પરેશ રાવલ ક્યા અભિનેતાના પિતાના કહેવા પર પોતાનું જ યુરિન પીવા લાગ્યા? જાણો કેમ અને પછી શું થયું

Paresh Rawal: પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં આ સમગ્ર કિસ્સો જણાવ્યો છે. તેમણે 15 દિવસ પોતાનું યુરિન પીધું અને ત્યાર બાદ એક્સ રે રિપોર્ટ જોઇ ડોક્ટર પણ ચોંકી ગયા હતા. આ એક્ટરના પિતાની સલાહ તેમના માટે કારગર સાબિત થઇ હતી. વાંચો રસપ્રદ કિસ્સો

Paresh Rawal: પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં આ સમગ્ર કિસ્સો જણાવ્યો છે. તેમણે 15 દિવસ પોતાનું યુરિન પીધું અને ત્યાર બાદ એક્સ રે રિપોર્ટ જોઇ ડોક્ટર પણ ચોંકી ગયા હતા. આ એક્ટરના પિતાની સલાહ તેમના માટે કારગર સાબિત થઇ હતી. વાંચો રસપ્રદ કિસ્સો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Paresh Raval | Paresh Raval film | Paresh Raval movies

Paresh Rawal: પરેશ રાવલ બોલીવુડના દિગ્ગજ કલાકાર છે. (Photo: @ipareshrawal)

Paresh Rawal: પરેશ રાવલ બોલિવૂડના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. તેમણે તેમની કારકિર્દીમાં એક કરતાં વધુ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પડદા પર પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. તેમની ઘણી ફિલ્મો યાદગાર છે, જેમાં પરેશ રાવલે શાનદાર કામ કર્યું છે. પોતાની કારકિર્દીમાં તેમણે કોમેડીથી માંડીને ગંભીર ભૂમિકાઓ ભજવી છે. તેમની સુપરહિત ફિલ્મોમાં એક છે ઘાતક, જેમાં તે સની દેઓલ સાથે દેખાય હતો. પરેશ રાવલે આ ફિલ્મ સાથે જોડાયેલી સ્ટોરી સંભળાવી હતી કે તેમને શૂટિંગ દરમિયાન કંઈક એવું થયું કે અજય દેવગનના પિતાએ તેમને પોતાનું યુરિન (પેશાબ) પીવાની સલાહ આપી. અભિનેતાએ દાવો કર્યો હતો કે તે ની સલાહ તેના માટે ખૂબ ઉપયોગી હતી. વાંચો સમગ્ર કિસ્સો

Advertisment

હકીકતમાં પરેશ રાવલને ઘાતક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. આ ફિલ્મમાં તેમનો એક સીન છે, જેમાં રાકેશ પાંડે તેને ફિશ માર્કેટમાં ઘસડતા લઇ જવાના હતા અને આ સીન માટે તેમને ચપ્પલ આપવામાં આવ્યા હતા. આના શૂટિંગ દરમિયાન અભિનેતાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. અજય દેવગણના પિતા વીરુ દેવગન જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેમને મળવા આવ્યા હતા. પછી તેમને પોતાનું યુરિન પીવાની સલાહ આપી અને આ વાત માની તેઓ બહુ જ ઓછા સમયમાં સાજા થઇ ગયા હતા.

પરેશ રાવલનો દાવો, વીરુ દેવગનના કહેવા પર પેશાબનું સેવન કર્યું

પરેશ રાવલે તાજેતરમાં જ 'ધ લલનટોપ' સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે અજય દેવગણના પિતા વીરુ દેવગણની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે વીરુ દેવગણ તેમને મળવા આવ્યા હતા. તેઓ આવ્યો અને મને પૂછ્યું કે શું થયું છે. આના પર પરેશ રાવલે તેમને કહ્યું કે તે પડી ગયા હતા. અજય દેવગણના પિતાએ તે સમયે તેની તબિયત વિશે પૂછપરછ કરી તો એક્ટરે કહ્યું કે તેમને હોસ્પિટલમાં આવ્યાને 3-4 દિવસ થઈ ગયા છે. આના પર વીરુ દેવગણે તેમને પૂછ્યું કે શું તે તેમની કોઈ સલાહનું પાલન કરશે? પરેશ રાવલે જ્યારે હકારમાં જવાબ આપ્યો તો અજય દેવગણના પિતાએ તેમને સલાહ આપી કે સવારે સૌથી પહેલા તેમણે પોતાનું યુરિન પીવું જોઇએ.

વીરુ દેવગણે પરેશ રાવલને યુરિન પીવા માટે સમજાવ્યા

પરેશ રાવલે દાવો કર્યો હતો કે, આ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. ત્યારે વીરુ દેવગને તેને સમજાવીને કહ્યું કે સવારે ઉઠીને પહેલા તે પોતાનું યુરિન પી લે. અજયના પિતાએ તેમને એમ કહીને સમજાવ્યા હતા કે, બધા લડવૈયા આવું કરે છે. તેનાથી કોઈ સમસ્યા નહીં થાય અને ક્યારેય કશું જ નહીં થાય. વીરુ દેવગણે તેમને રાત્રે દારૂ ન પીવાની અને મટન વગેરે પીવાનું પણ બંધ કરવાની સલાહ આપી હતી. તેમને સાદું ભોજન કરવાની સલાહ આપી હતી. પરેશ રાવલ સહમત થયા કે તે સવારે સૌથી પહેલા પોતાનો પેશાબ પીશે.

Advertisment

પેશાબનું સેવન કર્યું, રિપોર્ટ જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા

આ સાથે પરેશ રાવલે જણાવ્યું હતું કે, કેવી રીતે તેમણે પેશાબ પીવા માટે પોતાની જાતને તૈયાર કરી હતી. અભિનેતાએ કહ્યું કે તેમણે પોતાને એવી રીતે તૈયાર કર્યા હતા કે, જો યુરિન પીવું છે તો એક જ ઝાટકે ન પીવે. ઉલટાનું, બીયર જેમ ઘુંટડે ઘુંટડે પીશે. કારણ કે તેમનું માનવું હતું કે જો કરવું જ હોય તો તે સંપૂર્ણપણે કરવું પડશે. અભિનેતાએ દાવો કર્યો હતો કે તેમણે 15 દિવસ સુધી આવું કર્યું હતું, પરંતુ, જ્યારે તે 15 દિવસ પછી ડોકટર પાસે ગયા અને તેનો એક્સ-રે જોયો, ત્યારે તે પણ ચોંકી ગયા અને પૂછ્યું કે આ સિમેન્ટિંગ કેવી રીતે થયું? પરેશ રાવલે જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ જલ્દી સાજા થઇ ગયા હતા અને લગભગ અઢી મહિનામાં કામ પર પરત ફર્યા હતા. તે તેમના માટે જાદુથી ઓછું નહોતું.

(ડિસ્ક્લેમરઃ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી આવા દાવાઓને સમર્થન આપતું નથી. કોઈપણ પ્રકારની ઈજા માટે ડોકટરોની સલાહ લેવી.)

celebrities મનોરંજન ન્યૂઝ