અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયો એક વ્યક્તિ, આ કોઈ ચમત્કારથી ઓછું નથી, જુઓ વીડિયો

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : June 12, 2025 22:39 IST
અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયો એક વ્યક્તિ, આ કોઈ ચમત્કારથી ઓછું નથી, જુઓ વીડિયો
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, "પોલીસને સીટ નંબર 11A પર એક વ્યક્તિ જીવતો મળ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું. આ અકસ્માતના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈના બચવાની કોઈ આશા નથી. જોકે અમદાવાદમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે.

પ્લેન ક્રેશમાં જીવિત બચનારો વ્યક્તિ કોણ?

આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિ સીટ નંબર 11A પર હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. ત્યાં જ 242 લોકોથી ભરેલી ફ્લાઇટમાં એક વ્યક્તિનો બચી જવાને પણ ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. હાલમાં રમેશ વિશ્વાસ કુમાર ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. રમેશ વિશ્વાસ કુમારનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે, જેમાં સીટ નંબર 11A લખેલું છે.

જીવંત મળી આવેલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે

ફોન પર ANI સાથે વાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, “પોલીસને સીટ નંબર 11A પર એક વ્યક્તિ જીવતો મળ્યો છે. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.” અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક મુસાફર જીવતો મળી આવ્યો છે. આ ઉપરાંત ઘણા વધુ મુસાફરો જીવતા હોઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 મુસાફરોના મોત

અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું છે. ત્યાં જ અમદાવાદની બીજે મેડિકલ કેમ્પસના જૂનિયર ડોક્ટરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ