ગુજરાતમાં 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર, નવા 17 તાલુકાઓને મંજૂરી

ગુજરાતમાં વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.

Written by Rakesh Parmar
September 24, 2025 17:19 IST
ગુજરાતમાં 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર, નવા 17 તાલુકાઓને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Image: Bhupendra Patel/X)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.

રાજ્ય સરકારે વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજુરી આપી છે.

પ્રવક્તા મંત્રી જણાવ્યું કે વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું કે, વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યુ કે, મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે.

આ પણ વાંચો: ફેસબુક ઇમોજીએ કેવી રીતે એક યુવકનો જીવ લીધો, રાજકોટમાં એક મજૂરની હત્યાની ચોંકાવનારી કહાની

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વિકસિત ભારત @2047ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @2047 માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.

તાલુકા વિભાજન

ક્રમજિલ્લોમૂળ તાલુકો/ તાલુકાઓના નામનવા સૂચિત તાલુકાનું નામસૂચિત મુખ્ય મથક
(1)મહિસાગર/પંચમહાલસંતરામપુર તથા શહેરાગોધરગોધર
(2)લુણાવાડાકોઠંબાકોઠંબા
(3)નર્મદાડેડિયાપાડાચીકદાચીકદા
(4)વલસાડવાપી ગ્રામ્ય, કપરાડા, પારડીનાનાપોંઢાનાનાપોંઢા
(5)બનાસકાંઠાથરાદરાહરાહ
(6)વાવધરણીધરઢીમા
(7)કાંકરેજઓગડથરા
(8)દાંતાહડાદહડાદ
(9)દાહોદઝાલોદગોવિંદ ગુરુ લીમડીલીમડી
(10)ફતેપુરાસુખસરસુખસર
(11)છોટાઉદેપુરજેતપુર પાવીકદવાલકદવાલ
(12)ખેડાકપડવંજ અને કઠલાલફાગવેલકાપડીવાવ (ચિખલોડ)
(13)અરવલ્લીભિલોડાશામળાજીશામળાજી
(14)બાયડસાઠંબાસાઠંબા
(15)તાપીસોનગઢઉકાઈઉકાઈ
(16)સુરતમાંડવીઅરેઠઅરેઠ
(17)મહુવાઅંબિકાવલવાડા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ