વધુ પડતી ખાંડ ખાવ છો? સાવધાન ! મગજને થશે આટલા નુકસાન

ખાંડ ખાવાની આડઅસર | ખાંડના સેવન પર થયેલ ઘણા રિસર્ચ છે. તાજેતરમાં, ઘણા વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે ખાંડનું વધુ પડતું સેવન ફક્ત શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ યાદશક્તિ, મૂડ અને વિચારવાની ક્ષમતાને પણ અસર કરે છે. શું તમે જાણો છો કે મીઠાઈઓ મગજને ધીમે ધીમે નબળું બનાવી શકે છે? અહીં જાણો કેવી રીતે?

Written by shivani chauhan
September 06, 2025 07:00 IST
વધુ પડતી ખાંડ ખાવ છો? સાવધાન ! મગજને થશે આટલા નુકસાન
Disadvantages of eating sugar

Excessive Sugar Eating Side Effects | આપણે બધાને મીઠાઈ ખાવાનું પસંદ છે. મીઠાઈઓથી લઈને ચોકલેટ, પીણાં અને પેક્ડ જ્યુસમાં સુગર વધારે હોય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મીઠાઈ તમારું વજન વધારે છે સાથે તે તમારા મગજને પણ નબળું બનાવી શકે છે. હા, વધુમાં અહીં જાણો કેવી રીતે ખાંડ તમારા મગજને નુકસાન પહોંચાડે છે.

ખાંડના સેવન પર થયેલ ઘણા રિસર્ચ છે. તાજેતરમાં, ઘણા વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે ખાંડનું વધુ પડતું સેવન ફક્ત શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ યાદશક્તિ, મૂડ અને વિચારવાની ક્ષમતાને પણ અસર કરે છે. શું તમે જાણો છો કે મીઠાઈઓ મગજને ધીમે ધીમે નબળું બનાવી શકે છે? અહીં જાણો કેવી રીતે?

વધુ પડતી ખાંડ ખાવાની આડઅસરો

  • યાદશક્તિ અને ફોક્સ ઘટવું : એક અભ્યાસ મુજબ, વધુ પડતી ખાંડ ખાવાથી મગજના હિપ્પોકેમ્પસ નામના ભાગ પર અસર પડે છે, જે યાદશક્તિ અને શીખવાની સાથે સંકળાયેલ છે. આનાથી યાદશક્તિ નબળી પડે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.
  • મગજ વૃદ્ધત્વ અને ડેમેન્શિયાનું જોખમ : લાંબા સમય સુધી વધુ પડતી ખાંડનું સેવન કરવાથી મગજના કોષો ઝડપથી વૃદ્ધ થાય છે. આનાથી ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવા રોગોનું જોખમ વધે છે. ડાયાબિટીસના દર્દીઓમાં આ જોખમ ખાસ કરીને વધારે હોય છે.
  • મૂડ સ્વિંગ અને ડિપ્રેશન : ખાંડ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઝડપથી વધે છે, જેના કારણે બ્લડ સુગર પહેલા વધે છે અને પછી અચાનક ઘટી જાય છે. આ વધઘટ મૂડ સ્વિંગ, ચીડિયાપણું અને ડિપ્રેશનનું કારણ બની શકે છે.
  • મગજ પર વ્યસન જેવી અસર : કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે ખાંડ મગજ પર વ્યસનકારક અસર કરે છે. જ્યારે આપણે મીઠાઈ ખાઈએ છીએ, ત્યારે મગજના રિવોર્ડ સેન્ટરમાં ડોપામાઇન મુક્ત થાય છે, જે આપણને સારું લાગે છે. પરંતુ, વારંવાર આવું કરવાથી ખાંડનું વ્યસન થઈ શકે છે અને પોતાને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે.
  • મગજની ઉર્જાનું અસંતુલન : મગજને કાર્ય કરવા માટે ગ્લુકોઝની જરૂર હોય છે, જે સુગરમાંથી મળે છે. પરંતુ, જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધુ ખાંડ ખાઈએ છીએ, ત્યારે મગજ ગ્લુકોઝથી ભરાઈ જાય છે. આના કારણે, ચેતાકોષો એટલે કે મગજના કોષો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી અને વિચારવાની અને સમજવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.

લીવરની કુદરતી રીતે કરશે સફાઈ આ પાંચ જાદુઈ પીણાં, ફેટી લીવરથી છુટકારો મળશે

શું ધ્યાન રાખવું?

  • ખાંડનું સેવન ઓછું કરો, ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાંમાં ઉપયોગ થતા આર્ટિફિશ્યલ સ્વિટર્ન્સનો ઉપયોગ ટાળો.
  • ફળો અને મધ અથવા ગોળ જેવા કુદરતી મીઠાશનો ઉપયોગ કરો.
  • નિયમિત કસરત અને યોગથી મગજના સ્વાસ્થ્યમાં સુધારો કરો.
  • પુષ્કળ પાણી પીઓ અને પૂરતી ઊંઘ લો.
  • મીઠાઈ ખાવામાં જેટલી મજા આવે છે, તેટલી જ વધુ પડતી ખાવામાં મગજ માટે પણ એટલી જ હાનિકારક બની શકે છે. તો હવે સમય આવી ગયો છે કે આપણે આપણી થાળીમાં સુગરની માત્રાને સમજદારીપૂર્વક નિયંત્રિત કરીએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ