advantages of coconut: નારિયેળ એક એવું ફૂડ છે જેનું સેવન ઘણા પ્રકારે કરી શકાય છે. નારિયેળને કાચું ખાઈ શકાય છે, તેનું પાણી પણ પી શકાય છે અને તેનું તેલ નીકળીને તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તેનું સેવન મીઠા સ્વાદિષ્ટ બોજન બનાવવામાં થાય છે. નારિયેળ પાણીથી લઈને નારિયેળનું સેવન કરવાના સ્વાસ્થ્ય ફાયદા ઘણા છે. પોટેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન સી, કેલ્શિયમ તત્વોથી ભરપૂર નારિયેળ શરીરને હેલ્થી રાખે છે. કાચું નારિયેળ કે જેમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેન્ગેનીઝ અને ઝીંક જેવી ખનીજો હાજર હોય છેજે શરીરને હેલ્થી રાખે છે.
ઠંડી તાસીરનું નારિયેળ માત્ર ઉપયોગી નથી પરંતુ તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. નારિયેળ પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ,વિટામિન સી, પ્રોટીન, સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર છે. એન્ટી- ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર નારિયેળ સ્કિનને હેલ્થી રાખે છે. વીટમેન B2, વિટામિન B 3 અને વિટામિન સીથી ભરપૂર નારિયેળ પાણી ઈમ્યૂનિટી પણ કરે છે અને શરીરને હેલ્થી રાખે છે.
નારિયેળનું સેવન તેનું તેલ નીકાળીને પણ કરી શકાય છે જે સ્કિનથી લઈને વાળ સમસ્યાથી બચાવવામાં અસરદાર છે. હેલ્થલાઇનની ખબર મુજબ ઔષધીય ગુણોથી ભરપૂર નારિયેળ તેલનું સેવન કેટલીક બીમારીઓમાં સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. કેટલીક બીમારીઓમાં નારિયેળનું સેવન શરીર પર સાઈડ ફફેક્ટ કરે છે. આવો જાણીએ કઈ બીમારીઓમાં નારિયેળનું તેલ સ્વાસ્થ્ય પર નેગેટિવ ઈમ્પેક્ટ કરે છે.
આ પણ વાંચો: શિયાળામાં નબળી ઈમ્યુનીટીના લીધે બીમારીઓનું જોખમ વધે છે, જાણો તેના અસરદારક ઉપાયો વિષે
હૃદયના સ્વાસ્થ્ય માટે હાનીકારક
નારિયેળનું સેવન વધારે કરવાથી તે સ્વાસ્થ્ય પર નેગેટિવ ઈમ્પૅક્ટ કરે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટની માત્ર ખુબજ વધારે પ્રમાણમાં હોઈ છે જે બ્લડ ફ્લોને ઓછું કરે છે. તેનું સેવન કરવાથી હૃદય રોગોમાં જોખમી સાબિત થઇ શકે છે. અમેરિકન હાર્ટ એસોશિયેશનને પણ નારિયેળ અને તેના તેલને હૃદય માટે ખતરનાક માન્યું છે. તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે જે હૃદય રોગ માટે જોખમી છે.
વજન વધારે હોય તો નારિયેળ ન ખાવું:
જે લોકોનું વજન વધારે હોઈ તે લોકોએ નારિયેળનું સેવન ન જોઈએ, નારિયેળનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે.નારિયેળમાં ઓછી કેલરી, શુગર અને ઓઇલ વધારે હોય છે. તેનું સેવન ઝડપથી વજન વધારે છે.
આ પણ વાંચો: Side Effects Of Coffee: ખરેખર કેટલી માત્રામાં કોફી પીવી જોઈએ?, કેટલી કોફી શરીર માટે ઝેર?, જાણો અહીં
પાચનની સમસ્યા હોય તો નારિયેળ ન ખાવું
જે લોકોને પાચન સંબંધિત તકલીફો હોય તે લોકોએ રહેવું જોઈએ. તેનું સેવન કરવાથી પેટ સંબંધિત તકલીફો વધી શકે છે. તે બ્લોટિંગ, ડાયરિયા અને પેટ ફૂલવા જેવી કેટલીક તકલીફોનું કારણ બની શકે છે