નસીરૂદ્દીન શાહે ઇસરો ચીફ પર દુપ્રષ્ચારનો લગાવ્યો આરોપ, ભારત ફરી અંધવિશ્વાસ તરફ...

Naseeruddin Shah: અભિનેતા નસીરૂદ્દીન શાહના તાજેતરના નિવેદનને પગલે ફરી હંગામો થયો છે. તેમના આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે.

Naseeruddin Shah: અભિનેતા નસીરૂદ્દીન શાહના તાજેતરના નિવેદનને પગલે ફરી હંગામો થયો છે. તેમના આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Naseeruddin shah photo news

નસીરૂદ્દીન શાહના તાજેતરના નિવેદનને પગલે ફરી હંગામો થયો છે.

અભિનેતા નસીરુદ્દીન શાહ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતાએ એવા પ્રકારના નિવેદનો આપ્યા છે, જેના પર ભારે હોબાળો થયો છે. ત્યારે ફરી એકવાર તેમના આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે. નસીરૂદ્દીન શાહે પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, તે દુઃખની વાત છે કે દેશ તેનો વૈજ્ઞાનિક સ્વભાવ ગુમાવી રહ્યો છે. નસીરૂદ્દીન શાહે કેમ આવું નિવેદન આપ્યું તે અંગે આ અહેવાલમાં વાંચો.

Advertisment

આ સાથે નસીરૂદ્દીન શાહે પોતાના નિવેદનમાં કહ્યું કે, અનુભવીઓનું કહેવું છે કે, સમયની સાથે દેશની જનતા વિજ્ઞાનથી દૂર અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવા તરફ પાછા જઇ રહ્યા છે, જે એક ખતરનાક બાબત છે. એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન નસીરૂદ્દીન શાહે કહ્યું કે ચાર્લ્સ ડાર્વિનને પાઠ્યપુસ્તકોમાંથી હટાવી દેવામાં આવ્યાં છે અને હવે પછીનું પુસ્તક આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે કરવામાં આવશે. ત્યારબાદ અભિનેતાએ પ્રશ્ન કર્યો કે ચાર્લ્સ ડાર્વિન વિના અભ્યાસક્રમ કેવો લાગશે?

વધુમાં નસીરૂદ્દીન શાહે કહ્યું કે, વિજ્ઞાનને બદલે આપણે અંધશ્રદ્ધામાં પાછા જઈ રહ્યા છીએ. 'આનાથી કેન્સરનો ઇલાજ થઇ જશે, આનાથી એરોપ્લેન ઉડશે, તે કરશે. તેઓએ ચાર્લ્સ ડાર્વિનને બાયોલોજીના પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખ્યા છે, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જતો રહ્યો છે. પછી આઈન્સ્ટાઈન હશે, મને ખબર નથી કે તેઓ આપણને શું શીખવશે."

નસીરૂદ્દીન શાહે એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં એક અગ્રણી ચીફે તમામ વૈજ્ઞાનિક શોધ માટે પુરાણોને શ્રેય આપ્યો હતો અને "અનુચિત ક્રેડિટ" લેવા માટે પશ્ચિમની ટીકા કરી હતી. આ અંગે અભિનેતાએ કહ્યું કે આ દાવા એટલા વાહિયાત છે કે કોઈ તેનો વિરોધ કેવી રીતે કરી શકે.

Advertisment

આ પણ વાંચો: તારક મહેતા ફેમ સોનાલિકા જોશી ઉર્ફ માધવી ભાભીની આ રીતે ચમકી કિસ્મત, અભિનેત્રીનું જીવન બદલાઇ ગયું

આ ઉપરાંત નસીરૂદ્દીન શાહે કહ્યું કે, ઇસરોના વડા, મને લાગે છે કે તે એક મહિલા છે, કહે છે કે 'આ તમામ વૈજ્ઞાનિક શોધો પુરાણોમાં હતી' (આ તમામ વૈજ્ઞાનિક શોધો પુરાણોમાં હતી) અને યુરોપીયન શોધોને ધ્યાનમાં લેવા માટે પશ્ચિમને અનુચિત શ્રેય લે છે. હવે તમે તેની સાથે દલીલ પણ કેવી રીતે કરી શકો? આવા વ્યક્તિત્વ સાથે તમે શું વાતચીત કરી શકો?"

આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ