત્ર અને મનોવિજ્ઞાન અનુસાર, આ રંગો બાળકો માટે શુભ માનવામાં આવતા નથી. વાદળી રંગ શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે એકાગ્રતામાં અવરોધ લાવી શકે છે. બીજી તરફ કાળો રંગ ઉદાસી, નકારાત્મકતા અને થાકમાં વધારો કરી શકે છે. આવા કલરની સ્કૂલ બેગથી બાળકોનું મન અભ્યાસમાં ઓછું લાગે છે અને તેમનો મૂડ પણ ઝડપથી બગડી શકે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ