બનાસકાંઠાના સુઈગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર; 3 લોકોના મોત, 20 ઘાયલ

Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ભારતમાલા હાઈવે પર સુઈગામ વિસ્તારના સોનેથ ગામ પાસે એક ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.

Written by Rakesh Parmar
January 01, 2025 18:51 IST
બનાસકાંઠાના સુઈગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર; 3 લોકોના મોત, 20 ઘાયલ
સુઈગામ વિસ્તારના સોનેથ ગામ પાસે એક ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ભારતમાલા હાઈવે પર સુઈગામ વિસ્તારના સોનેથ ગામ પાસે એક ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસ જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે રોંગ સાઈડથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. બસમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યાં જ 20 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને માહિતી આપવામાં આવી હતી. જે બાદ થરાદ અને ભાભર વિસ્તારની હોસ્પિટલોની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ભાભર, સુઇગામ અને વાવ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ટક્કર બાદ લક્ઝરી બસ પલટી ગઈ હતી. પોલીસે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઇગામના સરકારી જાહેર આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા છે.

ગત વર્ષે પણ ભયંકર અકસ્માત થયો હતો

આ પહેલા પણ બનાસકાઠામાં એક ભયાનક અકસ્માત થયો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 34 ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ