Health Tips: દિવસ દરમિયાન હંમેશા ઊંઘ આવે છે? આ 5 ચીજ ખાવાથી લાગે છે થાક, જાણો કેવી રીતે મળશે છુટકારો

Daytime Sleepiness Causes, Side Effects And Remedies : દિવસ દરમિયાન ઊંઘ આવવાથી શરીરમાં આળસ રહે છે, કાર્યક્ષમતા ઘટે છે એટલું જ નહીં, સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જાણકારોના મતે આનું મુખ્ય કારણ આપણો આહાર અને જીવનશૈલી છે.

Written by Ajay Saroya
August 25, 2025 12:08 IST
Health Tips: દિવસ દરમિયાન હંમેશા ઊંઘ આવે છે? આ 5 ચીજ ખાવાથી લાગે છે થાક, જાણો કેવી રીતે મળશે છુટકારો
Sleepiness in Daytime : દરરોજ દિવસ દરમિયાન ઊંઘ આવવી સારી બાબત નથી. (Photo: Freepik)

Daytime Sleepiness Causes, Side Effects And Remedies : ઊંઘ શરીર માટે જરૂરી કુદરતી પ્રક્રિયા છે. ઘણા લોકો દિવસ દરમિયાન પણ ઊંઘ આવે છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે તેઓ કેમ ઊંઘી રહ્યા છે. રાતે પૂરતી ઊંઘ લીધા બાદ પણ દિવસ દરમિયાન શરીરમાં આળસ રહે છે અને ઊંઘ આવે છે. જેની તન, મન અને કામગીરી પર ખરાબ અસર થાય છે. હકીકતમાં ઓફિસ હોય કે અભ્યાસ કે ઘરના કામકાજ દરમિયાન અચાનક ઊંઘ આવવાથી કાર્યક્ષમતા ઘટે છે એટલું જ નહીં, સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જાણકારોના મતે આનું મુખ્ય કારણ આપણો આહાર અને જીવનશૈલી છે.

હકીકતમાં. દિવસ દરમિયાન ઊંઘ આવવાનું કારણ ખોરાક છે. જે ખાવાથી બ્લડ સુગર લેવલ અને બોડી એનર્જીમાં વધઘટ થાય છે, જેના કારણે આખો દિવસ શરીર સુસ્ત રહે છે. ખાવાની સરળ ટેવ થાકને દૂર કરવામાં અને ઉંઘ લાવવામાં મદદ કરી શકે છે. અમુક ચીજો ખાવાથી ઊંઘ આવે છે. અથાણાં અને અથાણાં જેવા વધારે નમક હોય તેવો ખોરાક ખાવાથી દિવસ દરમિયાન ઊંઘ આવી શકે છે. આ સિવાય કેળા અને એવોકાડો જેવા પાકા ફળો પણ ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

વધુ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ

બ્રેડ, પાસ્તા, પિત્ઝા અને મેંદા માંથી બનેલી વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હકીકતમાં વધુ રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ જેવો આહાર લેવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. જેમ શુગર લેવલ વધે છે, તેવી જ રીતે અચાનક શુગર ઘટવાને કારણે શરીરને થાક અને ઊંઘ આવે છે. દિવસ દરમિયાન તેમાંથી વધુ પડતું ખાવાથી આળસ વધે છે અને ઊંઘ આવે છે.

મીઠી ચીજ અને પીણાં

મીઠી ચીજ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. મીઠાઇ, ડેઝર્ટ, કોલ્ડ ડ્રિંક્સ અથવા એનર્જી ડ્રિંક્સ જેવી ચીજો શરીરમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધારે છે. પરંતુ પાછળથી બ્લડ શુગર લેવલ ઘટે છે અને નિંદ્રા અને થાકનું કારણ બને છે.

તળેલી વાનગી

તળેલી અને શેકેલી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે, કારણ કે વધુ તેલયુક્ત ખોરાક લાંબા સમય સુધી પેટને પચવા દેતો નથી. તેનાથી પાચનક્રિયા ધીમી પડે છે અને શરીરને ભારે લાગે છે, જેનાથી ઊંઘ આવે છે. આ સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઊંઘ આવે તેવું ભોજન

દિવસની ઊંઘ લાવવામાં મદદરૂપ થાય તેવા ખાદ્યપદાર્થોમાં ઓટમીલ, બદામ, કઠોળ, અખરોટ, ટોફૂ, ટર્કી, કોળાના બીજ, ચિયા સીડ અને તડબૂચનો સમાવેશ થાય છે. આ ખોરાકમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે ઊંઘને પ્રેરિત કરવામાં મદદ કરે છે. તે સ્લીપ હોર્મોન, મેલાટોનિનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે.

દિવસમાં થાકનું જોખમ

દિવસ દરમિયાન થાલ લાગવો સારી બાબત નથી. સંશોધન દર્શાવે છે કે, તે વહેલા મૃત્યુ સાથે સંકળાયેલું છે. 86,000 થી વધુ આધેડ વયના પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત પણે બપોરની ઊંઘ લે છે તેઓ વહેલા મૃત્યુ પામે તેવી શક્યતા વધારે હોય છે,જેઓ આવું કરતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ