ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આનાથી ઘણા લોકોમાં મૂંઝવણ અને ચિંતા ફેલાઈ છે. સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે, જો SIR દરમિયાન કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ના મળે, તો શું તેમની નાગરિકતા પર અસર થશે કે તેમને દેશનિકાલ કરી શકાય છે? એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે SIR ને નાગરિકતા સાથે કોઈ લેવાદેવા નથી. તે ફક્ત મતદાર યાદીને વધુ સચોટ બનાવવા, ભૂલો સુધારવા અને ડુપ્લિકેટ અથવા ખોટી એન્ટ્રીઓ દૂર કરવાની પ્રક્રિયા છે.
SIR ની પ્રક્રિયા દરમિયાન અફવાઓ અને ખોટી માહિતી લોકોમાં મૂંઝવણ ફેલાવી રહી છે. તેથી એ સમજવું જરૂરી છે કે SIR ફક્ત મતદાર યાદી અપડેટ કરવા સંબંધિત પ્રક્રિયા છે.
ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
જે મતદારો BLO દ્વારા SIR ફોર્મ મેળવી શકતા નથી તેઓ પણ તેને ઓનલાઈન ભરી શકે છે. જોકે જેમનો મોબાઈલ નંબર પહેલાથી જ તેમના મતદાર ID સાથે લિંક થયેલ છે તેઓ જ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. જો નંબર લિંક ના હોય તો સિસ્ટમ લોગિન કરવાની મંજૂરી આપશે નહીં, અને ફોર્મ ફક્ત ઑફલાઇન જ ભરી શકાશે, એટલે કે મતદાર ID કાર્ડની મદદથી.
આ પણ વાંચો: SIR ફોર્મને લઈ મહત્ત્વની માહિતી, BLO એ તમારૂં ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું છે કે નહીં; આવી રીતે કરો ચેક
મતદાર ID મેળવવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને તેમની પાસે ભારતીય નાગરિકતા હોવી જોઈએ. ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે વીજળી કે પાણીના બિલ, બેંક પાસબુક અથવા અન્ય માન્ય દસ્તાવેજોનો ઉપયોગ સરનામાના પુરાવા તરીકે થઈ શકે છે.
મતદાર ID નો 10-અંકનો યૂનિક નંબર સૌથી મહત્વપૂર્ણ
મતદાર યાદીને વધુ પારદર્શક અને સચોટ બનાવવા અને અસરકારક રીતે છેતરપિંડીભર્યા મતદાનને રોકવા માટે SIR પ્રક્રિયા હવે ફરજિયાત બનાવવામાં આવી છે. આ પ્રક્રિયા એવા લોકોના નામ દૂર કરશે જેઓ મૃત્યુ પામ્યા છે અથવા અન્યત્ર કાયમી રીતે સ્થાયી થયા છે. SIR લાગુ થયા પછી વ્યક્તિ ફક્ત એક જ જગ્યાએથી મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. આ ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી ભૂલોને દૂર કરવામાં મદદ કરશે.
10-અંકનો યૂનિક મતદાર ID નંબર, EPIC, ફક્ત મતદાન માટે જરૂરી નથી પરંતુ ઘણી સરકારી યોજનાઓ અને સેવાઓ માટે ઓળખના પુરાવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. SIR નો હેતુ ફક્ત મતદાર યાદી અપડેટ કરવાનો છે અને જો તમારા બધા દસ્તાવેજો સાચા હશે, તો તમારું નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં.





