Diabetes : ફવાદ ખાને કર્યો ખુલાસો, કહ્યું 17 વર્ષની ઉંમરે ડાયાબિટીસ હોવાનું નિદાન કર્યું હતું,

Diabetes : ડાયાબિટીસ ધરાવતા લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડિપ્રેશન, ચિંતા અને ડાયાબિટીસની તકલીફ થવાનું જોખમ વધારે હોય છે

Written by shivani chauhan
June 28, 2023 08:51 IST
Diabetes : ફવાદ ખાને કર્યો ખુલાસો, કહ્યું 17 વર્ષની ઉંમરે ડાયાબિટીસ હોવાનું નિદાન કર્યું હતું,
ખૂબસૂરત સાથે બોલિવૂડમાં પદાર્પણ કરનાર અભિનેતાએ તાજેતરમાં 17 વર્ષની નાની ઉંમરે સ્વયંપ્રતિરક્ષા રોગ હોવાનું નિદાન કર્યું હતું. (સ્રોત: ફવાદ ખાન/ Instagram)

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને તેની શાનદાર એકટિંગ માટે વિશ્વભરમાં લાખો લોકો તેને પસંદ કરે છે. ફિલ્મ ખૂબસૂરત દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરનાર અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તેને 17 વર્ષની નાની ઉંમરે ક્રોનિક સ્થિતિ હોવાનું નિદાન કર્યું હતું.

ફ્રીસ્ટાઈલ મિડલ ઈસ્ટ સાથેની નિખાલસ ચેટમાં , ફવાદે ડાયાબિટીસને લીધે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે શેર કર્યું હતું. તેણે યાદ કર્યું હતું કે,“જ્યારે હું 17 વર્ષનો હતો ત્યારે મારું શરીર અટોઈમ્યુનીટી પ્રતિભાવમાંથી પસાર થયું હતું. મને ખૂબ જ તાવ આવ્યો જેના પછી મેં આઠ દિવસમાં લગભગ 10 કિલો શરીરનું વજન ઘટાડ્યું હતું. હું 65 કિલોનો હતો અને 17 વર્ષની ઉંમરે 55 કિલો થઈ ગયો હતો.”

ફવાદે અચાનક વજન ઘટાડવું, અતિશય તરસ અને વારંવાર પેશાબ થવાનું વર્ણન કર્યું જેના કારણે તેનું નિદાન થયું હતું. તેના એનેર્જી લેવલ અને રમતગમતમાં રસ પર તેની પ્રારંભિક અસરને ઓળખીને, તે છેલ્લા 24 વર્ષથી તેના ડાયાબિટીસને ઇન્સ્યુલિન વડે મેનેજ કરી રહ્યો હતો, ઇન્સ્યુલિન વહન કરવામાં સતત અસુવિધા હોવા છતાં , તેમણે ડાયાબિટીસને તેમના પર પ્રતિબંધ મૂકવા અથવા તેમની ભાવનાને અટકાવવા દીધી નહીં. તેણે કહ્યું હતું કે , “મારી તરસ ઘણી વધી ગઈ હતી, તે પોલીયુરિયા નામની સ્થિતિ હશે, જેનો અર્થ છે કે તમે વારંવાર બાથરૂમમાં જાઓ છો, અને તમને સતત પેશાબ કરવાની જરૂર પડે છે કારણ કે તમે ઘણું પાણી પી રહ્યા છો, હું છ થી સાત લિટર પાણી પીતો હોઈશ. તો પણ મને તરસ લાગતી હતી.”

https://www.instagram.com/p/CbsWV7KqvYs/?utm_source=ig_embed&ig_rid=e2eb9c81-77cc-4e78-b66a-e302a0543722

ફિલ્મ કપૂર એન્ડ સન્સના અભિનેતાએ શેર કર્યું હતું કે લક્ષણોને કારણે તેણે બ્લડ સુગર ટેસ્ટ કરાવ્યો હતો અને તેને ટાઇપ-1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું . ફવાદે ઉમેર્યું હતું કે, “હું 17 વર્ષની ઉંમરથી ઇન્સ્યુલિન પર છું અને હવે હું 41 વર્ષનો છું, તેથી તે 24 વર્ષથી ડાયાબિટીસમાં છે.”

આ પણ વાંચો: Fitness Tips : ફિટનેસ ઉત્સાહી દિશા પટણીએ કર્યું ડેડલિફ્ટ વર્ક આઉટ, વેઇટ ટ્રેનિંગ શા માટે જરૂરી છે તે અને તેના ફાયદાઓ જાણો

જ્યારે તબીબી સ્થિતિએ તેમના જીવનમાં લાવેલા પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે શેર કર્યું હતું કે, “હું શાળામાં ખૂબ જ એકટીવ હતો, દરેક રમત રમ્યો હતો, અને ડાયાબિટીસ પછી, તે શૂન્ય થઈ ગયો હતો. રમતગમતમાં મારો રસ સાવ ઓછો થઈ ગયો. મને કોઈ રસ નહોતો અને શરૂઆતના બે-ત્રણ મહિના સુધી હું હંમેશા થાકી જતો હતો.” ફવાદે ખુલાસો કર્યો કે નાની ઉંમરે ઇન્સ્યુલિનનું સંચાલન કરવું અને તેને દરેક સમયે વહન કરવું એ શાળામાં ‘સતત અસુવિધા’ હતી, પરંતુ તેણે તેની ‘મર્યાદાઓ’ હોવા છતાં ડાયાબિટીસને ‘વિકલાંગ’ થવા દીધો ન હતો.

તેના નિદાનની માનસિક અસર વિશે ચર્ચા કરતી વખતે, ફવાદે સ્વીકાર્યું કે તેનાથી તેના પિતાને પોતાના કરતાં વધુ ઊંડી અસર થઈ હતી. તેણે શેર કર્યું કે, “ખૂબ પ્રમાણિકતાથી કહું તો, જ્યારે હું હોસ્પિટલમાં હતો, ત્યારે તે મારા પિતા ખુબજ ઈમોશનલ થઇ ગયા હતા.”

તેમણે વિશ્વાસ રાખવાનું કહ્યું અને ઉમેર્યું કે , “હું આ કહેવતમાં દ્રઢપણે માનું છું, હું કદાચ એક આદર્શ મુસ્લિમ ન હોઉં, પરંતુ હું માનું છું કે જ્યારે ભગવાન એક દરવાજો બંધ કરે છે, ત્યારે તે ચોક્કસપણે બીજા સો ખોલશે, અને તે જીવનમાં દરેકને લાગુ પડે છે. હું ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છું. આજે હું જ્યાં છું, મને નથી લાગતું કે મેં આટલું ખરાબ કર્યું છે. મને લાગે છે કે મેં મારા માટે ખૂબ સારું કર્યું છે.”

આ મુલાકાતમાં ડિપ્રેશન અને ડાયાબિટીસ વચ્ચેના સંબંધ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી . તેમણે ટ્રિગર્સની ચક્રીય પ્રકૃતિને સ્વીકારીને બંને વચ્ચેના આંતરપ્રક્રિયાને રેખાંકિત કરી હતી. તેણે કહ્યું કે, “તે ચિકન અને ઈંડાની દલીલ જેવી છે. જેમ કે, શું ટ્રિગર કરે છે, અને તે એક ચક્ર છે. જો તમે તમારા જીવનમાં કંઈક કરવા ઈચ્છતા હોવ તો ડાયાબિટીસ છોડો, કેન્સર પણ તમને રોકી શકતું નથી. તેના માથા તરફ ઈશારો કરીને ફવાદે કહ્યું, “આ રહ્યું તે શું છે. આ તે છે જે તમને અલગ પાડે છે.”

અહીં જાણો,

ડાયાબિટીસ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ જટિલ અને દ્વિપક્ષીય છે. બીટોના ​​ચીફ ક્લિનિકલ ઓફિસર ડૉ. નવનીત અગ્રવાલે indianexpress.comને જણાવ્યું હતું કે, “ડાયાબિટીસ ધરાવતા લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડિપ્રેશન, ચિંતા અને ડાયાબિટીસની તકલીફ થવાનું જોખમ વધારે હોય છે. રોગનું સતત સંચાલન, જેમાં લોહીમાં શર્કરાના સ્તરનું નિરીક્ષણ કરવું, સખત આહારનું પાલન કરવું અને દવાઓ લેવી, તણાવ અને ભાવનાત્મક બોજ તરફ દોરી શકે છે. ડોક્ટર માટે ડાયાબિટીસ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને ઓળખવા અને તેને સંબોધવા માટે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે વ્યાપક સંભાળ પૂરી પાડવા માટે તે નિર્ણાયક છે.”

આ પણ વાંચો: Jamun Benefits : શા માટે જાંબુ અને તેના બીજનો પાવડર બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે? જાણો અહીં

માનસિક સ્વાસ્થ્ય અને ડાયાબિટીસના સંચાલનમાં સર્વગ્રાહી અભિગમનો સમાવેશ થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ડોકટરો અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો જેવા ડોક્ટર પાસેથી સલાહ લેવી.
  • સપોર્ટ સિસ્ટમની માટે તમે મિત્રો અને અન્ય લોકો સાથે જોડાવાથી ભાવનાત્મક ટેકો મળી શકે છે.
  • નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ માનસિક સુખાકારી અને ડાયાબિટીસના બહેતર વ્યવસ્થાપન બંનેમાં ફાળો આપે છે.
  • માઇન્ડફુલનેસ, આરામની કસરતો અને શોખમાં વ્યસ્ત રહેવા જેવી તકનીકોનો અભ્યાસ કરવો.
  • ડાયાબિટીસની સેલ્ફકેરની દિનચર્યાઓનું પાલન કરવું, લોહીમાં શર્કરાના લેવલનું ટેસ્ટ કરવું અને સૂચવ્યા મુજબ દવાઓ લેવી.
  • નિયમિત રીતે મેન્ટલહેલ્થનું ટેસ્ટ કરો અને સમયસર મદદ લેવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ