Broccoli Benefits : બ્રોકલી આટલી ગુણકારી, શિયાળામાં તેનું સેવન હિતાવહ છે? અહીં જાણો

Broccoli Benefits : બ્રોકોલી ખાવાના સ્વાસ્થ્ય લાભો જાણીએ અને તેને ખાતા પહેલા તમારે જે સાવચેતીઓ લેવાની જરૂર પડી શકે તેના પર એક નજર કરીએ

Written by shivani chauhan
Updated : November 07, 2023 12:14 IST
Broccoli Benefits : બ્રોકલી આટલી ગુણકારી, શિયાળામાં તેનું સેવન હિતાવહ છે? અહીં જાણો
Broccoli Benefits : બ્રોકલી આટલી ગુણકારી, શિયાળામાં તેનું સેવન હિતાવહ છે? અહીં જાણો

Broccoli Benefits : બ્રોકોલી એ આપણા દેશી ફ્લાવરની વિદેશી જાત છે પરંતુ વધુ પૌષ્ટિક છે. રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. નિરુપમા રાવના જણાવ્યા અનુસાર, તેમાં કેલરીની માત્રા વધુ છે, પણ ફાઈબરનું પ્રમાણ ઓછું છે અને બ્રોકોલી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે.તે વિટામીન C અને K, તેમજ ફોલેટ, પોટેશિયમ અને મેંગેનીઝનો ઉત્તમ સ્ત્રોત છે.

બ્રોકોલી ખાવાના સ્વાસ્થ્ય લાભો જાણીએ અને તેને ખાતા પહેલા તમારે જે સાવચેતીઓ લેવાની જરૂર પડી શકે તેના પર એક નજર કરીએ,

બ્રોકોલીમાં રહેલા પોષકતત્વો

બ્રોકોલીના 100-ગ્રામ સર્વિંગના આટલા પોષણતત્વો હોય,

  • કેલરી: 35
  • પ્રોટીન: 2.3 ગ્રામ
  • કાર્બોહાઇડ્રેટ્સ: 5.6 ગ્રામ
  • ફાઇબર: 2.2 ગ્રામ
  • ચરબી: 0.3 ગ્રામ
  • વિટામિન સી: દૈનિક મૂલ્યના 91% (ડીવી=ડેઇલી વેલ્યુ)
  • વિટામિન કે: 77% ડીવી
  • ફોલેટ: 15% ડીવી

આ પણ વાંચો: Winter Diet : શિયાળામાં ઘી આ માટે ખાવું જોઈએ, સ્વાસ્થ્ય માટે આશીર્વાદ રૂપ! ડાયાબિટીસના દર્દીઓએ કેટલું સેવન કરવું?

બ્રોકોલી ખાવાના ફાયદા

  • એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો: બ્રોકોલીમાં સલ્ફોરાફેન સહિત વિવિધ એન્ટીઑકિસડન્ટોનો સમાવેશ થાય છે, જેનો કેન્સર અટકાવવાની તેની સંભવિતતા માટે અભ્યાસ કરવામાં આવ્યો છે . સલ્ફોરાફેન શરીરને કેન્સર પેદા કરતા પદાર્થોને દૂર કરવામાં, કેન્સરના કોષોના વિકાસને અટકાવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • પાચન સ્વાસ્થ્ય: બ્રોકોલીમાં રહેલા ફાઇબર પાચનમાં મદદ કરે છે અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન આપે છે. તે કબજિયાત અટકાવી શકે છે, નિયમિત આંતરડાની હિલચાલને ટેકો આપી શકે છે અને સ્વસ્થ આંતરડાની માઇક્રોબાયોમ જાળવી શકે છે.
  • કેન્સર નિવારણ: બ્રોકોલીમાં રહેલા સંયોજનો, જેમ કે સલ્ફોરાફેન, અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. અભ્યાસોએ સ્તન, પ્રોસ્ટેટ અને કોલોન કેન્સરના જોખમને ઘટાડવામાં સંભવિત ફાયદા દર્શાવ્યા છે.
  • સ્કિન હેલ્થ: બ્રોકોલીમાં વિટામિન સી કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે. કોલેજન ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં મદદ કરે છે.
  • હાડકાની તંદુરસ્તી: બ્રોકોલીમાં વિટામિન Kની સમૃદ્ધ સામગ્રી હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે હાડકાની ડેન્સિટી જાળવવામાં મદદ કરે છે, હાડકાના ભંગાણનું જોખમ ઘટાડે છે.

શું ડાયાબિટીસના દર્દીઓ બ્રોકોલીનું સેવન કરી શકે?

ડાયાબિટીસના દર્દીઓ સંતુલિત આહારના ભાગરૂપે બ્રોકોલીનું સેવન કરી શકે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેનો અર્થ છે કે તે બ્લડ સુગરના સ્તર પર ન્યૂનતમ અસર કરે છે. જો કે, ભોજનની અંદર ભાગના કદ અને એકંદરે કાર્બોહાઇડ્રેટના સેવનનું નિરીક્ષણ કરવું જરૂરી છે.

આ પણ વાંચો: Adulteration In Food : દિવાળીમાં ખાદ્યચીજોમાં ભેળસેળ વધી; દૂધ-ઘી, માવાની મીઠાઈથી લઈને દાળ-ભાતમાં ભેળસેળ છે કે નહીં જાણવાની સરળ રીત

શું તે સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે?

એક્સપર્ટે કહ્યું કે બ્રોકોલી ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેમાં ફોલેટની વધારે હોય છે, જે ગર્ભના વિકાસ માટે મહત્ત્વનું બી-વિટામીન છે. ફોલેટ ન્યુરલ ટ્યુબની ખામીને રોકવામાં મદદ કરે છે, જે તેને સગર્ભા સ્ત્રીના આહારમાં એક મહત્વપૂર્ણ ઉમેરો બનાવે છે.

શું શિયાળમાં બ્રોકલીનું સેવન હિતાવહ છે?

બ્રોકલીનું સેવન શિયાળા દરમિયાન ખાવાથી બેસ્ટ પરિણમે મળે છે કારણ કે તેમાં રહેલા સૂક્ષ્મ પોષકતત્ત્વો તમારા શરીરને આ સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • બ્રોકોલી ખાતી વખતે એપક્સર્ટ ચેતવણી આપી હતી કે વ્યક્તિઓએ સંભવિત એલર્જી વિશે જાગૃત રહેવું જોઈએ, કારણ કે કેટલાક લોકોને બ્રોકોલી જેવા ક્રુસિફેરસ શાકભાજી પ્રત્યે એલર્જી હોઈ શકે છે.

  • તેમાં ખાંડનું પ્રમાણ ઓછું છે, તેથી તે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે, પરંતુ પોરશન કંટ્રોલ મહત્વનું છે, વધુ પડતા વપરાશથી ગેસ અથવા પેટનું ફૂલવું જેવી પાચનની અગવડતા પણ થઈ શકે છે.

માન્યતા અને હકીકતો

માન્યતા 1: બ્રોકોલી એક એટલી ટેસ્ટી નથી તેથી બોરિંગ શાકભાજી છે.હકીકત: બ્રોકોલીને શેકવાથી લઈને બાફવા સુધી વિવિધ સ્વાદિષ્ટ રીતે તૈયાર કરી શકાય છે, જે તેને બહુમુખી અને સ્વાદિષ્ટ પસંદગી બનાવે છે.

માન્યતા 2: બ્રોકોલી રાંધવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે.હકીકત: લાંબા સમય સુધી, વધુ ગરમીથી રાંધવાથી કેટલાક પોષક તત્વોની ખોટ થઈ શકે છે, તેમ છતાં યોગ્ય રીતે રાંધેલી બ્રોકોલીમાંથી હજુ પણ લાભ મળી શકે છે.

માન્યતા 3: બ્રોકોલી ગેસનું કારણ બને છે.હકીકત: જ્યારે તે કેટલીક વ્યક્તિઓમાં ગેસનું કારણ બની શકે છે, તે સાર્વત્રિક સમસ્યા નથી, અને રસોઈ પદ્ધતિઓ આ અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ