ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોઇપણ જાતના તામ-જામ વગર ભર્યું ફોર્મ, જણાવ્યું કારણ

Gujarat Assembly Election 2022: : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હર્ષ સંઘવી (Harsh sanghvi) એ મજૂરા બેઠક (Majura) માટે ભાજપ (BJP) તરફથી ઉમેદવારી પત્ર ભર્યું, આ સમયે તેમણે મોરબી દુર્ઘટના (morbi bridge incident) ના પીડિતોના માનમાં સાદગીથી પત્ર ભર્યું.

Written by Kiran Mehta
Updated : November 14, 2022 14:45 IST
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોઇપણ જાતના તામ-જામ વગર ભર્યું ફોર્મ, જણાવ્યું કારણ
ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી માટે સુરતના મજુરા વિસ્તારમાંથી ઉમેદવારી પત્રો ભરતી વખતે તેમની નોમિનેશન રેલીમાં ઢોલ કે નગારા વગાડવામાં આવશે નહીં, કે કોઈ સ્પીકર પણ હશે નહીં. તેમણે કહ્યું કે તેઓ મોરબીના પીડિતો માટે આદરના ચિહ્ન તરીકે આ કરી રહ્યા છે. જ્યાં પુલ ધરાશાયી થવાને કારણે 130થી વધુ લોકોના મોત થયા હતા.

મોરબી પીડિતોના સન્માનમાં લેવાયો નિર્ણય

ભાજપના વરિષ્ઠ નેતાએ મોરબી પીડિતો માટે આદરની નિશાની તરીકે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન માત્ર એક નાની રેલી કાઢવામાં આવશે. જોકે મંચ પર માઈક્રોફોન અને સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે તેમણે ચૂંટણી કાર્યાલયમાં તેમના કાગળો દાખલ કરવા માટે આગળ વધતા પહેલા તેમના સમર્થકોને સંબોધિત કર્યા હતા. રેલીનું જીવંત પ્રસારણ મંત્રીના ફેસબુક પેજ પર ઉપલબ્ધ હતું. ગુજરાતમાં 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન થશે અને હિમાચલ પ્રદેશની સાથે 8મીએ પરિણામ આવશે.

હાઈકોર્ટે છ વિભાગો પાસેથી રિપોર્ટ માંગ્યો છે

મોરબીનો મામલો હાઈકોર્ટમાં છે અને હાઈકોર્ટે આ મામલે છ વિભાગો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. અત્યાર સુધી પોલીસે ઓરેવા ગ્રૂપની કંપનીના અમુક જ કર્મચારીઓની ધરપકડ કરી છે. જ્યારે વિરોધ પક્ષો અને કાર્યકરો દ્વારા 15 વર્ષનો કરાર કરનાર કંપની અને મોરબી નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.

મચ્છુ નદી પરનો 150 વર્ષ જૂનો પુલ સાત મહિનાથી સમારકામ માટે બંધ હતો. તે 26 ઓક્ટોબર, ગુજરાતી નવા વર્ષમાં, નાગરિક સત્તાવાળાઓ તરફથી ફિટનેસ પ્રમાણપત્ર વિના ફરીથી જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતો.

આ પણ વાંચોજીતુ વાઘાણી ઈન્ટરવ્યૂ : ‘હું શ્રોતાઓને કહું છું નરેન્દ્રભાઈ તો માત્ર નિમિત છે, જેને ભગવાને અને તમે પસંદ કર્યા છે’

કોન્ટ્રાક્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેને 8-12 મહિના માટે બંધ રાખવાની જરૂર છે. ઑક્ટોબરમાં તે ફરીથી ખોલવામાં આવ્યો અને તે 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો, કારણ કે કેબલને હજુ સમારકામમાં બદલવામાં આવ્યો ન હતો, જ્યારે નવું ફર્શ વજનમાં ભારે હતુ. 500 લોકો બ્રિજ પર હતા ત્યારે કેબલ તૂટી જતાં કરૂણ અકસ્માત સર્જાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પુલ માત્ર 125 લોકોનું વજન વહન કરી શકે તેવો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ