scorecardresearch

Akshay Kumar visit Kedarnath: અક્ષય કુમાર કેદારનાથના દર્શને, ‘હર હર મહાદેવ’ના લગાવ્યા નારા

Akshay Kumar: અક્ષય કુમારે મંગળવારે પવિત્ર મંદિર તીર્થધામ કેદારનાથની મુલાકાત લીધી. હવે અક્ષયની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

akshay kumar latest news
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મંગળવારે પવિત્ર મંદિર તીર્થધામ કેદારનાથની મુલાકાત લીધી. હવે અક્ષયની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાને મંદિરની બહાર હાથ જોડીને જોઈ શકાય છે.

જેમ જેમ તેના ચાહકો તેની આસપાસ એકઠા થયા, અભિનેતાએ બાકીના અનુયાયીઓ સાથે ‘હર હર મહાદેવ’ ના નારા લગાવ્યા. મંદિરની બહાર આવતાની સાથે જ અક્ષયના કપાળ પર ચંદનની પેસ્ટ હતી અને તેણે ધાર્મિક હાર પહેર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર માટે 2022 ખૂબ જ અસફળ વર્ષ રહ્યું છે, તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે અને નબળા રિવ્યુ મળ્યા છે. આ વર્ષે, તે OMG 2 અને સૂરરાય પોટ્રુની હિન્દી રિમેકની રાહ જોઈ રહ્યો છે. બડે મિયાં છોટે મિયાં, જેમાં ટાઇગર શ્રોફ પણ છે, તે 2024માં રિલીઝ થવાની છે, અને અક્ષયને તાજેતરમાં જ ફિલ્મના સેટ પર નાની ઈજા થઈ હતી. જોકે તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

તે હેરાફેરીના ત્રીજા ભાગમાં પણ કામ કરવા માટે તૈયાર છે. અક્ષયે અગાઉ કહ્યું હતું કે સર્જનાત્મક મતભેદોને કારણે તે પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયો હતો પરંતુ ટૂંક સમયમાં, તે ફરીથી પ્રોજેક્ટમાં જોડાયો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ પણ ફ્રેન્ચાઈઝીમાં જોડાયા હતા. હેરા ફેરી 3 ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Web Title: Akshay kumar visit kedarnath photos and videos instagram upcoming movie

Best of Express