ચીની નાગરિકે ગુજરાતમાંથી 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી, કોંગ્રેસ નેતા પવન ખેડાએ શ્વેત પત્રની માંગણી કરી

Football Betting App : ચીની નાગરિકે નકલી ફૂટબોલ સટ્ટાબાજી એપ બનાવી છેતરપિંડી આચરી, આપછી પોતાના દેશમાં ભાગી ગયો, મોટાભાગના પીડિતો ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોના છે

Written by Ashish Goyal
Updated : August 18, 2023 20:37 IST
ચીની નાગરિકે ગુજરાતમાંથી 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી, કોંગ્રેસ નેતા પવન ખેડાએ શ્વેત પત્રની માંગણી કરી
વુ ઉયાનબે નામના ચીનના ટેકનિકી નિષ્ણાંત 2020-22 માં ભારતમાં રહ્યો હતો. તેણે એક નકલી ફૂટબોલ સટ્ટાબાજી એપ બનાવી હતી (પ્રતિકાત્મક તસવીર)

Football Betting App : કોંગ્રેસે ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકાર પર અક્ષમતાનો આરોપ લગાવીને આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે એક ચીનના નાગરિકે ગુજરાતમાં નવ દિવસની અંદર 1200 ભારતીય નાગરિકો પાસેથી 1400 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. પરંતુ ક્યાંય ઇડી કે સીબીઆઇ દેખાતી નથી. કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે શ્વેતપત્ર દ્વારા આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. આખરે આ છેતરપિંડી સામાન્ય લોકો પાસેથી જ થઈ છે.

કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડાએ પણ પૂછ્યું હતું કે ચીની કૌભાંડી સામે ઇડી, સીબીઆઇ અને એસએફઆઇઓનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નહીં? એક ચીની વ્યક્તિ ગુજરાતમાં છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહ તેને રોકી શક્યા નહીં.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે વુ ઉયાનબે નામના ચીનના ટેકનિકી નિષ્ણાંત 2020-22 માં ભારતમાં રહ્યો હતો. તેણે એક નકલી ફૂટબોલ સટ્ટાબાજી એપ બનાવી હતી. ભારત છોડીને ભાગતા પહેલા ગુજરાતના સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. ખેડા કહે છે કે કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે આ એપ્લિકેશનને ઉત્તર પ્રદેશમાં ખુદ પોલી પ્રમોટ કરી હતી.

આ પણ વાંચો – યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યું – રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે મોટાભાગના પીડિતો ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોના છે. તેમણે કહ્યું કે, એપ સાથે જોડાયેલા કૌભાંડ પર શ્વેતપત્ર લાવવામાં આવે. ખેડાએ આક્ષેપ કર્યો હતો કે હાલના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાત સટ્ટાબાજીના કૌભાંડો અને પોન્ઝી સ્કીમોનું હબ બની ગયું છે. પરંતુ ડબલ એન્જિન સરકારે પીડિતો પ્રત્યે દુ:ખદ બેવડી ઉદાસીનતા દર્શાવી છે.

તેમણે કહ્યું કે આ કૌભાંડની જાણ થતાં જ સરકારે ઇડી, સીબીઆઇ અને એસએફઆઇઓને કામે લગાડવી જોઇતી હતી. પરંતુ ડબલ એન્જિનથી વિકાસનો દાવો કરનારી સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે. તે બધું જ જાણે છે પરંતુ તે તેને જાહેર કરવા માંગતી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ