બનાસકાંઠામાં 31 દલિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો

Banaskantha : ધર્માંતરણ કરનારાઓ બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના જિલ્લાના હતા

Written by Ashish Goyal
May 12, 2024 23:02 IST
બનાસકાંઠામાં 31 દલિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો
બનાસકાંઠામાં 12 મહિલાઓ સહિત 31 દલિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે (તસવીર - એક્સપ્રેસ)

31 Dalits embrace Buddhism : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રવિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ભાગોમાંથી 12 મહિલાઓ અને 19 પુરુષો સહિત 31 દલિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ધર્માંતરણ કરનારાઓ બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના જિલ્લાના હતા.

ગુજરાત બૌદ્ધ એકેડેમીના સેક્રેટરી રમેશ બેંકરે જણાવ્યું હતું કે આ બધા અનુસૂચિત જાતિના હતા. પોરબંદરના ભંતે પ્રજ્ઞા રતન થેરોએ 31 લોકોને બુદ્ધ ધમ્મ દીક્ષા આપી હતી. જેનું આયોજન બુદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ બનાસકાંઠાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના તાજેતરના પરિપત્રમાં સ્પષ્ટતા કરી હતી કે બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ ગણવો જોઈએ અને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે ગુજરાત સ્વતંત્રતા અધિનિયમની જોગવાઈઓ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરીની જરૂર છે. આ પછી રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ધર્માંતરણની ઘટના છે.

આ પણ વાંચો – નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલે જારી કરાયેલા પરિપત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હિન્દુ ધર્મમાંથી જૈન અને શીખ ધર્મમાં પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટ્રેટની સમાન પૂર્વ મંજૂરીઓ જરૂરી છે.

ગુજરાત બૌદ્ધ એકેડેમીના સેક્રેટરી રમેશ બેંકરે જણાવ્યું હતું કે ધાર્મિક પરિવર્તન માટે પ્રવર્તમાન કાયદા અનુસાર પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. તેઓ 8 એપ્રિલના સરકારી પરિપત્ર પહેલા પણ આ પ્રક્રિયાને અનુસરી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ