/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Untitled-design-36.jpg)
પૂજા બેદીએ એક જૂના ઈન્ટરવ્યુમાં છૂટાછેડા પછી જીવન વિશે પોતાના ખુલાસો કર્યો હતો. (ફોટોઃ પૂજા બેદી/ઈન્સ્ટા ગામ)
પૂજા બેદીએ તાજેતરમાં તેના એક જૂના ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આપી હતી, જેમાં તેણે ભરણપોષણ વિના તેના લગ્નજીવન માંથી મુક્ત થવાની વાત કરી હતી. તેણે હેડલાઇન્સ આપી હતી, પરંતુ પૂજાએ તેની નવી પોસ્ટમાં કહ્યું કે તે રેફરેન્સ રજૂ કરવામાં આવ્યો હતો. તેના ભૂતપૂર્વ પતિ ફરહાન ફર્નિચરવાલા માટે સ્ટેન્ડ લીધું હતું, અને કહ્યું કે તેણે તેમના બાળકોના વ્યક્તિગત અને શૈક્ષણિક ખર્ચમાં ફાળો આપ્યો છે.
પૂર્વ અભિનેતા અને પીઢ અભિનેતા કબીર બેદી અને પ્રોતિમા બેદીની પુત્રી પૂજાએ ટ્વિટ કર્યું હતું કે, ''હેડલાઇન્સ આટલી ભ્રામક હોઈ શકે છે! તેઓ સમસ્યા પેદા કરી શકે છે, જેમ કે આ પરિસ્થિતિમાં, જ્યારે કોઈની જરૂર નથી. પોઝિટિવ પરિસ્થિતિ જોવા માટે પોઝિટિવ વ્યુ જોઈએ. શું તમારી પાસે તે ક્ષમતા છે?" અને તેની સાથે એક નિવેદન જોડ્યું.
Headlines can be so misleading! They can cause chaos, like in this situation, when there is no need for any. Always Look beyond the headlines... to see the bigger picture.
It takes a set of positive eyes to see a situation in a positive light. Do u have that ability? pic.twitter.com/zdk08kBTOS— Pooja Bedi (@poojabeditweets) June 8, 2023
આ પણ વાંચો: પ્રભાસ સ્ટારર ‘આદિપુરૂષ’ કલેક્શન મામલે શાહરૂખ ખાનની ‘પઠાણ’નો રેકોર્ડ તોડશે?
તેમણે નિવેદન આપ્યું હતું કે, "2015 માં દૂરદર્શન સાથેના મારા શૂટનો એક ઇન્ટરવ્યુ ફરી સામે આવ્યું છે, જેમાં કેટલીક અતિશય ઉત્સાહી સાઇટ્સ પર કહ્યું સછે કે હેડલાઇન્સ મારા ભૂતપૂર્વ પતિને ખરાબ કહેવામાં આવ્યા છે. તે મારા સંઘર્ષ અને નિર્ણયો અને વ્યક્તિગત જીવનની સ્ટોરી છે, અને તેનો કોઈ પણ અર્થ મારા બાળકોના પિતાને બદનામ કરવાનો નહોતો. તેમણે ક્યારેય ભાવનાત્મક રીતે તેમની અવગણના કરી નથી અને તેમના અંગત અને શૈક્ષણિક ખર્ચમાં તેમનો મોટો ફાળો રહ્યો છે.
આ પણ વાંચો: બ્લડી ડેડી મૂવી રિવ્યૂઃ શાહીદ કપૂરની દમદાર એક્ટિંગ, કોકેઇન અને ક્રાઇમનું થ્રિલર દર્શકોને મજા કરાવશે
પૂજાનું નિવેદન આપ્યું હતું કે, “ફરહાન અને હું બંને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મજબૂત બન્યા છીએ અને હૂંફ, આદર અને પ્રેમ આજ સુધી અમારી અદ્ભુત ગતિશીલતામાં મુખ્ય ઘટક છે. આપણે બધા એક કુટુંબ તરીકે કેવી રીતે ઊભરીએ અને કેવી રીતે આપણા વર્તમાન ભાગીદારો પરિસ્થિતિ અને મિત્રતા પ્રત્યે આદરણીય બનીએ તેથી વધુ સારી હેડલાઇન્સ શું હોઈ શકે, તો આપણે સ્વસ્થ સમાજ બનાવવાનો પ્રયત્ન કરીએ અને યોગ્ય દાખલા બેસાડીએ તો ચાલો જે પોઝિટિવ અને અનુકરણને લાયક છે તેનો પ્રચાર કરીએ.”
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us