Tirupati Laddu Row: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે એક્સ પર કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સામે અમૂલને બદનામ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. તિરૂપતિ બાલાજી મંદિરમાં કથિત રીતે પ્રાણીઓની ચરબી ધરાવતા ઘી સપ્લાય કર્યું હોવાની અફવા ફેલાવવા બદલ ફરિયાદ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
જીસીએમએમએફના ડેપ્યુટી જનરલ મેનેજર (સેલ્સ) હેમંત ગૌનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ 20 સપ્ટેમ્બરે દિલ્હી ગયા હતા. સાંજે લગભગ 6:30 વાગ્યે જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે તેઓ સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર સ્ક્રોલ કરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે ઘણા યુઝર્સે પોસ્ટ કર્યું હતું કે અમૂલ છે જે તેમાં પ્રાણીઓની ચરબી સાથે ઘી પૂરું પાડે છે. ત્યારબાદ આ ઘીનો ઉપયોગ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા માટે કરવામાં આવતો હતો.
અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ગૌનીએ દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા સાઇટ પરની પોસ્ટ અફવાઓ ફેલાવીને અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ને બદનામ કરવા અને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી હતી.
આ એક્સ હેન્ડલ્સ સામે ફરિયાદ નોંધાવી
પોલીસે એફઆઈઆરમાં આરોપી તરીકે એક્સ હેન્ડલ્સ સ્પિરિટ ઓફ કોંગ્રેસ (Spirit of Congress), બંજાર 1991 (Banjara1991), ચંદનએઆઈપીસી (chandanAIPC), ક્યુલર બેંગાલી (SecularBengali) rahul_1700′, પ્રોફાપીએમ (profapm) prettypadmaja ના નામ આપ્યા છે.
આ પણ વાંચો – તિરૂપતિ મંદિર લાડુ માટે આ કંપનીનું ઘી ખરીદશે, આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે ઘીનો સપ્લાયર બદલ્યો
આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે મંદિરમાં પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીઓની ચરબી મળી હતી. તેમની પાર્ટીએ એનડીડીબીના અહેવાલને આ દાવાના આધાર તરીકે ટાંક્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો.
અમૂલે ટ્વિટ કરીને કરી સ્પષ્ટતા
અમૂલે ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કર્યું છે અને સ્પષ્ટતા કરી છે. અમૂલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ક્યારેય તિરુપતિ મંદિરમાં અમૂલ ઘી સપ્લાય કર્યું નથી. અમૂલ કંપનીએ કહ્યું કે અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ‘અમુલ ઘી અમારા અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટમાં દૂધમાંથી બનાવવામાં આવે છે, જે ISO પ્રમાણિત છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે. અમારી ડેરીઓમાંથી મેળવેલા દૂધમાં FSSAI દ્વારા નિર્દિષ્ટ ભેળસેળની તપાસ સહિત ગુણવત્તાની સખત તપાસ કરવામાં આવે છે.





