દરરોજ 10 કે 60 મિનિટ સુધી ચાલવાથી શરીર પર શું થાય છે અસર, ન્યૂરોલોજિસ્ટે ગણાવ્યા ફાયદા

Walking Benefits : ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ ઉંમરના લોકોને દરરોજ ચાલવાની સલાહ આપે છે. ચાલવું એ એક સરળ અને નેચરલ વર્કઆઉટ છે, જેને દરેક વ્યક્તિ તેમની દિનચર્યામાં શામેલ કરી શકે છે

Written by Ashish Goyal
Updated : October 02, 2025 16:51 IST
દરરોજ 10 કે 60 મિનિટ સુધી ચાલવાથી શરીર પર શું થાય છે અસર, ન્યૂરોલોજિસ્ટે ગણાવ્યા ફાયદા
Walking Benefits : ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે (તસવીર - ફ્રીપિક)

Walking Benefits : ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ ઉંમરના લોકોને દરરોજ ચાલવાની સલાહ આપે છે. ચાલવું એ એક સરળ અને નેચરલ વર્કઆઉટ છે, જેને દરેક વ્યક્તિ તેમની દિનચર્યામાં શામેલ કરી શકે છે. તે દિલ અને મનને મજબૂત બનાવે છે અને એનર્જી પણ વધારે છે, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને લાંબુ જીવન જીવવામાં મદદ કરે છે, પરંતુ ઘણી વાર લોકોને પ્રશ્ન થાય છે કે કેટલો સમય ચાલવું જોઈએ.

10 થી 15 મિનિટ ચાલવાના ફાયદા

ન્યુરોલોજિસ્ટ ડો.સુધીર કુમારે જણાવ્યું કે દરરોજ 10 મિનિટ અથવા 60 મિનિટ ચાલવાથી સ્વાસ્થ્ય અને શરીર પર શું અસર પડે છે. ડો.કુમારના જણાવ્યા અનુસાર તમે ચાલવાનું શરૂ કરો છો કે તરત જ પ્રથમ 1-2 મિનિટમાં હૃદયના ધબકારા અને રક્ત પરિભ્રમણ વધી જાય છે. સ્નાયુઓ ગરમ થાય છે અને શરીર પ્રવૃત્તિ માટે તૈયાર થાય છે. 5 થી 10 મિનિટની અંદર મૂડ સુધરવા લાગે છે અને તણાવ ઓછો થાય છે. 10 થી 15 મિનિટ ચાલવાથી બ્લડ સુગર કંટ્રોલમાં સુધારો થાય છે. ખાસ કરીને જો તમે જમ્યા પછી ચાલવા જાઓ છો, તો તેની અસર વધુ સ્પષ્ટ હોય છે.

20 થી 30 મિનિટ ચાલવાના ફાયદા

જો કોઈ વ્યક્તિ દરરોજ 20 થી 30 મિનિટ સુધી ચાલે છે તો શરીર વધુ કેલરી બર્ન કરવાનું શરૂ કરે છે, જે વજન નિયંત્રણ અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત 30 મિનિટ ચાલવાથી પાચનતંત્ર વધુ સારું કામ કરે છે. બપોરના ભોજન અને રાત્રિભોજન પછી ચાલવાની આદત પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સમય અનુસાર ચાલવાથી મેટાબોલિઝમને સક્રિય રાખે છે અને દિવસનો થાક ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો – દરરોજ લીમડાના પાનનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી થાય છે અસર, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો

30 થી 45 મિનિટ ચાલવાના ફાયદા

30 થી 45 મિનિટ ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. આ સમય દરમિયાન શરીરમાં એન્ડોર્ફિન અને સેરોટોનિનનું સ્તર વધે છે, જે તણાવ અને ચિંતા ઘટાડે છે. વ્યક્તિને વધુ સારી માનસિક સ્પષ્ટતા મળે છે અને મગજ વધુ સક્રિય રીતે કાર્ય કરે છે. આ સમયગાળા ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

45 મિનિટથી 1 કલાક ચાલવાના ફાયદા

45 મિનિટથી એક કલાક ચાલવું તમારા શરીર અને મનને ઊંડાણપૂર્વક અસર કરે છે. તે શરીરમાં ડોપામાઇન અને અન્ય ફીલ-ગુડ કેમિકલ્સનું સ્તર વધારે છે, જે તમને ખુશ અને વધુ ઊર્જાવાન લાગે છે. લાંબા સમય સુધી નિયમિત એક કલાક ચાલવાથી હૃદય અને મન બંનેને સ્વસ્થ રહે છે અને ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે.

સુધીર કુમારના જણાવ્યા અનુસાર ન ચાલવા કરતાં ગમે તે સમયે ચાલવું વધુ સારું છે. ભલે તમે 10 મિનિટ હોય કે 60 મિનિટ તમને તેનો લાભ ચોક્કસ મળશે. ભોજન પછી હળવી વોક, મોર્નિંગ વોક અને સાંજની વોક તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ