પ્રજા વિજય પક્ષ : DG વણઝારાની PM મોદીના નજીકના મિત્રોમાં થતી ગણતરી, નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હતા

DG Vanzaras praja vijay paksh : ડીજી વણઝારાએ પ્રજા વિજય પક્ષ બનાવી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election) માં ઝંપલાવ્યું છે, તેઓ પીએમ મોદી (PM Modi) ના નજીકના માનવામાં આવતા હતા, હવે ભાજપ (BJP) ના વિકલ્પ તરીકે પાર્ટી બનાવી.

Written by Kiran Mehta
Updated : November 09, 2022 17:27 IST
પ્રજા વિજય પક્ષ : DG વણઝારાની PM મોદીના નજીકના મિત્રોમાં થતી ગણતરી, નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હતા
(ફોટો ક્રેડિટ - ડીજી વણઝારા સોશિયલ મીડિયા)

પૂર્વ IPS અધિકારી ડીજી વણજારાએ ગુજરાતમાં એક નવી પાર્ટીની રચના કરવાની જાહેરાત કરી છે, જેને ‘પ્રજા વિજય પક્ષ’ નામ આપવામાં આવ્યું છે. તેમણે માત્ર પાર્ટી બનાવવાની જ નહીં પરંતુ ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. ડીજી વણઝારા એક સમયે પીએમ મોદીના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા, પરંતુ હવે તેઓ ગુજરાતમાં ભાજપને ટક્કર આપવાની વાત કરી રહ્યા છે. આવો જાણીએ કોણ છે ડીજી વણઝારા?

કોણ છે ડીજી વણઝારા?

ડીજી વણઝારા 1987 બેચના ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે, ગુજરાતમાં તેમના રોકાણ દરમિયાન તેમની છબી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે સામે આવી હતી. તેઓ ગુજરાત ATS એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા અને પાકિસ્તાન સરહદને અડીને આવેલી બોર્ડર રેન્જના આઈજી રહી ચૂક્યા છે. ડીજી વણઝારા અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડીજી વણઝારા મોદીના ખૂબ નજીકના ગણાતા હતા.

નકલી એન્કાઉન્ટર કેસમાં જેલ

અમદાવાદના ડીજી વણઝારાએ અનેક એન્કાઉન્ટર થયા હતા. જ્યારે એન્કાઉન્ટરને લઈને હોબાળો થયો ત્યારે સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે, આ એન્કાઉન્ટર નકલી હતા. સોહરાબુદ્દીન, કૌસર બી, તુલસીરામ પ્રજાપતિ, સાદિક જમાલ, ઈશરત અને અન્ય ત્રણના નકલી એન્કાઉન્ટરના કેસમાં તેમણે જેલમાં જવું પડ્યું હતું. વણઝારા ફેબ્રુઆરી 2015માં જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતા. જો કે તેમણે જેલમાં રહીને જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમનું રાજીનામું સરકારે સ્વીકાર્યું ન હતું.

ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો

ડીજી વણઝારાએ તેમની ધરપકડ વિશે એમ પણ કહ્યું હતું કે, તેમણે જેટલા પણ એન્કાઉન્ટર કર્યા હતા તે કાયદાના દાયરામાં હતા. તેમણે કહ્યું હતું કે, જો આ એન્કાઉન્ટરો ન થયા હોત તો આજે નરેન્દ્ર મોદી જીવિત ન હોત. આટલું જ નહીં, વણઝારાને ગુજરાતમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, માત્ર તેમને તેમના કેસની સુનાવણી માટે ગુજરાત આવવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોડીજી વણઝારાએ નવો રાજકીય પક્ષ બનાવ્યો ‘પ્રજા વિજય પક્ષ’, ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે

તો, ડીજી વણઝારાએ તેમના રાજકીય પક્ષ ‘પ્રજા વિજય પક્ષ’ની જાહેરાત કરી છે. વણઝારાએ કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બની શકે તેમ નથી, તેથી PVP મેદાનમાં ઉતરશે અને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પરિવર્તનની જરૂર છે તેથી જ તેમણે પાર્ટી બનાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ