અર્જુન કપૂરે પિતા બોની કપૂર અને ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સંગ વેકેશનની તસવીરો કરી શેર, જાહ્નવી કપૂર ચિંતામાં

Arjun kapoor: તાજેતરમાં અર્જુન કપૂર પિતા બોની કપૂર અને ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સંગ વેકેશન પર બર્લિન ગયો હતો.જેની યાદગાર તસવીરો હવે તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Written by mansi bhuva
Updated : May 05, 2023 11:11 IST
અર્જુન કપૂરે પિતા બોની કપૂર અને ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સંગ વેકેશનની તસવીરો કરી શેર, જાહ્નવી કપૂર ચિંતામાં
અર્જૂન કપૂરે પિતા બોની કપૂર અને ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સંગ વેકેશનની તસવીરો કરી શેર

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે ગુરૂવારે (4 મે) પોતના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના વેકેશનની સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અર્જુન કપૂર તેના પિતા બોની કપૂર અને ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સાથે જોવા મળ્યા હતા. અર્જુન કપૂરે શેર કરેલી આ તસવીરો પર બહેન જાહ્નવી કપૂરે રમૂજી ટિપ્પણી કરી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

અર્જુન કપૂરે સ્વાદિષ્ટ વાનગીઓની ઝલક આપતી કેટલીક તસવીરો પણ શેર કરી છે. મલાઈકા એક સ્વાદિષ્ટ દેખાતી કૂકીના અડધા ભાગ સાથે પોઝ આપતી તસવીરમાં કેપ્ચર થઈ હતી જ્યારે બોની સ્વાદિષ્ટ ખોરાકથી ભરેલી પ્લેટનો આનંદ માણતો જોવા મળ્યો હતો. બોની કપૂરને છપ્પન ભોગ સાથે જોતા જાહ્નવી કપૂરે કોમેન્ટ કરી હતી કે, મને લાગ્યું કે પપ્પા તેની ડાયટ પર કાયમ છે. જો કે અર્જુન કપૂરે જાહ્નવીની આ કોમેન્ટ પર પ્રતિક્રિયા આપી હતી કે, તેમણે આ ખાસ બાઇટને છોડી દીધું હતું. બીજી બાજુ મલાઇકા અરોરાએ પણ કોમેન્ટ સેશનમાં રેડ-હાર્ટ ઈમોજી શેર કર્યા હતા.

અર્જુને કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓની ઝલક આપી. મલાઈકા એક સ્વાદિષ્ટ દેખાતી કૂકીના અડધા ભાગ સાથે પોઝ આપતી તસવીરમાં કેપ્ચર થઈ હતી જ્યારે બોની સ્વાદિષ્ટ ખોરાકથી ભરેલી પ્લેટનો આનંદ માણતો જોવા મળ્યો હતો. જાહ્નવીએ પોસ્ટ પર કમેન્ટ કરી, “મને લાગ્યું કે પાપા તેમના ડાયેટ પર છે.” અર્જુને જવાબ આપ્યો, “તેણે આ ચોક્કસ ડંખ છોડી દીધો !!! તિરામિસુનો ડંખ ન લઈ શક્યો…” મલાઈકાએ પોસ્ટના ટિપ્પણી વિભાગમાં રેડ-હાર્ટ ઈમોટિકન્સ પણ છોડી દીધા.

અર્જુન કપૂરે વેકેશનની તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું છે. અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું કે, “રેન્ડમનેસ એપ્રિલ 2023. બર્લિન – સાલ્ઝબર્ગ – ફ્રેન્કફર્ટ.”

મહત્વનું છે કે, અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ઘણા વર્ષોથી રિલેનશીપમાં છે અને સાથે વેકેશનની મોજ માણતા જોવા મળ્યા છે. ત્યારે તાજેતરમાં મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં બીજા લગ્ન અંગે ખુલાસો કર્યો હતો કે, તે તે બીજા લગ્ન વિશે વિચારી રહી છે. પરંતુ હમણા તે આ વિષય પર વધુ વાત કરવા નથી માંગતી. તેણે કહ્યું કે, અલબત્ત મેં આ અંગે વિચાર્યું છે. હું મારા અને અર્જુના રિલેશનશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગુ છું. હું પ્રેમમાં વિશ્વાસ કરુ છું… પરંતુ હું એ વાતનો જવાબ ન આપી શકુ કે, ક્યારે બીજા લગ્ન કરીશ કારણ કે, હું કેટલીક વસ્તુઓને સરપ્રાઈઝ રાખવા માંગુ છું. અગાઉથી જણાવી દેવાથી તેની મજા ખતમ થઈ જાય છે.

આ પણ વાંચો: Exclusive: ફેમિલી મેનની આગામી સિઝનનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં થશે શરૂ, હું ખુબ જ ઉત્સાહિત છું: મનોજ બાજપેયી

મલાઇકાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે કોઈએ મને કહ્યું હતું કે સંબંધ એક છોડ જેવો છે… તમે બીજ રોપશો અને તમારે તેને ઉગાડવા માટે પાણી આપવું પડશે… એટલા માટે સંબંધ અલગ નથી. તેમાં તમે શોટકર્ટનો સહારો ન લઈ શકો. રિલેશનશિપમાં એક બીજાને સમજવા અને તેની પ્રશંસા કરવી ખૂબ જરૂરી છે. અને મોટા ભાગે આપણે આ કરવાનું ભુલી જઈએ છીએ. મલાઈકા અને અર્જુન છેલ્લા ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

આ ઉપરાંત મલાઇકાએ અર્જુન કપૂર વિશે કહ્યું હતુ કે, તેઓ તેની ઉંમર કરતા વધુ હોશિયાર છે તેઓ ખુબ જ મજબૂત છે. તેમજ અર્જુન કપૂર ખુબ જ કેરિંગ વ્યક્તિ છે. હું તેમના આ ગુણોની ખુબ પ્રશંસા કરું છું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ