કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ તૈયાર થઈ જશે 16 માળનું ભવ્ય કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદને મળશે સિમ્પલ કનેક્ટિવિટી

અમદાવાદનું નવું રેલ્વે સ્ટેશન તેની ઊંચાઈ, ડિઝાઇન અને સુવિધાઓને કારણે સંપૂર્ણપણે અલગ અને આધુનિક દેખાવ ધરાવશે. તે માત્ર એક રેલ્વે સ્ટેશન જ નહીં પરંતુ મુસાફરો, પ્રવાસીઓ અને શહેરના રહેવાસીઓ માટે એક બહુહેતુક માળખું પણ હશે.

Written by Rakesh Parmar
Ahmedabad November 27, 2025 15:52 IST
કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ તૈયાર થઈ જશે 16 માળનું ભવ્ય કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદને મળશે સિમ્પલ કનેક્ટિવિટી
અમદાવાદ રેલ્વે સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાનો સ્પર્શ પણ શામેલ છે. (તસવીર: X)

કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન અમદાવાદમાં થશે. આ પહેલા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દુનિયાની આંખો અંજાઈ જાય તેવી અમદાવાદ શહેરની કાયાપલટ કરી દેશે. જોકે આ પહેલા અમદાવાદ રેલ્વે સ્ટેશન એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. તે દેશના સૌથી ઊંચા અને આધુનિક 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક નવું પરિવહન ધોરણ સ્થાપિત કરશે. રેલવેના જણાવ્યા અનુસાર આ મોટા પ્રોજેક્ટ પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.

કાલુપુરનું નવું રેલ્વે સ્ટેશન કેવું દેખાશે?

નવું સ્ટેશન તેની ઊંચાઈ, ડિઝાઇન અને સુવિધાઓને કારણે સંપૂર્ણપણે અલગ અને આધુનિક દેખાવ ધરાવશે. તે માત્ર એક રેલ્વે સ્ટેશન જ નહીં પરંતુ મુસાફરો, પ્રવાસીઓ અને શહેરના રહેવાસીઓ માટે એક બહુહેતુક માળખું પણ હશે. આ 16 માળના હબમાં વિશાળ પાર્કિંગ જગ્યાઓ, ઓફિસ સંકુલ, વાણિજ્યિક વિસ્તારો અને મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થશે. નોંધપાત્ર રીતે સ્ટેશનને પરિવહનના તમામ માધ્યમો (રેલ્વે, મેટ્રો, બસ સેવા અને બુલેટ ટ્રેન) ને એક જ સ્થાનમાં એકીકૃત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો એક જ પ્લેટફોર્મ પર તમામ કનેક્ટિવિટીનો આનંદ માણી શકશે, જે મુસાફરીને અત્યંત અનુકૂળ બનાવશે.

અમદાવાદની ઐતિહાસિક ઓળખ સાથે જોડાણ

સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાનો સ્પર્શ પણ શામેલ છે. બાહ્ય માળખું અને આંતરિક સ્થાપત્ય વારસાને સુંદર રીતે મિશ્રિત કરશે, અમદાવાદની ઐતિહાસિક ઓળખ જાળવી રાખતા આધુનિક સ્પર્શની ખાતરી કરશે. પશ્ચિમ રેલ્વેના ડીઆરએમ વેદ પ્રકાશે આ પ્રોજેક્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ 16 માળનું સ્ટેશન વડા પ્રધાન મોદીના વિઝનનો એક ભાગ છે. અમારો પ્રયાસ એ છે કે આખું સ્ટેશન શહેરના દરેક ભાગ સાથે શ્રેષ્ઠ રીતે જોડાયેલું રહે જેથી કોઈ પણ મુસાફરને અહીં પહોંચવામાં કોઈ મુશ્કેલી ના પડે.

સ્ટેશનની આસપાસનો વિસ્તાર પણ વિકસાવવામાં આવશે

તેમણે એમ પણ જણાવ્યું કે આગામી વર્ષોમાં વધતા મુસાફરોના ટ્રાફિકને સરળતાથી સંભાળવા માટે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ પરિવહન નેટવર્ક સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે. રેલ્વે અધિકારીઓ કહે છે કે સ્ટેશનની આસપાસનો વિસ્તાર પણ વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો: ‘પ્રોજેક્ટ વિશ્વાસ’ શું છે? જે ગુજરાત પોલીસ માટે ‘બ્રહ્માસ્ત્ર’ બનવા જઈ રહ્યો છે, જાણો તમામ વિગત

અમદાવાદ એક નવા પરિવહન કેન્દ્ર તરીકે ઉભરી આવશે

સુધારેલા રસ્તાઓ, બસ જોડાણો, મેટ્રો લિંક્સ અને ભવિષ્યમાં બુલેટ ટ્રેન કોરિડોર સાથે આ સમગ્ર વિસ્તાર અમદાવાદના નવા પરિવહન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આ પ્રોજેક્ટ શહેરના આર્થિક વિકાસ વેપાર અને પર્યટનને પણ નવી ગતિ આપશે. સ્થાનિક લોકો પણ આ પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત છે. ઘણા વર્ષો પછી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ એક આધુનિક સ્ટેશન મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ