Gujarat Budget 2024 Food Civil Supplies Department : ગુજરાત બજેટ 2024માં નાણા મંત્રી કનુ દેસાઇએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઇ કરી છે. જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઇ કરી છે. બજેટમાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેરદાળ, ચણા દાળ અને ખાદ્ય તેલ આપવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.
ઉપરાંત બજેટમાં શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત બજેટ 2024 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ માટે 2711 કરોડની જોગવાઇ
ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇ એ જણાવ્યું કે, પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી- 2024 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.
NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ.
નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ.
“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ.

આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : PM જન આરોગ્ય માટે 3110 કરોડની જોગવાઇ, 10 લાખ સુધી કેશ લેસ સારવાર મળશે
ગુજરાત બજેટ 2024 : રાશનકાર્ડ ધારકોને રાહત દરે ખાદ્ય તેલ અપાશે
ગુજરાત બજેટ 2024માં NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ.
સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા (આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ.
શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ.
નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે 25 કરોડની જોગવાઇ.





