અમદાવાદ : ચાર રસ્તા પર પીળા પટ્ટાઓનો શું છે મતલબ? ગુજરાતમાં પ્રથમ પાંજરાપોળ ઈન્ટરસેક્શન પર અમલ, શું ટ્રાફિક દંડ થશે?

Ahmedabad introduces yellow box junction : અમદાવાદમાં પાંજરાપોળ સર્કલ પર પીળા પટ્ટાના બોક્સ જોવા મળી રહ્યા છે, અમદાવાદીઓ આના ટ્રાફિક નિયમ (traffic rules) થી અજાણ છે, શું છે આનો મતલબ, આગામી 24 સર્કલ પર આ રીતે યલો બોક્સ જંક્શન ધરાવતા સર્કલ બનાવવાની યોજના.

Written by Kiran Mehta
Updated : July 18, 2023 19:55 IST
અમદાવાદ : ચાર રસ્તા પર પીળા પટ્ટાઓનો શું છે મતલબ? ગુજરાતમાં પ્રથમ પાંજરાપોળ ઈન્ટરસેક્શન પર અમલ, શું ટ્રાફિક દંડ થશે?
અમદાવાદમાં ચાર રસ્તા કે સર્કલ પર પીળા પટ્ટાના બોક્સ કેમ બનાવવામાં આવી રહ્યા (ફોટો - એક્સપ્રેસ)

રિજિત બેનર્જી : અમદાવાદ શહેર માટે સૌપ્રથમ, તેના સૌથી વ્યસ્ત ઈન્ટરસેક્શનમાંના એક – પાંજરાપોળ ઈન્ટરસેક્શન પર ટ્રાફિકને સરળ બનાવવા માટે યલો બોક્સ જંકશન ધરાવતું સર્કલ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટના આદેશ પર આ પહેલ કરવામાં આવી છે અને રવિવારે ગ્રીડને આખરી ઓપ અપાયા બાદ તેના પર અમલ કરવામાં આવ્યો છે.

AMC કહે છે કે, આ 25 અન્ય વ્યસ્ત ચાર રસ્તા પર સમાન યલો બોક્સ જંકશન રજૂ કરવાની યોજના છે.

ચોરસ પીળી ગ્રીડ, જેને બોલચાલની ભાષામાં ‘યલો બોક્સ જંકશન’ તરીકે ઓળખવામાં આવે છે, આ ‘ડોન્ટ સ્ટેન્ડ’ વિસ્તાર તરીકે કામ કરે છે, જ્યાં વાહનોએ પસાર થતા સમયે નીકળવાનો માર્ગ લેવો હોય તો બોક્સની બહાર જ ઊભા રહેવું પડશે.

પીળા પટ્ટા-બોક્સનો આવો મતલબ?

AMCના જોઈન્ટ ડાયરેક્ટર (ટ્રાફિક) વિજય મિસ્ત્રી અનુસાર, આ બૉક્સ ટ્રાફિકને ચાર રસ્તાની વચ્ચે રોકવામાં અને ટ્રાફિક જામ થતા રોકવામાં મદદ કરે છે. એટલે કે તમે આ યલો બોક્સ પટ્ટા પર વાહન લઈ ઉભા નહીં રહી શકો, અથવા કોઈ અન્ય વાહન તેની પર હોય તો તમે સિગ્નલ ખુલે તો પણ વાહન લઈ જઈ નહીં શકો, જેથી અકસ્માત કે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય.

AMCના જોઈન્ટ ડાયરેક્ટર (ટ્રાફિક) વિજય મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “આવું યલો બોક્સ જંકશન પહેલાથી જ મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા મેટ્રોપોલિટન શહેરોમાં હાજર છે, હવે તે ગુજરાતમાં પહેલીવાર રજૂ કરવામાં આવ્યું છે.”

નાગરિકોને નવા ખ્યાલથી પરિચિત કરવા માટે, ટ્રાફિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, યલો બોક્સ જંકશનના નિયમોના ઉલ્લંઘન માટે હાલમાં કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. “યલો બોક્સના નિયમો તોડવા માટે અત્યારે કોઈ દંડ નથી, પરંતુ જો લોકો આ નિયમોનું પાલન નહીં કરે, તો અમે વધુ સારી સિસ્ટમ બનાવવાનું વિચારીશું. હાલમાં, સ્થળ પર લગભગ બે ટ્રાફિક બ્રિગેડ અને બે કોન્સ્ટેબલની ફાળવણી કરવામાં આવી રહી છે.” નીતાબેન હરગોવનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ઝોનના નાયબ પોલીસ કમિશનર (DCP) ટ્રાફિક, જેમના અધિકારક્ષેત્રમાં આ વિસ્તાર આવે છે.

મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, યલો બોક્સ જંકશન ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) દ્વારા જાહેર કરાયેલ નવીનતમ માર્ગદર્શિકાને અનુસરે છે. મિસ્ત્રી કહે છે કે, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, સુરત (SVNIT) ના પ્રોફેસરોએ એક સર્વેક્ષણ દરમિયાન, જેઓ IRCના સભ્ય છે, પીક અને લિનીયર મૂવમેન્ટ, ડાબે-ટર્ન મુદ્દાઓ અને ટ્રાફિકમાં અડચણ પેદા કરી શકે તેવી તમામ વસ્તુ જેવા પરિબળોની ચર્ચા કરી હતી, જેના આધારે કેટલાક મુદ્દાઓને આધારે, આ સર્વેમાં અમદાવાદમાં કેટલાક મોટા જંકશન જાહેર કરવામાં આવ્યા છે, જેના પર યલો બોક્સ જંકશનનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

જ્યારે હાલમાં સફેદ સ્ટોપ લાઈનો છે, જેને ડ્રાઈવર દ્વારા સિગ્નલ લીલું ન થાય તે પહેલા ઓળંગી શકાતી નથી, મિસ્ત્રી કહે છે કે, યલો બોક્સ જંક્શન્સ આજ નિયમને એક એડવાન્સ ઉપર લઈ જાય છે અને તેને બનાવે છે, જેથી ડ્રાઈવર સિગ્નલ લીલુ હોય ત્યારે પણ રોકાઈ શકે છે. જો બૉક્સની બહાર નીકળવુ સ્પષ્ટ ન હોય તો તેમાં પ્રવેશશો નહીં, જે ટ્રાફિકને જાળવવાનું સરળ બનાવે છે અને ચાર રસ્તા પર ટ્રાફિકને ટાળે છે.

તેમણે સમજાવ્યું કે, “યલો બોક્સ જંકશન સ્થાપિત કરવા માટે પ્રથમ સ્થાન તરીકે પાંજરાપોળને પસંદ કરવામાં આવ્યું છે, કારણ એ છે કે આ સ્થળે તાજેતરના ભૂતકાળમાં વધુ ટ્રાફિક સાથે ત્રણથી ચાર જીવલેણ અકસ્માતો થયા છે.”

મિસ્ત્રી કહે છે કે, જટિલ ચાર રસ્તાના વિસ્તારોને પીળી ત્રાંસી રેખાઓ સાથે બોક્સના સ્વરૂપમાં ચિહ્નિત કરવામાં આવે છે, જે દર્શાવે છે કે, વાહને ટૂંકા ગાળા માટે પણ સ્થિર ન રહેવું જોઈએ. “આ ખાતરી કરવા માટે છે કે ભારે ટ્રાફિકના કિસ્સામાં જંકશન જામ ન થાય.” આ ચિહ્નોનો ઉપયોગ “સહેજતાથી” અને એવા સ્થળોએ થવો જોઈએ, જ્યાં વધુ ટ્રાફિકની સંભાવના છે, અને એવા વિસ્તારોમાં પણ જ્યાં ભારે ટ્રાફિકનો ભૂતકાળનો રેકોર્ડ છે.

મિસ્ત્રીએ કહ્યું કે, “અમે શહેરમાં આવા 25 વિસ્તારો ઓળખી કાઢ્યા છે, જ્યાં અમે અમદાવાદમાં સરળ ટ્રાફિક અવરજવર સુનિશ્ચિત કરવા માટે વિવિધ આકારો અને સ્વરૂપોમાં જંકશન ડેવલપમેન્ટનો ઉપયોગ કરવા માંગીએ છીએ. આ માટે, અમે SVNIT સાથે સર્વે કર્યો છે અને ડિઝાઇન પણ તૈયાર કરી છે અને અમે તેને સ્થળની જરૂરિયાત મુજબ અમલમાં મૂકીશું.”

કયા કયા ચાર રસ્તા પર પીળા પટ્ટા દોરવામાં આવી શકે છે?

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે શેર કરેલા લીસ્ટ મુજબ, યલો બોક્સ જંકશન લાગુ કરવા માટે આવા 25 જંકશન પસંદ કરવામાં આવ્યા છે. આવા કેટલાક રસ્તાઓમાં RTO સર્કલ જંક્શન, ઉસ્માનપુરા જંક્શન, નેહરુનગર જંક્શન, પાલડી સર્કલ, એરપોર્ટ સર્કલ જંક્શન, દાણીલીમડા જંક્શન, NFD સર્કલ, પ્રહલાદનગર જંક્શન, બિરાટનગર જંક્શન અને અનુપમ સર્કલનો સમાવેશ થાય છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ