Karela Bhujiya Recipe: કારેલા એક એવી સબ્જી છે જેને બાળકો તો શું મોટા લોકો પણ જલ્દી ખાવાનું પસંદ કરતા નથી. તેનો કડવો સ્વાદ મોઢાની રંગત ઉડાવી નાંખે છે. માટે મોટાભાગના લોકો કારેલાની સબ્જીને પોતાના ભોજનના મેન્યુમાં સામેલ કરતા નથી. જોકે કારેલા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પોષણતત્વોથી ભરપૂર આ સબ્જીમાં વિટામિન સી, એ અને વિટામિન બી સાથે પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન જેવા મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. આવામાં ચલો અમે તમને જણાવીએ કે તેને ખાવાથી શું ફાયદા થાય છે અને તમે તેના કડવા સ્વાદ વિનાના કારેલાના કુરકુરા ભુજિયા કેવી રીતે બનાવશો.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
કારેલામાં રહેલા એંટીઓક્સીડેંટ સરીરમાં હાનિકારક મુક્ત કણોથી લડવામાં મદદ કરે છે. આ બ્લલ સુગરના સ્તરને ઓછું કરવામાં અને ઈંસુલિન સંવેદનશીલતામાં સુધાર કરવાની તમારી ક્ષમતા માટે પણ ઓળખાય છે. ફાઈબરથી ભરપૂર કારેલા પાચન શક્તિને વધારે છે. કબજિયાતને રોકે છે અને આંતરડાને સાફ કરે છે. કારેલામાં રહેલ વિટામિન અને એંટીઓક્સીડેંટ પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવામાં મદદ કરે છે. કેલેરીમાં ઓછુ અને ફાઈબરમાં ઉચ્ચ, મેટાબોલિઝમને સારૂ કરી વજન ઘટાડે છે.
કારેલાના ભુજિયા બનાવવાની રીત
કારેલાના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા 4 થી 5 કારેલાને ધોની ઉપરથી છોલી નાંખો અને પછી તેને ગોળ આકારમાં પાતલા-પાતળા કાપો. હવે એક મોટા વાસણમાં એક ચમચી મીઠું અને કારેલા નાંખીને અઢધો કલાક સુધી મૂકી રાખો. હવે બે ડુંગળી અને 2 લીલા મરચાને કાપી લો. હવે નક્કી કરેલા સમય બાદ કારેલાને ચેક કરો. કારેલા પાણી છોડી ચુક્યા હશે. હવે તેનું પાણી સારી રીતે નીકાળી લો અને પછી કારેલાને પાણીથી ધોઈ નાંખો અને કોટનના કપડાથી લૂંછી નાંખો.
આ પણ વાંચો: મૂળાના પાન એટલે પોષણનું પાવરહાઉસ, નિષ્ણાતો કેમ કહે છે શિયાળામાં ખાવાનું?
હવે ગેસ ઓન કરો અને તેના પર કઢાઈ મૂકી દો. તેલ નાંખીને ડુંગળી, મરચા અને હળદર સાથે વઘારી લો. જ્યારે ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યારે તેને નિકાળી લો અને તેજ તેલમાં કારેલાને સેકી લો. ધ્યાન રહે કે આ દરમિયાન ગેસની આંચ મીડિયમ હોવી જોઈએ. મીડિયમ આંચ પર કારેલાને પકાવો. જ્યારે કારેલા સારી રીતે કુરકુરા થઈ જાય તો તેમાં ડુંગળી નાંખો. હવે તમારી કારેલાની કુરકુરા ભુજિયા તૈયાર છે.





