વડોદરામાં પોતાના ટ્રાંસફરનો બદલો લેવા એન્જિનિયરે ત્રણ દિવસ આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરાવી દીધો

ગયા વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ વસાવાએ વિભાગમાં તેમના કાર્યકાળ દરમિયાન ભૂગર્ભ વાલ્વ સ્થાપિત કર્યા હોવાનો આરોપ છે. ઉત્તર ઝોનમાં છાણી, સમા, નવાયાર્ડ, ફતેહગંજ, હરણી અને કારેલીબાગ વિસ્તારોનો સમાવેશ થાય છે.

Written by Rakesh Parmar
Updated : August 31, 2025 16:55 IST
વડોદરામાં પોતાના ટ્રાંસફરનો બદલો લેવા એન્જિનિયરે ત્રણ દિવસ આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરાવી દીધો
વડોદરાના આ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહ્યો હતો.

એક અઠવાડિયા પહેલા વડોદરાના ઉત્તર ઝોનના લગભગ 30,000 રહેવાસીઓને પાણી પુરવઠો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું. આ સમસ્યા ત્રણ દિવસ સુધી ચાલી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના અધિકારીઓ રહેવાસીઓને મુશ્કેલી વેઠવી પડી હોવા છતાં તેનો સ્ત્રોત શોધવા માટે ઝઝૂમતા રહ્યા. અંતે તેમને એક “અજાણ્યા” ભૂગર્ભ પાણી વાલ્વના રૂપમાં સફળતા મળી જે બંધ હોવાનું જાણવા મળ્યું. વાલ્વ ચાલુ થતાં જ પાણી પુરવઠો પુનઃસ્થાપિત થઈ ગયો.

હવે પ્રશ્ન એ હતો કે આ વાલ્વ ક્યારે બનાવવામાં આવ્યો? તે શા માટે કોઈ અધિકારીના ધ્યાનમાં ના હતું? અને સૌથી અગત્યનું તેને કોણે અને શા માટે બંધ કર્યો?

તપાસમાં અધિકારીઓ તેમના જ એક એન્જિનિયર સુધી પહોંચ્યા, જે પાણી પુરવઠા વિભાગમાંથી તાજેતરમાં થયેલી બદલી બાદ કથિત રીતે નારાજ હતા. VMC એ જણાવ્યું હતું કે આરોપી નાયબ કાર્યકારી ઇજનેરે કથિત રીતે “પાણી પુરવઠા વિભાગની છબી ખરાબ કરવા અને તકલીફ ઊભી કરવા” માટે ભૂગર્ભ વાલ્વ કાપી નાખ્યો હતો.

નાગરિક સંસ્થાએ હવે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

VMC દ્વારા ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, હાલમાં રોડ પ્રોજેક્ટ વિભાગ સાથે જોડાયેલા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર યોગેશ વસાવાએ મુખ્ય પાણી પુરવઠા લાઇનના ભૂગર્ભ વાલ્વને બંધ કરવા માટે વિભાગના JCB ખોદકામ મશીનના લેબર સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટ ડ્રાઇવર સાથે સાંઠગાંઠ કરી હતી.

આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

28 ઓગસ્ટના રોજ વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને આપેલી ફરિયાદમાં જ્યાં 23 ઓગસ્ટથી આ કથિત ઘટના બની હતી, VMCના ઉત્તર ઝોનના પાણી પુરવઠા વિભાગના વર્તમાન નાયબ કાર્યકારી ઇજનેર, આલોક શાહે જણાવ્યું છે કે સ્થળના CCTV ફૂટેજની તપાસ કર્યા પછી નાગરિક સંસ્થાના અધિકારીઓએ આ કૃ્ત્યનો પર્દાફાસ કર્યો હતો.

ગયા વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ વસાવાએ વિભાગમાં તેમના કાર્યકાળ દરમિયાન ભૂગર્ભ વાલ્વ સ્થાપિત કર્યા હોવાનો આરોપ છે. ઉત્તર ઝોનમાં છાણી, સમા, નવાયાર્ડ, ફતેહગંજ, હરણી અને કારેલીબાગ વિસ્તારોનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, “આ વિસ્તાર માટે VMC ની મુખ્ય પાણી પુરવઠા લાઇન છાણીથી નવાયાર્ડ જંકશન નજીક કલાસવનલામાંથી પસાર થાય છે. અમને (વિભાગને) ખબર નહોતી કે ગયા વર્ષે ભારે વરસાદ અને પૂરને કારણે, આ વિસ્તારમાં કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે ભૂગર્ભ વાલ્વ ઠીક કરવામાં આવ્યો હતો… 23 ઓગસ્ટના રોજ VMC ને રહેવાસીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી ફરિયાદો મળી હતી કે આ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો નથી. તે મુજબ ઉત્તર ઝોનના પાણી વિભાગના અધિકારીઓએ કોઈપણ સંભવિત ખામીઓનું નિરીક્ષણ કરવા માટે વિસ્તારની મુલાકાત લીધી અને નેટવર્કના વિવિધ જંકશનની તપાસ કરી. જોકે કોઈ ખામી જોવા મળી ન હતી અને આ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહ્યો હતો…”

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉના ઇન્ચાર્જ અધિકારી અને વિભાગના કર્મચારીઓ દ્વારા ફીટ કરાયેલા ભૂગર્ભ વાલ્વ વિશે જાણ થતાં, પાણી પુરવઠા અધિકારીઓની એક ટીમ સ્થળ પર ગઈ અને જાણવા મળ્યું કે તેને તાજેતરમાં ખોદીને ફરીથી બનાવવામાં આવ્યો હતો. “જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ભૂગર્ભ વાલ્વ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે વાલ્વ ચાલુ કરવામાં આવ્યો ત્યારે તે વિસ્તારમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો… જેમ જેમ વિભાગે ઘટનાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે વાલ્વ અનધિકૃત રીતે બંધ કરવામાં આવ્યો હતો…”

આ પણ વાંચો: વોટ ચોરીની લડાઇ ગુજરાત પહોંચી, સીઆર પાટીલની લોકસભા સીટ પર નકલી વોટર હોવાનો કોંગ્રેસનો દાવો

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, “વિસ્તારમાં VMCના CCTV કેમેરા તપાસતા, ગુણવંત સોલંકી (VMCના JCB એક્સકેવેટરના કોન્ટ્રાક્ટ ડ્રાઇવર) ને VMCની માલિકીના JCB એક્સકેવેટર મશીનનો ઉપયોગ કરીને ભૂગર્ભ વાલ્વ ખોદતો જોવા મળ્યો હતો. સંજય માલી (લેબર સુપરવાઇઝર) વાલ્વ બંધ કરવા અને વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવવા માટેની સૂચનાઓનું પાલન કરવા માટે વસાવાના સતત સંપર્કમાં હતા.”

શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,”આરોપી એ પદ પર ફરજ બજાવતો હતો જ્યાં હું હવે છું. તેની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી. વિભાગની છબી ખરાબ કરવા અને અધિકારીઓને માનસિક તણાવ આપવાના ઇરાદાથી વસાવાએ સમગ્ર વિસ્તારને પાણી પુરવઠો બંધ કરવાનું કાવતરું ઘડ્યું.. . કોઈ પણ ખાતરીપૂર્વક કારણ વગર આવા અનધિકૃત કૃત્યમાં સામેલ થવાથી જાહેર મિલકતનું નુકસાન અને પાણીનો બગાડ થઈ શકે છે અને નાગરિકોને તકલીફ અને મુશ્કેલી પણ થઈ શકે છે તે જાણતા હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે મળીને VMCની મિલકતનો ઉપયોગ તેમના ખોટા કામ માટે કર્યો.”

ફતેહગંજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગઢવીએ પુષ્ટિ આપી હતી કે વીએમસીની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે નાગરિક સંસ્થાએ વસાવા સામે વિભાગીય તપાસ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) ને પણ પત્ર લખ્યો છે.

વિભાગના વડા અને કાર્યકારી ઇજનેર (વોટર વર્ક્સ), ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર (ડ્રેનેજ પ્રોજેક્ટ અને ગટરકામ) અને કાર્યકારી ઇજનેર (રોડ પ્રોજેક્ટ્સ), ધાર્મિક દવેએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે , “અમે આ મામલે વિભાગીય તપાસ માટે GAD ને પત્ર લખ્યો છે.”

વસાવાને આ વર્ષની શરૂઆતમાં બદલી કરવામાં આવી હતી, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અનેક ફરિયાદો કરી હતી કે તેઓ રહેવાસીઓને પડી રહેલી પાણીની સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. જોકે, દવેએ સ્પષ્ટતા કરી હતી કે આ બદલી નિયમિત ફેરબદલનો એક ભાગ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ