ભારતમાં 60 કે તેથી વધુ વયના 10 મિલિયનથી વધુ વૃદ્ધોને ડિમેન્શિયા હોવાની સંભાવના છે, જે તેના પ્રકારના પ્રથમ અભ્યાસ મુજબ યુએસ અને યુકે જેવા દેશોમાં પ્રચલિત દરમાં સમાન છે.
ડિમેન્શિયા માનસિક પ્રક્રિયાઓમાં ક્ષતિ તરફ દોરી જાય છે, જેમ કે યાદશક્તિ, વિચારસરણી, તર્ક અને નિર્ણય, અને આમ વ્યક્તિની દૈનિક કાર્યો કરવાની ક્ષમતાને ગંભીરપણે નબળી પાડે છે.
નેચર પબ્લિક હેલ્થ ઇમરજન્સી કલેક્શન નામના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, 2050 સુધીમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ભારતમાં કુલ વસ્તીના 19.1 ટકા થવાનું અનુમાન છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર, ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ, તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે કરી શકે અસર?
મોટાભાગના વૃદ્ધ લોકોમાં ડિમેન્શિયાના વ્યાપમાં વધારા સાથે થવાની સંભાવના છે, જે સિન્ડ્રોમને દેશમાં બહુ ગંભીરતાથી લેવામાં આવતું નથી.
ન્યુરોએપીડેમિઓલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ લેટેસ્ટ સંશોધનમાં 31,477 વૃદ્ધ પુખ્ત વયના લોકોના ડેટાનું એનાલિસ કરવા માટે સેમી-સુપરવાઇઝ્ડ મશીન લર્નિંગ તરીકે ઓળખાતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: કિડનીની સમસ્યાને કારણે શરીરમાં દેખાય છે આ 4 ચેતવણીના ચિહ્નો, જાણો કેવી રીતે ઓળખશો
સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે શોધી કાઢ્યું છે કે ભારતમાં 60 કે તેથી વધુ વયના પુખ્ત વયના લોકોમાં ડિમેન્શિયાનો વ્યાપ દર 8.44 ટકા હોઈ શકે છે ,જે દેશના 10.08 મિલિયન વૃદ્ધ પુખ્ત વયના લોકોની બરાબર છે.