અશાંત ધારો એટલે શું? જેના કારણે સુરતની એક મહિલાની મિલકત જપ્ત થઈ ગઈ

what is Disturbed Areas Act: ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમની કલમ 5A અને B હેઠળ, મિલકત વેચનાર વ્યક્તિએ મંજૂરી માટે કલેક્ટરને અરજી કરવાની રહેશે.

Written by Rakesh Parmar
February 10, 2025 15:14 IST
અશાંત ધારો એટલે શું? જેના કારણે સુરતની એક મહિલાની મિલકત જપ્ત થઈ ગઈ
સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ તાજેતરમાં જૂના શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક મિલકત સીલ કરી હતી. (Photo: Wikimedia Commons)

Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં કાપડ ઉદ્યોગ અને હીરાના વેપાર માટે પ્રખ્યાત શહેર સુરતમાં અશાંત વિસ્તાર અધિનિયમ હેઠળ મોટી કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે. ખરેખરમાં સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ તાજેતરમાં જૂના શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક મિલકત સીલ કરી હતી. આ મિલકતની માલિક એક હિન્દુ મહિલા હતી, જેણે તેને એક મુસ્લિમ મહિલાને મિલકત વેચી દીધી હતી. જોકે વેચાણ પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ ન હતી. જિલ્લા કલેક્ટરે આને અશાંત વિસ્તાર અધિનિયમનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

મિલકત વેચતા પહેલા કલેક્ટરને અરજી કરવાની હોય છે

ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમની કલમ 5A અને B હેઠળ, મિલકત વેચનાર વ્યક્તિએ મંજૂરી માટે કલેક્ટરને અરજી કરવાની રહેશે. આ પછી કલેક્ટર તેની તપાસ કરે છે અને બધા પક્ષોને સાંભળે છે. આ સમય દરમિયાન, કલેક્ટરને સોદાને મંજૂરી આપવા અથવા નકારવાનો સંપૂર્ણ અધિકાર હોય છે.

શું છે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ?

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 1986માં ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને 1991માં તેને કાયદો બનાવવામાં આવ્યો હતો. અશાંત વિસ્તાર અધિનિયમ મુજબ, અશાંત જાહેર કરાયેલા વિસ્તારોમાં મિલકત વેચતા પહેલા કલેક્ટરની પરવાનગી લેવી ફરજિયાત છે. આ કાયદા હેઠળ દર 5 વર્ષે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને જરૂરિયાત મુજબ નવા ક્ષેત્રો ઉમેરવામાં આવે છે. વિક્રેતાએ અરજીમાં એક સોગંદનામું રજૂ કરવું પડે છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે પોતાની મરજીથી મિલકત વેચી દીધી છે અને તેને યોગ્ય કિંમત મળી છે. કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ જેલ અને દંડ થઈ શકે છે.

આ કાયદાનો હેતુ શું છે?

ગુજરાત સરકારના મતે આ કાયદાનો હેતુ રાજ્યના કેટલાક ભાગોમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ અટકાવવાનો છે. વર્ષ 2020 માં ગુજરાત સરકારે પણ આ કાયદાની કેટલીક કલમોમાં સુધારો કર્યો હતો. જે પછી કલેક્ટરને વધુ સત્તા મળી ગઈ છે. સુધારા પહેલા કલેક્ટર વેચનાર દ્વારા સોગંદનામું આપ્યા પછી મિલકતના ટ્રાન્સફર માટે પરવાનગી આપતા હતા. પરંતુ સુધારા પછી કલેક્ટરને વેચાણ દ્વારા કોઈ ચોક્કસ સમુદાયના લોકોના ધ્રુવીકરણની શક્યતા છે કે કેમ તે શોધવાની સત્તા મળી છે.

આ પણ વાંચો: હનીટ્રેપમાં ફસાતા હોટલ માલિકે કર્યો આપઘાત, વીડિયો બનાવીને જણાવી આપવીતી

3 થી 5 વર્ષની જેલ થઈ શકે છે

જોકે રાજ્ય સરકારને કલેક્ટરના નિર્ણયની સમીક્ષા અને તપાસ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. જો આ બાબતે કોઈ અપીલ દાખલ ન થાય તો પણ રાજ્ય સરકાર ઇચ્છે તો તેની તપાસ કરી શકે છે. સુધારા પછી આ કાયદાના ઉલ્લંઘન માટે જેલની સજા 6 મહિનાથી વધારીને 3 થી 5 વર્ષ કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં પડકારાયેલા ઘણા કેસ

અશાંત વિસ્તાર અધિનિયમ હેઠળ મિલકતના ટ્રાન્સફરના ઘણા કેસોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. એકલા વડોદરામાં, 2016 થી સમુદાયો વચ્ચે મિલકત વેચાણના પાંચ કેસોને પડકારવામાં આવ્યા છે. પડોશીઓએ વેચાણનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી. આમાંથી ઓછામાં ઓછા 3 કેસોમાં કોર્ટે સોદાની તરફેણમાં આદેશો આપ્યા હતા, જેમાં તૃતીય પક્ષની દખલગીરીનો સમાવેશ થતો ન હતો. તમને જણાવી દઈએ કે સુધારાઓની બંધારણીયતાને હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવી હતી. જે પછી ઓક્ટોબર 2023 માં ગુજરાત સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે તે સુધારાઓ પર પુનર્વિચાર કરી રહી છે અને નવા સુધારા લાવશે.

આ કાયદા હેઠળ કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે?

અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને અન્ય જિલ્લાઓના ઘણા વિસ્તારો અશાંત વિસ્તાર કાયદા હેઠળ આવે છે અને તેમાં નવા વિસ્તારો ઉમેરવામાં આવી રહ્યા છે. ગયા મહિને, ગુજરાત સરકારે આણંદ જિલ્લાના હાલના વિસ્તારમાં કાયદાની અમલવારી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ