કરીના કપૂર ખાને ખીચડીનો માણ્યો આનંદ, શું કહે છે ડાયટિશયન જાણો અહીં

Kareena Kapoor Enjoys Khichdi : કરીના કપૂર (Kareena Kapoor) તાજેતરમાં ખીચડી (Khichdi) ની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ખીચડી (Khichdi) ચોખા અને દાળનું મિશ્રણ, આ કમ્ફર્ટ ફૂડને કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય ઘણા એન્ટીઑકિસડન્ટોનું સ્થિર પાવરહાઉસ માનવામાં આવે છે.

Written by shivani chauhan
January 26, 2023 14:07 IST
કરીના કપૂર ખાને ખીચડીનો માણ્યો આનંદ, શું કહે છે ડાયટિશયન જાણો અહીં
કરીના કપૂર સ્વસ્થ ખાવાનું સુનિશ્ચિત કરી રહી છે (સ્રોત: કરીના કપૂર/ઇન્સ્ટાગ્રામ)

 Lifestyle Desk : કરીના કપૂર ખાન જ્યારે તેના આહાર અને ફિટનેસના લક્ષ્યોની વાત આવે છે ત્યારે તે કોઈ કસર છોડતી નથી. તમે અસંખ્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈ હશે જેમાં અભિનેતાને કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ, પિલેટ્સ, તેમજ યોગ સહિત આરોગ્યપ્રદ વર્કઆઉટ્સ કરતા જોઈ શકાય છે. પરંતુ આટલું જ નહીં, 42 વર્ષીય અભિનેત્રી પણ વધુ સારા પરિણામો માટે સ્વસ્થ ખાવાનું પસંદ કરે છે.

કરીના કપૂરે લીલી શાકભાજી, અથાણાં અને પાપડ સાથે પીરસવામાં આવતી મગની દાળની ખીચડી સાથેની પ્લેટના ચિત્રની સાથે લખ્યું હતું કે, “મારું હૃદય ભરાઈ ગયું છે”..

આ પણ વાંચો: Epilepsy Attacks: એપીલેપ્સી અટેક આવતા કઈ ભૂલો ન કરવી જોઈએ? નિષ્ણાત પાસેથી જાણો

ચોખા અને દાળનું મિશ્રણ, આ કમ્ફર્ટ ફૂડને કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય ઘણા એન્ટીઑકિસડન્ટોનું સ્થિર પાવરહાઉસ માનવામાં આવે છે, નિષ્ણાતો કહે છે. તો, તમે શેની રાહ જોઈ રહ્યા છો, તમારી પોષણની જરૂરિયાતો માટે તમારે શા માટે મગની દાળની ખીચડી પર વિશ્વાસ કરવો જોઈએ.

ગરિમા ગોયલે, એક નોંધાયેલ ડાયેટિશિયન, indianexpress.comને જણાવ્યું હતું કે, આ ખીચડી હળદર અને મીઠું નાખીને મસાલેદાર થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે અને ઉપર ઘી નાખીને બનાવી શકાય છે. “અનાજ અને કઠોળનું મિશ્રણ આ વાનગીને તમામ 10 આવશ્યક એમિનો એસિડ પૂરા પાડતા સંપૂર્ણ પ્રોટીનનો સ્ત્રોત છે.”

આ પણ વાંચો: રોજ સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ, કેળા, બદામ કે કિસમિસ? જાણો નિષ્ણાત પાસેથી

મગના છોડ આધારિત ડાયટ શરીરની ચરબી ઘટાડે છે અને જેઓ નિયમિતપણે વર્કઆઉટ કરે છે તેમના માટે મદદરૂપ થાય છે, ડાયટિશિયન અન્ય ઘણા ફાયદાઓ શેર કરતાં ઉમેર્યું હતું કે,

ખૂબ પૌષ્ટિક અને પચવામાં સરળકાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમનો સ્ત્રોતએન્ટીઑકિસડન્ટથી ભરપૂર અને માંદગી, અપચો અને ઝાડા થાયએ દરમિયાન રિકવરી વખતે ખૂબજ અસરકારક છે.બનાવામાં સરળ અને હેલ્થીખીચડીના પોષક તત્વોને વધારવા માટે વિવિધ શાકભાજી ઉમેરોફાઇબરનું સ્ટોરહાઉસ અને ગટ-ફ્રેન્ડલીતમામ આવશ્યક એમિનો એસિડ ધરાવે છેમગની દાળની ખીચડીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિન, બ્લડ ગ્લુકોઝ અને ફેટ લેવલને નીચે લાવવામાં મદદ કરે છે જે બ્લડ સુગરને ઓછું કરવામાં અને ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ